ભાષાએ સમાજને જોડતી કડી છે, નહીં કે !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 15:19:43

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મરાઠી ભાષાના નામે લડાઈની કોઈ નવી વાત નથી. 25મી માર્ચના રોજ અંધેરી પશ્ચિમના વર્સોવા વિસ્તારમાં સ્થિત ડી-માર્ટ સ્ટોરમાં ફરી આવી જ ઘટના બની છે. હકીકતમાંરાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ સુપરમાર્કેટ ડી-માર્ટ સ્ટોરના એક કર્મચારીને મરાઠી ના બોલવા બદલ થપ્પડ મારી હતી. અને ફરી આવું ન કરવાની ચેતવણી પણ આપી હતી.

રાજ ઠાકરેના માણસોએ ડી માર્ટના મેનેજરને ઘમકાવે અને હાથટપલી દાવ કરે છે. એક જ ઘટના નથી,આવી તો તમે ગૂગલ કરો તો કેટલીય લિંક અને ફૂટેજ મળી આવે જેમાં  MNSના માણસો દ્વારા મુંબઈમાં કામ કરતાં કે વ્યવસાય કરતાં બીજા રાજયના લોકો સાથે મારામારી કરીને એમના રોજગારની ચીજ વસ્તુઓનું નુકશાન કરતાં નજરે ચઢે છે ! જો કોઇપણ એમની ભાષાનો જાણકાર MNSના કાર્યકરોને એક ફોન કે ફરિયાદ કરે તો સામેવાળા વ્યક્તિને ટોળું વળીને ઘમકાવે અને ફટકારે છે ત્યારે એમના  માટે કોઈ કાયદો કે વ્યવસ્થા છે કે નહિ ? તે પ્રશ્ન ઉઠે છે!  

કાયદો અને વ્યવસ્થા એમના હાથમાં હોય તેવું મનસ્વી વર્તણુંક MNS કાર્યકર્તા કરતાં આવ્યાં છે અને હજી પણ જાહેરમાં કાયદા હાથમાં લેનાર લોકો સામે એક્શન લેવા માટે મુંબઈ પોલીસ કોની પરવાનગીની રાહ જુએ છે? હેરાનગતિ કે જે ટ વ્યક્તિને સબક શીખવાડે તેના લાઈવ વિડીયો ઉતારવામાં આવે છે અને તેને દરેક ચેનલ સુધી જાણે પહોચાડવામાં આવતો હોય તેવું લાગે છે.. .. દરેક ચેનલમાં આ ફૂટેજ ચલાવાય છે.

 

   ધીમે ધીમે જાણે અજાણે આપણે સૌ જાણે ધર્મ, ભાષા અને જાતિના આધારે અનેક મહાનુભવો દ્વારા જુથવાદ અને વર્ચસ્વની મિથ્યા વાતોને સોશિયલ મીડિયા પર સાંભડતા આવ્યા છીએ.

 






આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.