રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ વધી, સરકારે વિધાનસભામાં આપી આ જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-24 16:52:42

રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ આજે વિધાનસભામાં કસ્ટોડિયન ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બે વર્ષમાં રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના કેટલા બનાવો બન્યા તે અંગે સવાલ કર્યો હતો.


જેલોમાં કેટલા કસ્ટોડીયલ ડેથ થયા?


કોગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં સરકારને સવાલ કર્યો હતો કે બે વર્ષમાં પોલીસ કસ્ટડી અને રાજ્યની જેલમાં સજા ભોગવતા કેટલા કેદીઓના મોત થયા છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ તે પણ કર્યો હતો કે કસ્ટોડિયલ ડેથના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કેવા કેવા પગલા રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે. તેમણે સરકારને તે પ્રશ્ન પણ પુછ્યો હતો કે કસ્ટોડિયલ ડેથ થયેલા કેદીઓને કેટલી સહાય ચુકવવામાં આવી છે અને કેટલી સહાય ચુકવવાની બાકી છે?


સરકારે આપ્યો આ જવાબ


સરકારે અર્જુન મોઢવાડીયાના સવાલનો જવાબ આપતાં જણાવ્યુ હતું કે, ગુજરાત રાજયમા 2021માં પોલીસ કસ્ટોડિયન્સમાં 21 અને જેલ કસ્ટોડિયલ 79 મોત નોધાયા છે. વર્ષ 2022માં પોલીસ કસ્ટોડિયાના 14 અને જેલ કસ્ટડીમાં 75 મોત નોંધાયા છે. આમ છેલ્લા બે વર્ષ દરમિયાન 189 જેટલા કસ્ટોડિયલ ડેથ સરકારી ચોપડે નોધાયા છે. 31 માર્ચ 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં થયેલા કસ્ટોડિયલ ડેથમા 2022 ના વર્ષ દરમિયાન 89 જેટલા કસ્ટોડિયન ડેથ નોંધાયા છે આ તમામના વારસદારોને 17 લાખની ચુકવણી કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારે સ્વિકાર્યુ છે.


કેટલા અધિકારીઓ સામે કાર્યવાહી?


આ સિવાય કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારીઓ સામે ફરજ મોકુફી ખાતાકીય રાહે શિક્ષા, ખાતાકીય તપાસ,જવાબદાર વિરોધ ગુનાઓ નોંધવામાં આવેલા છે. કેટલાક કિસ્સામાં પોલીસ અધિકારી કે કર્મચારીને ફરજમાંથી મુક્ત કરવાની સજા કરવામાં આવી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.