આપના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-05 15:43:09


વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પાલતાનો મોસમ ચાલી રહયો છે ત્યારે કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે તેમણે અમુક મોટા ખુલાસા કર્યા છે તેમણે કહ્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી પ્લેનમાં રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. આપને મળતા ફંડની તપાસ પણ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને સરકારી વિમાનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે.


વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પાલતાનો મોસમ ચાલી રહયો છે ત્યારે કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે તેમણે અમુક મોટા ખુલાસા કર્યા છે તેમણે કહ્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી પ્લેનમાં રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. આપને મળતા ફંડની તપાસ પણ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને સરકારી વિમાનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે.


ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, મારા પાછા ફર્યા પછી AAP એ આરોપ લગાવ્યો કે, હું CM ચહેરો બનવા માંગું છે અને 15 લોકો માટે ટિકિટ માંગી રહ્યો છે. પરંતુ હકીકત તો એ છે કે મેં જોયું છે કે કોંગ્રેસને હરાવવા માટે તેઓએ ભાજપ સાથે સેટિંગ કર્યું? કમલમ તરફથી ટિકિટ સેટિંગનો મેસેજ આવે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસે કહ્યું પ્રાઈવેટ પ્લેનમાં રૂપિયા ગુજરાત આવે છે. AAPને મળતા ફંડની તપાસ થવી જોઈએ. 


ઈન્દ્રનીલ રાજગુરુએ દાવો

ઈન્દ્રનીલ રાજગુરુએ દાવો કર્યો હતો કે, જ્યારે બે મુખ્યમંત્રીઓ રાજકોટ આવે છે, ત્યારે પ્લેનમાં પૈસા આવે છે, અને તેમને લાવવાની મંજૂરી આપવામાં આવે છે. પંજાબથી દિલ્હી વાયા ગુજરાત નાણાં મોકલવામાં આવે છે, પરંતુ નાગરિક ઉડ્ડયન દ્વારા અટકાવવામાં આવતું નથી. મારી પાસેથી પણ પૈસા લેવાનો પ્રયાસ કરાયો હતો.






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.