દેશની આ જાયન્ટ IT કંપનીએ 600 લોકોની કરી હકાલપટ્ટી, છટણીનું કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-05 17:58:25

દેશની આઈટી જાયન્ટ ઈન્ફોસિસે ઈન્ટરનલ ફ્રેશર એસેસમેન્ટ (FA) પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સેંકડો નવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. રિપોર્ટ મુજબ, કંપનીએ ફ્રેશર્સ માટે એસેસમેન્ટ ટેસ્ટ યોજી હતી, જેમાં પાસ ન થનારા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આર્થિક મંદીના કારણે દુનિયાભરમાં કંપનીઓ છટણી કરી રહી છે. મોટી કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે તેમના કાર્યબળમાં ઘટાડો કર્યો છે.


માત્ર 60 લોકો પાસ થયા


ઓગસ્ટ 2022માં કંપનીમાં જોડાનાર એક ફ્રેશરે કહ્યું- 'મેં ગયા વર્ષે ઓગસ્ટમાં ઇન્ફોસિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને મને SAP ABAP સ્ટ્રીમ માટે તાલીમ આપવામાં આવી હતી. મારી ટીમના 150 લોકોમાંથી માત્ર 60 લોકોએ જ ફ્રેશર એસેસમેન્ટ પરીક્ષા પાસ કરી. અમને બાકીના બધાને બે અઠવાડિયા પહેલા કાઢી મૂકવામાં આવ્યા હતા.


જુલાઈમાં પણ કરાઈ હતી હકાલપટ્ટી


અગાઉની બેચ (જુલાઈ 2022માં ફ્રેશર્સ ઓનબોર્ડ) 150 ફ્રેશર્સની હતી. જેમાંથી 85 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. કંપનીએ એસેસમેન્ટ ટેસ્ટ પાસ ન કરનારા સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સૂત્રોનો દાવો છે કે ઈન્ફોસિસે ઈન્ટરનલ ટેસ્ટમાં ફેલ થયા બાદ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

બે અઠવાડિયા પહેલા, 208 ફ્રેશર્સને ફ્રેશર એસેસમેન્ટ ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. એકંદરે, છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 600 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું છે કે આંતરિક પરિક્ષામાં નાપાસ થનાર કર્મચારીઓને હંમેશા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.