રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ વધી, સરકારે વિધાનસભામાં આપી આ જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-24 16:52:42

રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ આજે વિધાનસભામાં કસ્ટોડિયન ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બે વર્ષમાં રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના કેટલા બનાવો બન્યા તે અંગે સવાલ કર્યો હતો.


જેલોમાં કેટલા કસ્ટોડીયલ ડેથ થયા?


કોગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં સરકારને સવાલ કર્યો હતો કે બે વર્ષમાં પોલીસ કસ્ટડી અને રાજ્યની જેલમાં સજા ભોગવતા કેટલા કેદીઓના મોત થયા છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ તે પણ કર્યો હતો કે કસ્ટોડિયલ ડેથના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કેવા કેવા પગલા રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે. તેમણે સરકારને તે પ્રશ્ન પણ પુછ્યો હતો કે કસ્ટોડિયલ ડેથ થયેલા કેદીઓને કેટલી સહાય ચુકવવામાં આવી છે અને કેટલી સહાય ચુકવવાની બાકી છે?


સરકારે આપ્યો આ જવાબ


સરકારે અર્જુન મોઢવાડીયાના સવાલનો જવાબ આપતાં જણાવ્યુ હતું કે, ગુજરાત રાજયમા 2021માં પોલીસ કસ્ટોડિયન્સમાં 21 અને જેલ કસ્ટોડિયલ 79 મોત નોધાયા છે. વર્ષ 2022માં પોલીસ કસ્ટોડિયાના 14 અને જેલ કસ્ટડીમાં 75 મોત નોંધાયા છે. આમ છેલ્લા બે વર્ષ દરમિયાન 189 જેટલા કસ્ટોડિયલ ડેથ સરકારી ચોપડે નોધાયા છે. 31 માર્ચ 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં થયેલા કસ્ટોડિયલ ડેથમા 2022 ના વર્ષ દરમિયાન 89 જેટલા કસ્ટોડિયન ડેથ નોંધાયા છે આ તમામના વારસદારોને 17 લાખની ચુકવણી કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારે સ્વિકાર્યુ છે.


કેટલા અધિકારીઓ સામે કાર્યવાહી?


આ સિવાય કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારીઓ સામે ફરજ મોકુફી ખાતાકીય રાહે શિક્ષા, ખાતાકીય તપાસ,જવાબદાર વિરોધ ગુનાઓ નોંધવામાં આવેલા છે. કેટલાક કિસ્સામાં પોલીસ અધિકારી કે કર્મચારીને ફરજમાંથી મુક્ત કરવાની સજા કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.