આપના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-05 15:43:09


વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પાલતાનો મોસમ ચાલી રહયો છે ત્યારે કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે તેમણે અમુક મોટા ખુલાસા કર્યા છે તેમણે કહ્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી પ્લેનમાં રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. આપને મળતા ફંડની તપાસ પણ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને સરકારી વિમાનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે.


વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પાલતાનો મોસમ ચાલી રહયો છે ત્યારે કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે તેમણે અમુક મોટા ખુલાસા કર્યા છે તેમણે કહ્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ કાર્યાલયથી નક્કી થતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી પ્લેનમાં રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. આપને મળતા ફંડની તપાસ પણ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને સરકારી વિમાનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રૂપિયા લઈને આવ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે.


ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, મારા પાછા ફર્યા પછી AAP એ આરોપ લગાવ્યો કે, હું CM ચહેરો બનવા માંગું છે અને 15 લોકો માટે ટિકિટ માંગી રહ્યો છે. પરંતુ હકીકત તો એ છે કે મેં જોયું છે કે કોંગ્રેસને હરાવવા માટે તેઓએ ભાજપ સાથે સેટિંગ કર્યું? કમલમ તરફથી ટિકિટ સેટિંગનો મેસેજ આવે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસે કહ્યું પ્રાઈવેટ પ્લેનમાં રૂપિયા ગુજરાત આવે છે. AAPને મળતા ફંડની તપાસ થવી જોઈએ. 


ઈન્દ્રનીલ રાજગુરુએ દાવો

ઈન્દ્રનીલ રાજગુરુએ દાવો કર્યો હતો કે, જ્યારે બે મુખ્યમંત્રીઓ રાજકોટ આવે છે, ત્યારે પ્લેનમાં પૈસા આવે છે, અને તેમને લાવવાની મંજૂરી આપવામાં આવે છે. પંજાબથી દિલ્હી વાયા ગુજરાત નાણાં મોકલવામાં આવે છે, પરંતુ નાગરિક ઉડ્ડયન દ્વારા અટકાવવામાં આવતું નથી. મારી પાસેથી પણ પૈસા લેવાનો પ્રયાસ કરાયો હતો.






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.