અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત થયા


  • Published By :
  • Published Date : 2023-03-16 20:06:23

અરુણાચલ પ્રદેશના બોમડિલામાં ગુરુવારે આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પશ્ચિમ કામેંગ જિલ્લાના એસપી બીઆર બોમરેડ્ડીએ જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાઈલટના મોત થયા છે. શહિદ થયેલા પાયલોટ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને મેજર જયંથ એનો મૃતદેહ ક્રેશ સ્થળ પરથી મળી આવ્યો છે. બંનેના મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં અંતિમ કાર્યવાહી કરવામાં આવી. સાંજે 4 વાગ્યાની આસપાસ લાશ મળી આવી હતી. આ દુર્ઘટના બાદ સેનાએ તપાસના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ હેલિકોપ્ટરે 9:15 વાગ્યે અરુણાચલ પ્રદેશના બોમડિલા પાસે ઓપરેશનલ ફ્લાઇટ લીધી હતી અને તેના થોડા સમય બાદ જ હેલિકોપ્ટરનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. 


ચાર કલાકની જહેમત બાદ મળી લાશ


ચિતા હેલિકોપ્ટરના પાઈલોટ અને તેનો કાટમાળ શોધવા માટે ઈન્ડીયન આર્મી કામે લાગી હતી. 4 કલાકની જહેમત બાદ ચીની બોર્ડર પાસે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો જેમાં બન્ને પાઈલટની લાશ પણ મળી હતી. ગ્રામજનોએ દિરાંગમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર જોયું હતું અને જિલ્લા અધિકારીઓને જાણ કરી હતી. દિરાંગના બંગજાલેપના ગ્રામજનોએ બપોરે 12.30 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર શોધી કાઢ્યું હતું આ હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ તુટી પડ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.