ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ રાજભા ઝાલા શું આમ આદમી પાર્ટીથી છે નારાજ?


  • Published By :
  • Published Date : 2022-11-05 10:43:11

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. છેલ્લાં ઘણા સમયથી પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમની સાથે ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે આવે છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં દબદબો ધરાવનાર રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટીથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. 


ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ રાજભા ઝાલા પાર્ટીથી છે નારાજ હોવાની ચર્ચા  

આમ આદમી પાર્ટીએ આજે પોતાના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી દીધી છે. અમદાવાદ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં તેઓ હાજર ન રહ્યા હતા. ત્યારે મળતી માહિતી મુજબ ઈન્દ્રશીલ રાજ્યગુરૂ અને રાજભા ઝાલા પાર્ટીથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશના નેતાઓ દ્વારા સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે જેને લઈ તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે. ઉપરાંત ટિકિટને લઈને પણ તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અનેક વખત સોશિયલ મીડિયા પર તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.            




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"