દેશની આ જાયન્ટ IT કંપનીએ 600 લોકોની કરી હકાલપટ્ટી, છટણીનું કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-05 17:58:25

દેશની આઈટી જાયન્ટ ઈન્ફોસિસે ઈન્ટરનલ ફ્રેશર એસેસમેન્ટ (FA) પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સેંકડો નવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. રિપોર્ટ મુજબ, કંપનીએ ફ્રેશર્સ માટે એસેસમેન્ટ ટેસ્ટ યોજી હતી, જેમાં પાસ ન થનારા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આર્થિક મંદીના કારણે દુનિયાભરમાં કંપનીઓ છટણી કરી રહી છે. મોટી કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે તેમના કાર્યબળમાં ઘટાડો કર્યો છે.


માત્ર 60 લોકો પાસ થયા


ઓગસ્ટ 2022માં કંપનીમાં જોડાનાર એક ફ્રેશરે કહ્યું- 'મેં ગયા વર્ષે ઓગસ્ટમાં ઇન્ફોસિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને મને SAP ABAP સ્ટ્રીમ માટે તાલીમ આપવામાં આવી હતી. મારી ટીમના 150 લોકોમાંથી માત્ર 60 લોકોએ જ ફ્રેશર એસેસમેન્ટ પરીક્ષા પાસ કરી. અમને બાકીના બધાને બે અઠવાડિયા પહેલા કાઢી મૂકવામાં આવ્યા હતા.


જુલાઈમાં પણ કરાઈ હતી હકાલપટ્ટી


અગાઉની બેચ (જુલાઈ 2022માં ફ્રેશર્સ ઓનબોર્ડ) 150 ફ્રેશર્સની હતી. જેમાંથી 85 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. કંપનીએ એસેસમેન્ટ ટેસ્ટ પાસ ન કરનારા સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સૂત્રોનો દાવો છે કે ઈન્ફોસિસે ઈન્ટરનલ ટેસ્ટમાં ફેલ થયા બાદ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

બે અઠવાડિયા પહેલા, 208 ફ્રેશર્સને ફ્રેશર એસેસમેન્ટ ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. એકંદરે, છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 600 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું છે કે આંતરિક પરિક્ષામાં નાપાસ થનાર કર્મચારીઓને હંમેશા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.