રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ વધી, સરકારે વિધાનસભામાં આપી આ જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-24 16:52:42

રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ આજે વિધાનસભામાં કસ્ટોડિયન ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બે વર્ષમાં રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના કેટલા બનાવો બન્યા તે અંગે સવાલ કર્યો હતો.


જેલોમાં કેટલા કસ્ટોડીયલ ડેથ થયા?


કોગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં સરકારને સવાલ કર્યો હતો કે બે વર્ષમાં પોલીસ કસ્ટડી અને રાજ્યની જેલમાં સજા ભોગવતા કેટલા કેદીઓના મોત થયા છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ તે પણ કર્યો હતો કે કસ્ટોડિયલ ડેથના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કેવા કેવા પગલા રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે. તેમણે સરકારને તે પ્રશ્ન પણ પુછ્યો હતો કે કસ્ટોડિયલ ડેથ થયેલા કેદીઓને કેટલી સહાય ચુકવવામાં આવી છે અને કેટલી સહાય ચુકવવાની બાકી છે?


સરકારે આપ્યો આ જવાબ


સરકારે અર્જુન મોઢવાડીયાના સવાલનો જવાબ આપતાં જણાવ્યુ હતું કે, ગુજરાત રાજયમા 2021માં પોલીસ કસ્ટોડિયન્સમાં 21 અને જેલ કસ્ટોડિયલ 79 મોત નોધાયા છે. વર્ષ 2022માં પોલીસ કસ્ટોડિયાના 14 અને જેલ કસ્ટડીમાં 75 મોત નોંધાયા છે. આમ છેલ્લા બે વર્ષ દરમિયાન 189 જેટલા કસ્ટોડિયલ ડેથ સરકારી ચોપડે નોધાયા છે. 31 માર્ચ 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં થયેલા કસ્ટોડિયલ ડેથમા 2022 ના વર્ષ દરમિયાન 89 જેટલા કસ્ટોડિયન ડેથ નોંધાયા છે આ તમામના વારસદારોને 17 લાખની ચુકવણી કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારે સ્વિકાર્યુ છે.


કેટલા અધિકારીઓ સામે કાર્યવાહી?


આ સિવાય કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારીઓ સામે ફરજ મોકુફી ખાતાકીય રાહે શિક્ષા, ખાતાકીય તપાસ,જવાબદાર વિરોધ ગુનાઓ નોંધવામાં આવેલા છે. કેટલાક કિસ્સામાં પોલીસ અધિકારી કે કર્મચારીને ફરજમાંથી મુક્ત કરવાની સજા કરવામાં આવી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે