ICC T20 World Cup માટે ભારતીય ટીમની કરાઈ જાહેરાત, જાણો કોને સોંપવામાં આવી કેપ્ટન તરીકેની જવાબદારી અને કોણ છે ખેલાડીઓ?


  • Published By :
  • Published Date : 2024-04-30 17:29:16

આપણે ત્યાં ક્રિકેટનો અલગ જ ક્રેઝ હોય છે.. ગલીએ ગલીએ આપણને બાળકો ક્રિકેટ રમતા દેખાશે.. કોઈ પણ મેચ કેમ ના હોય પરંતુ ક્રિકેટ રસીકો તેને જોવાનું છોડતા નથી...ટી-20 હોય, આઈપીએલ હોય કે વન ડે મેચ હોય.. ક્રિકેટના ફેન્સને અનેરો ઉત્સાહ હોય છે.. ત્યારે આજે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરવામાં આવી છે.. રોહિત શર્મા આ વખતે કેપ્ટનશિપ સંભાળવાના છે.. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી છે..

રોહિત શર્મા કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યા વાઈઝ કેપ્ટન

બીસીસીઆઈ દ્વારા ટી-20 વર્લ્ડ કપને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.. કયા ખેલાડી આ મેચમાં જોવા મળશે તે સસ્પેન્સ આજે ખુલી ગયો છે.. જૂનમાં આ મેચ રમાવાની છે અને આ મેચને લઈ ટિમ ઈન્ડિયાની ઘોષણા કરી દેવામાં આવી છે.. આ મેચની કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળશે જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. અનેક નામો એવા હતા જેણે તમામને ચોંકાવ્યા હતા.. તાજેતરમાં રમાયેલી આઈપીએલમાં હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ સારૂં ના હતું, તેમને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 


  

કોની કરાઈ ખેલાડી તરીકે પસંદગી? 

ભારતીય ટીમના ખેલાડીઓની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માને બનાવાયો છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, વિકેટકીપર તરીકે રિષભ પંત ઉપરાંત સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજને મોકો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.