IND Vs ENG World Cup: રોહિત શર્મા-સૂર્યકુમારે ભારતની લાજ રાખી, ઈંગ્લેન્ડને 230 રનનો આપ્યો ટાર્ગેટ


  • Published By :
  • Published Date : 2023-10-29 19:12:37

ભારત અને ઈંગ્લેડ વચ્ચે વર્લ્ડ કપની મેચ લખનઉના અટલ બિહારી વાજપાઈ ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડને જીતવા માટે 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં નવ વિકેટે 220 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. બુમરાહે 16 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતે માત્ર 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત શર્મા અને કેએલ રાહુલે 91 રનની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ઈંગ્લેડ માટે ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.


ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો


ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શૂન્ય રને આઉટસતત 8 બોલ ડોટ કાઢ્યા પછી વિરાટ કોહલી પ્રેશરમાં ખોટો શોટ મારી બેઠો અને શૂન્ય રને કેચ આઉટ થયો હતો. વિલિએ તેને પેવેલિયન ભેગો કર્યો હતો. તે જ પ્રકારે શુભમન ગિલ ક્લિન બોલ્ડ થયો હતો, ઈંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સે શુભમન ગિલને ક્લિન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો છે. શુભમન ગિલ 13 બોલમાં 9 રન બનાવી આઉટ થયો.


રોહિત શર્માએ લાજ રાખી


રમાઈ રહેલી આ મેચમાં કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. રોહિત શર્માએ 101 બોલનો સામનો કરીને 87 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 49 રન બનાવીને ભારતને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડવામાં મદદ કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને બે-બે સફળતા મળી હતી. 

 

ટીમ ઈન્ડિયા 


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન 


ટીમ ઈંગ્લેન્ડ

 

જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (w/c), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વૂડ



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.