IND vs NED T20: ભારતે નેધરલેન્ડને 56 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી


  • Published By :
  • Published Date : 2022-10-27 16:31:54

ભારતીય ટીમ આજે T20 વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચ રમી રહી હતી. રોહિત શર્માએ ગુરુવારે સિડનીમાં નેધરલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી.

T20 World Cup; IND vs NED Live ടി20 ലോകകപ്പ്: നെതർലൻഡ്സിനെതിരെ ഇന്ത്യ  ബാറ്റ് ചെയ്യുന്നു T20 World Cup; IND vs NED Live

ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું

સુપર-12 રાઉન્ડની બીજી મેચમાં ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 53 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીએ 44 બોલમાં 62 રન અને સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડ તરફથી ટિમ પ્રિંગલે 20 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી.

IND vs NED, T20 World Cup Live Streaming: When and where to watch India vs  Netherlands on TV, online | Cricket News – India TV

આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતના બે મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશની ટીમ બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતની આગામી મેચ હવે 30 ઓક્ટોબરે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે થશે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.