ભારતના જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીનું નિધન, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-01-24 14:16:28

પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત એવા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષે નિધન થયું  છે. તેઓ ભારતના લે-કોર્બુઝિયર તરીકે જાણીતા હતા. અમદાવાદ ખાતે સ્થિત નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનનું નિધન થવાથી સ્થાપત્ય કળાના યુગનો અંત આવ્યો છે. 


અમદાવાદ-IIMની બનાવી હતી ડિઝાઈન 

બીવી જોષીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા શહેરોની ડિઝાઈન કરી છે. તે સિવાય અમદાવાદની ઓળખ બનનારી IIM-અમદાવાદની ડિઝાઈન કરી હતી. આર્કિટેક ક્ષેત્રમાં તેમણે અનેક યોગદાન આપ્યું છે. અમદાવાદની ગુફા, ફ્લેમ યુનિવર્સિટી. આઈઆઈએમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદયપુર, સેપ્ટ યુનિવર્સિટીના નિર્માણમાં તેમણે યોગદાન આપ્યું છે.      


અનેક એવોર્ડથી કરાયા છે સન્માનિત 

તેમના નિધન પર વડાપ્રધાન મોદીએ તેમજ મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. મુખ્યમંત્રીએ તેમને યાદ કરતા લખ્યું કે સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પદ્મભૂષણ બાલકૃષ્ણ દોષીજીના નિધન પર દુખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. બાલકૃષ્ણ દોશીને અનેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 1976માં તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. તે સિવાય ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ અપાયો હતો. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.