IND Vs PAK Asia Cup 2023 LIVE Score: ટીમ ઈન્ડિયાને બીજો મોટો ઝટકો, રોહિત શર્મા બાદ શુભમન ગિલ પણ આઉટ, સ્કોર 135/2


  • Published By :
  • Published Date : 2023-09-10 16:48:36

આજે ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ રમાઈ રહી છે. મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બીજી વખત આમને સામને થવા જઈ રહ્યા છે. અગાઉ, બંને પાડોશી દેશો ગ્રુપ મેચમાં પણ ટકરાયા હતા, જોકે તે મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. જો કે, આ મેચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જો આજે વરસાદના કારણે કોઈ પરિણામ નહીં આવે તો મેચ રિઝર્વ ડે (11 સપ્ટેમ્બર)માં જશે.


રાહુલ અને વિરાટ કોહલી મેદાન પર  


ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા પહેલી વિકેટ માટે 100+ રનની ભાગીદારી નોંધાવી હતી. બન્ને ખેલાડીએ ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી અને અડધી-અડધી સદી ફટકારી હતી. ગિલ 52 બોલમાં 58 રન અને રોહિત શર્મા 49 બોલમાં 56 રન ફટકાર્યા હતાં. જો કે રોહિત શર્મા બાદ શુભમન ગિલ પણ આઉટ થયો છે, બન્ને ખેલાડી પવેલિયન ભેગા થતાં ટીમ ઈન્ડિયા દબાણ હેઠળ આવી છે, હાલ કે એલ રાહુલ અને વિરાટ કોહલી મેદાન પર છે.


ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.


ભારતની બેટિંગ શરૂ


ભારતીય ટીમની બેટિંગ શરૂ થઇ ગઇ છે, કેપ્ટન રોહિત શર્મા અને યુવા બેટ્સમેન શુભમન ગીલ અત્યારે ઓપનિંગ કરી રહ્યાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ એશિયા કપ 2023માં બીજી વનડે મેચ છે, પ્રથમ વનડેમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ. પાકિસ્તાન સામેની વનડેમાં નિષ્ફળ રહેલા રોહિત શર્મા અને શુભમન ગીલ કેવો કમાલ કરે છે  તેના પર આજે સૌની નજર રહેશે. 3 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 23 રન થયા છે. ભારતીય ઓપનર્સ રોહિત શર્મા અને શુભમન ગિલ શરુઆતથી જ પાકિસ્તાની બોલર્સને હંફાવી રહ્યા છે. રોહિત શર્મા 10 રન અને ગિલ 13 રન સાથે રમી રહ્યા છે. શાહીનની ઓવરમાં શુભમન ગિલે 4 ચોગ્ગા ફટકાર્યા છે.

 


(આ મેચ સંબંધિત દરેક મોટા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે તમને મેચ હાઇલાઇટ્સ, લાઇવ સ્કોર્સ, રસપ્રદ વિડિઓઝ બતાવવાનું ચાલુ રાખીશું, પેજ રિફ્રેશ કરતા રહો.)






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.