રાજ્યમાં વધતું ગરમીનું પ્રમાણ, અનેક જગ્યાઓ માટે કરાઈ છે હીટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-02-24 13:42:24

ગુજરાતમાં હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં થયેલી હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો છે. પવનની દિશા બદલાવવાને કારણે ભેજવાળું વાતાવરણ જેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 36 ડિગ્રીને પાર નોંધાયું છે.


ગરમી પણ અનેક વર્ષોનો તોડી શકે છે રેકોર્ડ 

રાજ્યમાં આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોના રેકોર્ડ આ વર્ષે તૂટ્યા હતા. ત્યારે આ વર્ષનો ઉનાળો પણ આકરો રહેવાનો છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અનુમાન સાચું પડતું દેખાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. સવારના સમયે તેમજ રાતના સમયે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 


બેવડી ઋતુને કારણે લોકો પડી રહ્યા છે બીમાર 

અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધીને 34.9 નોંધાયું હતું. 24 ફેબ્રુઆરી પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવ્યું છે. પવનની દિશા બદલાવાને કારણે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. ફેબ્રુઆરીમાં જ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી બે દિવસ ગુજરાતમાં હીટવેવનો અનુભવ થઈ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. તાપીનું તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ બેવડી ઋતુનો અહેસાસ થતા લોકો બીમાર પડી રહ્યા છે.           




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.