ભારતના જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીનું નિધન, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-01-24 14:16:28

પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત એવા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષે નિધન થયું  છે. તેઓ ભારતના લે-કોર્બુઝિયર તરીકે જાણીતા હતા. અમદાવાદ ખાતે સ્થિત નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનનું નિધન થવાથી સ્થાપત્ય કળાના યુગનો અંત આવ્યો છે. 


અમદાવાદ-IIMની બનાવી હતી ડિઝાઈન 

બીવી જોષીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા શહેરોની ડિઝાઈન કરી છે. તે સિવાય અમદાવાદની ઓળખ બનનારી IIM-અમદાવાદની ડિઝાઈન કરી હતી. આર્કિટેક ક્ષેત્રમાં તેમણે અનેક યોગદાન આપ્યું છે. અમદાવાદની ગુફા, ફ્લેમ યુનિવર્સિટી. આઈઆઈએમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદયપુર, સેપ્ટ યુનિવર્સિટીના નિર્માણમાં તેમણે યોગદાન આપ્યું છે.      


અનેક એવોર્ડથી કરાયા છે સન્માનિત 

તેમના નિધન પર વડાપ્રધાન મોદીએ તેમજ મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. મુખ્યમંત્રીએ તેમને યાદ કરતા લખ્યું કે સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પદ્મભૂષણ બાલકૃષ્ણ દોષીજીના નિધન પર દુખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. બાલકૃષ્ણ દોશીને અનેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 1976માં તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. તે સિવાય ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ અપાયો હતો. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.