રાજ્યમાં વધતો ઠંડીનો પ્રકોપ, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર!


  • Published By :
  • Published Date : 2023-01-23 12:37:02

રાજ્યમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શીત લહેરનો અહેસાસ ગુજરાતીઓને ફરી એક વખત થવાનો છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચે નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો 7 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. નલિયામાં 5.4, ગાંધીનગરમાં 8.3, ડીસામાં 10.2, ભૂજમાં 9.6 તાપમાન નોંધાયું હતું. 


આવનાર દિવસોમાં ફૂંકાશે ઠંડા પવન

ગુજરાતમાં ઠંડીએ થોડા દિવસનો વિરામ લીધો હતો. ગુજરાતીઓને ઠંડીથી આંશિક રાહત પણ મળી હતી. આવનાર દિવસોમાં તાપમાનનો પારો હજી ગગડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ માટે તૈયાર રહેવું પડશે. સૂસવાટા મારતા પવન સાથે ઠંડીનો અહેસાસ થવાનો છે. 


અનેક શહેરોમાં નોંધાશે 10 ડિગ્રીથી નીચે તાપમાન 

અમદાવાદમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં તાપમાન 5.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે. ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયું હતું. આગામી 3 દિવસ ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રી આસપાસ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.