ICC T20 World Cup માટે ભારતીય ટીમની કરાઈ જાહેરાત, જાણો કોને સોંપવામાં આવી કેપ્ટન તરીકેની જવાબદારી અને કોણ છે ખેલાડીઓ?


  • Published By :
  • Published Date : 2024-04-30 17:29:16

આપણે ત્યાં ક્રિકેટનો અલગ જ ક્રેઝ હોય છે.. ગલીએ ગલીએ આપણને બાળકો ક્રિકેટ રમતા દેખાશે.. કોઈ પણ મેચ કેમ ના હોય પરંતુ ક્રિકેટ રસીકો તેને જોવાનું છોડતા નથી...ટી-20 હોય, આઈપીએલ હોય કે વન ડે મેચ હોય.. ક્રિકેટના ફેન્સને અનેરો ઉત્સાહ હોય છે.. ત્યારે આજે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરવામાં આવી છે.. રોહિત શર્મા આ વખતે કેપ્ટનશિપ સંભાળવાના છે.. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી છે..

રોહિત શર્મા કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યા વાઈઝ કેપ્ટન

બીસીસીઆઈ દ્વારા ટી-20 વર્લ્ડ કપને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.. કયા ખેલાડી આ મેચમાં જોવા મળશે તે સસ્પેન્સ આજે ખુલી ગયો છે.. જૂનમાં આ મેચ રમાવાની છે અને આ મેચને લઈ ટિમ ઈન્ડિયાની ઘોષણા કરી દેવામાં આવી છે.. આ મેચની કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળશે જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. અનેક નામો એવા હતા જેણે તમામને ચોંકાવ્યા હતા.. તાજેતરમાં રમાયેલી આઈપીએલમાં હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ સારૂં ના હતું, તેમને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 


  

કોની કરાઈ ખેલાડી તરીકે પસંદગી? 

ભારતીય ટીમના ખેલાડીઓની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માને બનાવાયો છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, વિકેટકીપર તરીકે રિષભ પંત ઉપરાંત સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજને મોકો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.