India- Pakistan મેચ : ભારતે બેટિંગની કરી શરૂઆત, પાકિસ્તાને બનાવ્યા છે 191 રન


  • Published By :
  • Published Date : 2023-10-14 18:25:34

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાને 191 રન બનાવ્યા છે. ભારતને 192નો ટાર્ગેટ આપ્યો છે. ભારતના ક્રિકેટરોએ શાનદાન બેટિંગની શરૂઆત કરી છે. 2.3 ઓવરમાં ભારતે 23 રન બનાવી દીધા છે. રોહિત શર્મા અને ગિલ ક્રિઝ પર છે. 16 રનમાં ગિલની વિકેટ પડી હતી. ભારતે પહેલી વિકટ ગુમાવી દીધી છે. વિરાટ કોહલી મેચ રમવા આવ્યા છે. 4.1 ઓવરમાં ભારતે 32 રન બનાવ્યા છે. મેચને જોવા મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી પહોંચ્યા હતા. હાલ મેચની સ્કોર 34 પર પહોંચ્યો છે. વિરાટ કોહલીએ 15 રન બનાવ્યા છે. ભારતની ટીમે 50 રન બનાવી દીધા છે. 6.5 ઓવર થઈ ગઈ છે. 

અનેક લોકો પડ્યા છે બિમાર

એક તરફ ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી ત્યારે અનેક લોકો બિમાર પડ્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાન જ્યારે ઓલઆઉટ થયું હતું ત્યારે 150 જેટલા પ્રેક્ષકો ગરમી તેમજ બફારાને કારણે બિમાર પડ્યા છે. 108ની ટીમને અનેક ફોન આવ્યા છે.  

  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.