સુદાનમાં ફસાયેલા ભારતીયો પરત ફર્યા! ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોનું કરાયું રેસ્ક્યુ!


  • Published By :
  • Published Date : 2023-04-27 13:12:57

થોડા સમય પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિ વિશે આપણને બધાને ખબર છે. બંને વચ્ચે થયેલા યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા હતા. ત્યારે યુક્રેન જેવી સ્થિતિ સુદાનમાં સર્જાઈ છે. આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સુદાનમાં હિંસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લવાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઓપરેશન કાવેરી અંતર્ગત લોકોને ભારત પરત લવાઈ રહ્યા છે.

સુદાનમાં ફસાયેલા ભારતીઓ પરત ફર્યા!

સુરક્ષિત રીતે ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી હતી.  ઈજિપ્ત, ફ્રાન્સ અને અન્ય દેશોની મદદથી લોકોને બહાર કાઢવાનું કામ કરાઈ રહ્યું છે. ભારત સહિત 28 દેશોના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં અનેક ભારતીયોને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ ભારતીયો સુદાનથી ભારત પરત ફર્યા છે. હજી સુધી અંદાજીત 600 જેટલા ભારતીયોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.