આયર્લેન્ડ સામે રમાનારી T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-07-31 22:03:05

આગામી એશિયા કપ પહેલા ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં આયર્લેન્ડ અને ભારત વચ્ચે 3 ટી20 મેચનો મુકાબલો થશે એટલે કે 3 મેચની ટી20 સીરીઝ ત્યાં રમાવાની છે, અને આ માટે આજે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં મોટાભાગના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, ઉપરાંત નવા યંગ ખેલાડીઓને તક આપવામાં આવી છે. 

જસપ્રિત બુમરાહને મળી કમાન, સિનિયર ખેલાડીઓને આરામ 

આયર્લેન્ડ સામેની આ સીરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પરત ફર્યા છે અને બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી છે, એટલે કે આયર્લેન્ડ સામેની આ સીરીઝમાં જસપ્રિત બુમરાહ કેપ્ટન રહેશે, જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જો કે ઉલ્લેખનીય છે કે આ સીરીઝ પછી એશિયા કપ શરુ થવાનો છે એટલે મોટાભાગના સિનિયર ખેલાડીઓને આ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે અને નવા ખેલાડીઓ જેમ કે ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા , શિવમ દુબે, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મુકેશ કુમાર અને આવેશ ખાન જેવા ખેલાડીઓને આ સીરીઝમાં રમવાની તક આપવામાં આવી છે.

18 ઓગસ્ટથી શરુ થશે આ સીરીઝ 

આયર્લેન્ડ સામેની આ ટી20 સીરીઝ આગામી 18 ઓગસ્ટથી શરુ થવાની છે, જેમાં ત્રણેય મેચ આયર્લેન્ડના મલાહાઈડ ખાતે રમાવાની છે. આ સીરીઝની પહેલી મેચ 18 ઓગસ્ટે, બીજી મેચ 20 ઓગસ્ટે અને ત્રીજી મેચ 23 ઓગસ્ટના રોજ રમાશે. ભારતીય ટીમ જસપ્રિત બુમરાહની આગેવાનીમાં આ સીરીઝ પર કબજો કરવા સજ્જ હશે, કેમ કે આ સીરીઝમાં બુમરાહને મળેલી કેપ્ટનશીપ એ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ માટે સારા સંકેત સમાન છે. 10 મહિના બાદ ટીમમાં પરત ફરેલ જસપ્રિત બુમરાહ જો આ સીરીઝમાં સારું પ્રદર્શન કરશે તો તેઓ એશિયા કપ અને વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે, જેને લીધે ટીમ વધુ મજબૂત બનશે. છેલ્લા 10 મહિનાથી ઈજાથી પીડાતા જસપ્રિત બુમરાહ માટે આ સીરીઝ ગોલ્ડન ચાન્સ બની શકે છે. આ ઉપરાંત આ સીરીઝમાં અનુભવી ખેલાડીઓ તરીકે સંજુ સેમસન અને અર્શદીપ સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ 

જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.