ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ રાજભા ઝાલા શું આમ આદમી પાર્ટીથી છે નારાજ?


  • Published By :
  • Published Date : 2022-11-05 10:43:11

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. છેલ્લાં ઘણા સમયથી પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમની સાથે ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે આવે છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં દબદબો ધરાવનાર રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટીથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. 


ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ રાજભા ઝાલા પાર્ટીથી છે નારાજ હોવાની ચર્ચા  

આમ આદમી પાર્ટીએ આજે પોતાના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી દીધી છે. અમદાવાદ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં તેઓ હાજર ન રહ્યા હતા. ત્યારે મળતી માહિતી મુજબ ઈન્દ્રશીલ રાજ્યગુરૂ અને રાજભા ઝાલા પાર્ટીથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશના નેતાઓ દ્વારા સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે જેને લઈ તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે. ઉપરાંત ટિકિટને લઈને પણ તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અનેક વખત સોશિયલ મીડિયા પર તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.            




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.