અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત થયા


  • Published By :
  • Published Date : 2023-03-16 20:06:23

અરુણાચલ પ્રદેશના બોમડિલામાં ગુરુવારે આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પશ્ચિમ કામેંગ જિલ્લાના એસપી બીઆર બોમરેડ્ડીએ જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાઈલટના મોત થયા છે. શહિદ થયેલા પાયલોટ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને મેજર જયંથ એનો મૃતદેહ ક્રેશ સ્થળ પરથી મળી આવ્યો છે. બંનેના મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં અંતિમ કાર્યવાહી કરવામાં આવી. સાંજે 4 વાગ્યાની આસપાસ લાશ મળી આવી હતી. આ દુર્ઘટના બાદ સેનાએ તપાસના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ હેલિકોપ્ટરે 9:15 વાગ્યે અરુણાચલ પ્રદેશના બોમડિલા પાસે ઓપરેશનલ ફ્લાઇટ લીધી હતી અને તેના થોડા સમય બાદ જ હેલિકોપ્ટરનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. 


ચાર કલાકની જહેમત બાદ મળી લાશ


ચિતા હેલિકોપ્ટરના પાઈલોટ અને તેનો કાટમાળ શોધવા માટે ઈન્ડીયન આર્મી કામે લાગી હતી. 4 કલાકની જહેમત બાદ ચીની બોર્ડર પાસે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો જેમાં બન્ને પાઈલટની લાશ પણ મળી હતી. ગ્રામજનોએ દિરાંગમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર જોયું હતું અને જિલ્લા અધિકારીઓને જાણ કરી હતી. દિરાંગના બંગજાલેપના ગ્રામજનોએ બપોરે 12.30 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર શોધી કાઢ્યું હતું આ હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ તુટી પડ્યું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.