IND vs NED T20: ભારતે નેધરલેન્ડને 56 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી


  • Published By :
  • Published Date : 2022-10-27 16:31:54

ભારતીય ટીમ આજે T20 વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચ રમી રહી હતી. રોહિત શર્માએ ગુરુવારે સિડનીમાં નેધરલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી.

T20 World Cup; IND vs NED Live ടി20 ലോകകപ്പ്: നെതർലൻഡ്സിനെതിരെ ഇന്ത്യ  ബാറ്റ് ചെയ്യുന്നു T20 World Cup; IND vs NED Live

ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું

સુપર-12 રાઉન્ડની બીજી મેચમાં ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 53 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીએ 44 બોલમાં 62 રન અને સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડ તરફથી ટિમ પ્રિંગલે 20 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી.

IND vs NED, T20 World Cup Live Streaming: When and where to watch India vs  Netherlands on TV, online | Cricket News – India TV

આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતના બે મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશની ટીમ બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતની આગામી મેચ હવે 30 ઓક્ટોબરે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે થશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.