સુદાનમાં ફસાયેલા ભારતીયો પરત ફર્યા! ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોનું કરાયું રેસ્ક્યુ!


  • Published By :
  • Published Date : 2023-04-27 13:12:57

થોડા સમય પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિ વિશે આપણને બધાને ખબર છે. બંને વચ્ચે થયેલા યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા હતા. ત્યારે યુક્રેન જેવી સ્થિતિ સુદાનમાં સર્જાઈ છે. આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સુદાનમાં હિંસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લવાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઓપરેશન કાવેરી અંતર્ગત લોકોને ભારત પરત લવાઈ રહ્યા છે.

સુદાનમાં ફસાયેલા ભારતીઓ પરત ફર્યા!

સુરક્ષિત રીતે ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી હતી.  ઈજિપ્ત, ફ્રાન્સ અને અન્ય દેશોની મદદથી લોકોને બહાર કાઢવાનું કામ કરાઈ રહ્યું છે. ભારત સહિત 28 દેશોના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં અનેક ભારતીયોને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ ભારતીયો સુદાનથી ભારત પરત ફર્યા છે. હજી સુધી અંદાજીત 600 જેટલા ભારતીયોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.