રાજ્યમાં વધતું ગરમીનું પ્રમાણ, અનેક જગ્યાઓ માટે કરાઈ છે હીટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-02-24 13:42:24

ગુજરાતમાં હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં થયેલી હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો છે. પવનની દિશા બદલાવવાને કારણે ભેજવાળું વાતાવરણ જેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 36 ડિગ્રીને પાર નોંધાયું છે.


ગરમી પણ અનેક વર્ષોનો તોડી શકે છે રેકોર્ડ 

રાજ્યમાં આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોના રેકોર્ડ આ વર્ષે તૂટ્યા હતા. ત્યારે આ વર્ષનો ઉનાળો પણ આકરો રહેવાનો છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અનુમાન સાચું પડતું દેખાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. સવારના સમયે તેમજ રાતના સમયે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 


બેવડી ઋતુને કારણે લોકો પડી રહ્યા છે બીમાર 

અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધીને 34.9 નોંધાયું હતું. 24 ફેબ્રુઆરી પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવ્યું છે. પવનની દિશા બદલાવાને કારણે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. ફેબ્રુઆરીમાં જ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી બે દિવસ ગુજરાતમાં હીટવેવનો અનુભવ થઈ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. તાપીનું તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ બેવડી ઋતુનો અહેસાસ થતા લોકો બીમાર પડી રહ્યા છે.           




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી