દેશની આ જાયન્ટ IT કંપનીએ 600 લોકોની કરી હકાલપટ્ટી, છટણીનું કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-05 17:58:25

દેશની આઈટી જાયન્ટ ઈન્ફોસિસે ઈન્ટરનલ ફ્રેશર એસેસમેન્ટ (FA) પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સેંકડો નવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. રિપોર્ટ મુજબ, કંપનીએ ફ્રેશર્સ માટે એસેસમેન્ટ ટેસ્ટ યોજી હતી, જેમાં પાસ ન થનારા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આર્થિક મંદીના કારણે દુનિયાભરમાં કંપનીઓ છટણી કરી રહી છે. મોટી કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે તેમના કાર્યબળમાં ઘટાડો કર્યો છે.


માત્ર 60 લોકો પાસ થયા


ઓગસ્ટ 2022માં કંપનીમાં જોડાનાર એક ફ્રેશરે કહ્યું- 'મેં ગયા વર્ષે ઓગસ્ટમાં ઇન્ફોસિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને મને SAP ABAP સ્ટ્રીમ માટે તાલીમ આપવામાં આવી હતી. મારી ટીમના 150 લોકોમાંથી માત્ર 60 લોકોએ જ ફ્રેશર એસેસમેન્ટ પરીક્ષા પાસ કરી. અમને બાકીના બધાને બે અઠવાડિયા પહેલા કાઢી મૂકવામાં આવ્યા હતા.


જુલાઈમાં પણ કરાઈ હતી હકાલપટ્ટી


અગાઉની બેચ (જુલાઈ 2022માં ફ્રેશર્સ ઓનબોર્ડ) 150 ફ્રેશર્સની હતી. જેમાંથી 85 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. કંપનીએ એસેસમેન્ટ ટેસ્ટ પાસ ન કરનારા સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સૂત્રોનો દાવો છે કે ઈન્ફોસિસે ઈન્ટરનલ ટેસ્ટમાં ફેલ થયા બાદ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

બે અઠવાડિયા પહેલા, 208 ફ્રેશર્સને ફ્રેશર એસેસમેન્ટ ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. એકંદરે, છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 600 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું છે કે આંતરિક પરિક્ષામાં નાપાસ થનાર કર્મચારીઓને હંમેશા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.