IND Vs ENG World Cup: રોહિત શર્મા-સૂર્યકુમારે ભારતની લાજ રાખી, ઈંગ્લેન્ડને 230 રનનો આપ્યો ટાર્ગેટ


  • Published By :
  • Published Date : 2023-10-29 19:12:37

ભારત અને ઈંગ્લેડ વચ્ચે વર્લ્ડ કપની મેચ લખનઉના અટલ બિહારી વાજપાઈ ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડને જીતવા માટે 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં નવ વિકેટે 220 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. બુમરાહે 16 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતે માત્ર 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત શર્મા અને કેએલ રાહુલે 91 રનની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ઈંગ્લેડ માટે ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.


ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો


ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શૂન્ય રને આઉટસતત 8 બોલ ડોટ કાઢ્યા પછી વિરાટ કોહલી પ્રેશરમાં ખોટો શોટ મારી બેઠો અને શૂન્ય રને કેચ આઉટ થયો હતો. વિલિએ તેને પેવેલિયન ભેગો કર્યો હતો. તે જ પ્રકારે શુભમન ગિલ ક્લિન બોલ્ડ થયો હતો, ઈંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સે શુભમન ગિલને ક્લિન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો છે. શુભમન ગિલ 13 બોલમાં 9 રન બનાવી આઉટ થયો.


રોહિત શર્માએ લાજ રાખી


રમાઈ રહેલી આ મેચમાં કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. રોહિત શર્માએ 101 બોલનો સામનો કરીને 87 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 49 રન બનાવીને ભારતને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડવામાં મદદ કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને બે-બે સફળતા મળી હતી. 

 

ટીમ ઈન્ડિયા 


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન 


ટીમ ઈંગ્લેન્ડ

 

જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (w/c), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વૂડ



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.