સુદાનમાં ફસાયેલા ભારતીયો પરત ફર્યા! ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોનું કરાયું રેસ્ક્યુ!


  • Published By :
  • Published Date : 2023-04-27 13:12:57

થોડા સમય પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિ વિશે આપણને બધાને ખબર છે. બંને વચ્ચે થયેલા યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા હતા. ત્યારે યુક્રેન જેવી સ્થિતિ સુદાનમાં સર્જાઈ છે. આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સુદાનમાં હિંસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લવાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઓપરેશન કાવેરી અંતર્ગત લોકોને ભારત પરત લવાઈ રહ્યા છે.

સુદાનમાં ફસાયેલા ભારતીઓ પરત ફર્યા!

સુરક્ષિત રીતે ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી હતી.  ઈજિપ્ત, ફ્રાન્સ અને અન્ય દેશોની મદદથી લોકોને બહાર કાઢવાનું કામ કરાઈ રહ્યું છે. ભારત સહિત 28 દેશોના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં અનેક ભારતીયોને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ ભારતીયો સુદાનથી ભારત પરત ફર્યા છે. હજી સુધી અંદાજીત 600 જેટલા ભારતીયોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.