રાજ્યમાં વધતું ગરમીનું પ્રમાણ, અનેક જગ્યાઓ માટે કરાઈ છે હીટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-02-24 13:42:24

ગુજરાતમાં હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં થયેલી હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો છે. પવનની દિશા બદલાવવાને કારણે ભેજવાળું વાતાવરણ જેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 36 ડિગ્રીને પાર નોંધાયું છે.


ગરમી પણ અનેક વર્ષોનો તોડી શકે છે રેકોર્ડ 

રાજ્યમાં આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોના રેકોર્ડ આ વર્ષે તૂટ્યા હતા. ત્યારે આ વર્ષનો ઉનાળો પણ આકરો રહેવાનો છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અનુમાન સાચું પડતું દેખાઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. સવારના સમયે તેમજ રાતના સમયે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 


બેવડી ઋતુને કારણે લોકો પડી રહ્યા છે બીમાર 

અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધીને 34.9 નોંધાયું હતું. 24 ફેબ્રુઆરી પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવ્યું છે. પવનની દિશા બદલાવાને કારણે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. ફેબ્રુઆરીમાં જ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી બે દિવસ ગુજરાતમાં હીટવેવનો અનુભવ થઈ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. તાપીનું તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ બેવડી ઋતુનો અહેસાસ થતા લોકો બીમાર પડી રહ્યા છે.           




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.