રાજ્યમાં વધતો ઠંડીનો પ્રકોપ, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર!


  • Published By :
  • Published Date : 2023-01-23 12:37:02

રાજ્યમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શીત લહેરનો અહેસાસ ગુજરાતીઓને ફરી એક વખત થવાનો છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચે નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો 7 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. નલિયામાં 5.4, ગાંધીનગરમાં 8.3, ડીસામાં 10.2, ભૂજમાં 9.6 તાપમાન નોંધાયું હતું. 


આવનાર દિવસોમાં ફૂંકાશે ઠંડા પવન

ગુજરાતમાં ઠંડીએ થોડા દિવસનો વિરામ લીધો હતો. ગુજરાતીઓને ઠંડીથી આંશિક રાહત પણ મળી હતી. આવનાર દિવસોમાં તાપમાનનો પારો હજી ગગડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ માટે તૈયાર રહેવું પડશે. સૂસવાટા મારતા પવન સાથે ઠંડીનો અહેસાસ થવાનો છે. 


અનેક શહેરોમાં નોંધાશે 10 ડિગ્રીથી નીચે તાપમાન 

અમદાવાદમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં તાપમાન 5.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે. ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયું હતું. આગામી 3 દિવસ ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રી આસપાસ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.