ભાષાએ સમાજને જોડતી કડી છે, નહીં કે !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 15:19:43

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મરાઠી ભાષાના નામે લડાઈની કોઈ નવી વાત નથી. 25મી માર્ચના રોજ અંધેરી પશ્ચિમના વર્સોવા વિસ્તારમાં સ્થિત ડી-માર્ટ સ્ટોરમાં ફરી આવી જ ઘટના બની છે. હકીકતમાંરાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ સુપરમાર્કેટ ડી-માર્ટ સ્ટોરના એક કર્મચારીને મરાઠી ના બોલવા બદલ થપ્પડ મારી હતી. અને ફરી આવું ન કરવાની ચેતવણી પણ આપી હતી.

રાજ ઠાકરેના માણસોએ ડી માર્ટના મેનેજરને ઘમકાવે અને હાથટપલી દાવ કરે છે. એક જ ઘટના નથી,આવી તો તમે ગૂગલ કરો તો કેટલીય લિંક અને ફૂટેજ મળી આવે જેમાં  MNSના માણસો દ્વારા મુંબઈમાં કામ કરતાં કે વ્યવસાય કરતાં બીજા રાજયના લોકો સાથે મારામારી કરીને એમના રોજગારની ચીજ વસ્તુઓનું નુકશાન કરતાં નજરે ચઢે છે ! જો કોઇપણ એમની ભાષાનો જાણકાર MNSના કાર્યકરોને એક ફોન કે ફરિયાદ કરે તો સામેવાળા વ્યક્તિને ટોળું વળીને ઘમકાવે અને ફટકારે છે ત્યારે એમના  માટે કોઈ કાયદો કે વ્યવસ્થા છે કે નહિ ? તે પ્રશ્ન ઉઠે છે!  

કાયદો અને વ્યવસ્થા એમના હાથમાં હોય તેવું મનસ્વી વર્તણુંક MNS કાર્યકર્તા કરતાં આવ્યાં છે અને હજી પણ જાહેરમાં કાયદા હાથમાં લેનાર લોકો સામે એક્શન લેવા માટે મુંબઈ પોલીસ કોની પરવાનગીની રાહ જુએ છે? હેરાનગતિ કે જે ટ વ્યક્તિને સબક શીખવાડે તેના લાઈવ વિડીયો ઉતારવામાં આવે છે અને તેને દરેક ચેનલ સુધી જાણે પહોચાડવામાં આવતો હોય તેવું લાગે છે.. .. દરેક ચેનલમાં આ ફૂટેજ ચલાવાય છે.

 

   ધીમે ધીમે જાણે અજાણે આપણે સૌ જાણે ધર્મ, ભાષા અને જાતિના આધારે અનેક મહાનુભવો દ્વારા જુથવાદ અને વર્ચસ્વની મિથ્યા વાતોને સોશિયલ મીડિયા પર સાંભડતા આવ્યા છીએ.

 






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.