India- Pakistan મેચ : ભારતે બેટિંગની કરી શરૂઆત, પાકિસ્તાને બનાવ્યા છે 191 રન


  • Published By :
  • Published Date : 2023-10-14 18:25:34

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાને 191 રન બનાવ્યા છે. ભારતને 192નો ટાર્ગેટ આપ્યો છે. ભારતના ક્રિકેટરોએ શાનદાન બેટિંગની શરૂઆત કરી છે. 2.3 ઓવરમાં ભારતે 23 રન બનાવી દીધા છે. રોહિત શર્મા અને ગિલ ક્રિઝ પર છે. 16 રનમાં ગિલની વિકેટ પડી હતી. ભારતે પહેલી વિકટ ગુમાવી દીધી છે. વિરાટ કોહલી મેચ રમવા આવ્યા છે. 4.1 ઓવરમાં ભારતે 32 રન બનાવ્યા છે. મેચને જોવા મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી પહોંચ્યા હતા. હાલ મેચની સ્કોર 34 પર પહોંચ્યો છે. વિરાટ કોહલીએ 15 રન બનાવ્યા છે. ભારતની ટીમે 50 રન બનાવી દીધા છે. 6.5 ઓવર થઈ ગઈ છે. 

અનેક લોકો પડ્યા છે બિમાર

એક તરફ ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી ત્યારે અનેક લોકો બિમાર પડ્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાન જ્યારે ઓલઆઉટ થયું હતું ત્યારે 150 જેટલા પ્રેક્ષકો ગરમી તેમજ બફારાને કારણે બિમાર પડ્યા છે. 108ની ટીમને અનેક ફોન આવ્યા છે.  

  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી