અમદાવાદમાં આજથી શરૂ થયો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ


  • Published By :
  • Published Date : 2023-01-08 13:41:55

ગુજરાતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક તહેવારની ઉજવણી માટે પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે આજથી ઈન્ટરનેશન કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ પતંગોત્સવ 8 જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. એક અંદાજ પ્રમાણે આ કાઈટ ફેસ્ટિવલમાં 22 શહેરોના પતંગબાજો ભાગ લેવા આવી રહ્યા છે. ઉપરાંત 53 દેશોથી પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેવા આવવાના છે.




કોરોના સંક્રમણ ઘટતા કરાયું આયોજન

કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક વર્ષોથી કોઈ મોટા આયોજનો કરવામાં આવ્યા ન હતા. કોરોના ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે કોરોના સંક્રમણ કાબુમાં હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન આ વર્ષે કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પતંગ મહોત્સવમાં વિશ્વના 68 દેશોના 126 પતંગબાજોએ અને ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજોએ ભાગ લીધો છે. ઉપરાંત આ વખતે G-20ની થીમ રાખવામાં આવી હતી. 


14 જાન્યુઆરી સુધી ચાલશે પતંગોત્સવ

તે સિવાય આ વખતે ઈન્ટનેશનલ કાઈટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ દેશોથી પતંગબાજો પોતાની કળા બતાવવા આ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે ઉપરાંત રાજ્યના પણ વિવિધ શહેરોથી પતંગબાજો પેચ લડાવવા આવવાના છે. આ કાઈટ ફેસ્ટિવલ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.