રાજ્યમાં વધતું ગરમીનું પ્રમાણ, અનેક જગ્યાઓ માટે કરાઈ છે હીટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-02-24 13:42:24

ગુજરાતમાં હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં થયેલી હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો છે. પવનની દિશા બદલાવવાને કારણે ભેજવાળું વાતાવરણ જેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 36 ડિગ્રીને પાર નોંધાયું છે.


ગરમી પણ અનેક વર્ષોનો તોડી શકે છે રેકોર્ડ 

રાજ્યમાં આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોના રેકોર્ડ આ વર્ષે તૂટ્યા હતા. ત્યારે આ વર્ષનો ઉનાળો પણ આકરો રહેવાનો છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અનુમાન સાચું પડતું દેખાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. સવારના સમયે તેમજ રાતના સમયે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 


બેવડી ઋતુને કારણે લોકો પડી રહ્યા છે બીમાર 

અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધીને 34.9 નોંધાયું હતું. 24 ફેબ્રુઆરી પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવ્યું છે. પવનની દિશા બદલાવાને કારણે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. ફેબ્રુઆરીમાં જ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી બે દિવસ ગુજરાતમાં હીટવેવનો અનુભવ થઈ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. તાપીનું તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ બેવડી ઋતુનો અહેસાસ થતા લોકો બીમાર પડી રહ્યા છે.           




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.