આયર્લેન્ડ સામે રમાનારી T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-07-31 22:03:05

આગામી એશિયા કપ પહેલા ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં આયર્લેન્ડ અને ભારત વચ્ચે 3 ટી20 મેચનો મુકાબલો થશે એટલે કે 3 મેચની ટી20 સીરીઝ ત્યાં રમાવાની છે, અને આ માટે આજે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં મોટાભાગના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, ઉપરાંત નવા યંગ ખેલાડીઓને તક આપવામાં આવી છે. 

જસપ્રિત બુમરાહને મળી કમાન, સિનિયર ખેલાડીઓને આરામ 

આયર્લેન્ડ સામેની આ સીરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પરત ફર્યા છે અને બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી છે, એટલે કે આયર્લેન્ડ સામેની આ સીરીઝમાં જસપ્રિત બુમરાહ કેપ્ટન રહેશે, જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જો કે ઉલ્લેખનીય છે કે આ સીરીઝ પછી એશિયા કપ શરુ થવાનો છે એટલે મોટાભાગના સિનિયર ખેલાડીઓને આ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે અને નવા ખેલાડીઓ જેમ કે ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા , શિવમ દુબે, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મુકેશ કુમાર અને આવેશ ખાન જેવા ખેલાડીઓને આ સીરીઝમાં રમવાની તક આપવામાં આવી છે.

18 ઓગસ્ટથી શરુ થશે આ સીરીઝ 

આયર્લેન્ડ સામેની આ ટી20 સીરીઝ આગામી 18 ઓગસ્ટથી શરુ થવાની છે, જેમાં ત્રણેય મેચ આયર્લેન્ડના મલાહાઈડ ખાતે રમાવાની છે. આ સીરીઝની પહેલી મેચ 18 ઓગસ્ટે, બીજી મેચ 20 ઓગસ્ટે અને ત્રીજી મેચ 23 ઓગસ્ટના રોજ રમાશે. ભારતીય ટીમ જસપ્રિત બુમરાહની આગેવાનીમાં આ સીરીઝ પર કબજો કરવા સજ્જ હશે, કેમ કે આ સીરીઝમાં બુમરાહને મળેલી કેપ્ટનશીપ એ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ માટે સારા સંકેત સમાન છે. 10 મહિના બાદ ટીમમાં પરત ફરેલ જસપ્રિત બુમરાહ જો આ સીરીઝમાં સારું પ્રદર્શન કરશે તો તેઓ એશિયા કપ અને વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે, જેને લીધે ટીમ વધુ મજબૂત બનશે. છેલ્લા 10 મહિનાથી ઈજાથી પીડાતા જસપ્રિત બુમરાહ માટે આ સીરીઝ ગોલ્ડન ચાન્સ બની શકે છે. આ ઉપરાંત આ સીરીઝમાં અનુભવી ખેલાડીઓ તરીકે સંજુ સેમસન અને અર્શદીપ સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ 

જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.