સુદાનમાં ફસાયેલા ભારતીયો પરત ફર્યા! ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોનું કરાયું રેસ્ક્યુ!


  • Published By :
  • Published Date : 2023-04-27 13:12:57

થોડા સમય પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિ વિશે આપણને બધાને ખબર છે. બંને વચ્ચે થયેલા યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા હતા. ત્યારે યુક્રેન જેવી સ્થિતિ સુદાનમાં સર્જાઈ છે. આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સુદાનમાં હિંસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લવાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઓપરેશન કાવેરી અંતર્ગત લોકોને ભારત પરત લવાઈ રહ્યા છે.

સુદાનમાં ફસાયેલા ભારતીઓ પરત ફર્યા!

સુરક્ષિત રીતે ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી હતી.  ઈજિપ્ત, ફ્રાન્સ અને અન્ય દેશોની મદદથી લોકોને બહાર કાઢવાનું કામ કરાઈ રહ્યું છે. ભારત સહિત 28 દેશોના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં અનેક ભારતીયોને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ ભારતીયો સુદાનથી ભારત પરત ફર્યા છે. હજી સુધી અંદાજીત 600 જેટલા ભારતીયોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.