ભાષાએ સમાજને જોડતી કડી છે, નહીં કે !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 15:19:43

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મરાઠી ભાષાના નામે લડાઈની કોઈ નવી વાત નથી. 25મી માર્ચના રોજ અંધેરી પશ્ચિમના વર્સોવા વિસ્તારમાં સ્થિત ડી-માર્ટ સ્ટોરમાં ફરી આવી જ ઘટના બની છે. હકીકતમાંરાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ સુપરમાર્કેટ ડી-માર્ટ સ્ટોરના એક કર્મચારીને મરાઠી ના બોલવા બદલ થપ્પડ મારી હતી. અને ફરી આવું ન કરવાની ચેતવણી પણ આપી હતી.

રાજ ઠાકરેના માણસોએ ડી માર્ટના મેનેજરને ઘમકાવે અને હાથટપલી દાવ કરે છે. એક જ ઘટના નથી,આવી તો તમે ગૂગલ કરો તો કેટલીય લિંક અને ફૂટેજ મળી આવે જેમાં  MNSના માણસો દ્વારા મુંબઈમાં કામ કરતાં કે વ્યવસાય કરતાં બીજા રાજયના લોકો સાથે મારામારી કરીને એમના રોજગારની ચીજ વસ્તુઓનું નુકશાન કરતાં નજરે ચઢે છે ! જો કોઇપણ એમની ભાષાનો જાણકાર MNSના કાર્યકરોને એક ફોન કે ફરિયાદ કરે તો સામેવાળા વ્યક્તિને ટોળું વળીને ઘમકાવે અને ફટકારે છે ત્યારે એમના  માટે કોઈ કાયદો કે વ્યવસ્થા છે કે નહિ ? તે પ્રશ્ન ઉઠે છે!  

કાયદો અને વ્યવસ્થા એમના હાથમાં હોય તેવું મનસ્વી વર્તણુંક MNS કાર્યકર્તા કરતાં આવ્યાં છે અને હજી પણ જાહેરમાં કાયદા હાથમાં લેનાર લોકો સામે એક્શન લેવા માટે મુંબઈ પોલીસ કોની પરવાનગીની રાહ જુએ છે? હેરાનગતિ કે જે ટ વ્યક્તિને સબક શીખવાડે તેના લાઈવ વિડીયો ઉતારવામાં આવે છે અને તેને દરેક ચેનલ સુધી જાણે પહોચાડવામાં આવતો હોય તેવું લાગે છે.. .. દરેક ચેનલમાં આ ફૂટેજ ચલાવાય છે.

 

   ધીમે ધીમે જાણે અજાણે આપણે સૌ જાણે ધર્મ, ભાષા અને જાતિના આધારે અનેક મહાનુભવો દ્વારા જુથવાદ અને વર્ચસ્વની મિથ્યા વાતોને સોશિયલ મીડિયા પર સાંભડતા આવ્યા છીએ.

 






રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.