ICC T20 World Cup માટે ભારતીય ટીમની કરાઈ જાહેરાત, જાણો કોને સોંપવામાં આવી કેપ્ટન તરીકેની જવાબદારી અને કોણ છે ખેલાડીઓ?


  • Published By :
  • Published Date : 2024-04-30 17:29:16

આપણે ત્યાં ક્રિકેટનો અલગ જ ક્રેઝ હોય છે.. ગલીએ ગલીએ આપણને બાળકો ક્રિકેટ રમતા દેખાશે.. કોઈ પણ મેચ કેમ ના હોય પરંતુ ક્રિકેટ રસીકો તેને જોવાનું છોડતા નથી...ટી-20 હોય, આઈપીએલ હોય કે વન ડે મેચ હોય.. ક્રિકેટના ફેન્સને અનેરો ઉત્સાહ હોય છે.. ત્યારે આજે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરવામાં આવી છે.. રોહિત શર્મા આ વખતે કેપ્ટનશિપ સંભાળવાના છે.. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી છે..

રોહિત શર્મા કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યા વાઈઝ કેપ્ટન

બીસીસીઆઈ દ્વારા ટી-20 વર્લ્ડ કપને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.. કયા ખેલાડી આ મેચમાં જોવા મળશે તે સસ્પેન્સ આજે ખુલી ગયો છે.. જૂનમાં આ મેચ રમાવાની છે અને આ મેચને લઈ ટિમ ઈન્ડિયાની ઘોષણા કરી દેવામાં આવી છે.. આ મેચની કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળશે જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. અનેક નામો એવા હતા જેણે તમામને ચોંકાવ્યા હતા.. તાજેતરમાં રમાયેલી આઈપીએલમાં હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ સારૂં ના હતું, તેમને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 


  

કોની કરાઈ ખેલાડી તરીકે પસંદગી? 

ભારતીય ટીમના ખેલાડીઓની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માને બનાવાયો છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, વિકેટકીપર તરીકે રિષભ પંત ઉપરાંત સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજને મોકો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .