અમદાવાદમાં આજથી શરૂ થયો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ


  • Published By :
  • Published Date : 2023-01-08 13:41:55

ગુજરાતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક તહેવારની ઉજવણી માટે પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે આજથી ઈન્ટરનેશન કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ પતંગોત્સવ 8 જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. એક અંદાજ પ્રમાણે આ કાઈટ ફેસ્ટિવલમાં 22 શહેરોના પતંગબાજો ભાગ લેવા આવી રહ્યા છે. ઉપરાંત 53 દેશોથી પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેવા આવવાના છે.




કોરોના સંક્રમણ ઘટતા કરાયું આયોજન

કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક વર્ષોથી કોઈ મોટા આયોજનો કરવામાં આવ્યા ન હતા. કોરોના ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે કોરોના સંક્રમણ કાબુમાં હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન આ વર્ષે કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પતંગ મહોત્સવમાં વિશ્વના 68 દેશોના 126 પતંગબાજોએ અને ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજોએ ભાગ લીધો છે. ઉપરાંત આ વખતે G-20ની થીમ રાખવામાં આવી હતી. 


14 જાન્યુઆરી સુધી ચાલશે પતંગોત્સવ

તે સિવાય આ વખતે ઈન્ટનેશનલ કાઈટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ દેશોથી પતંગબાજો પોતાની કળા બતાવવા આ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે ઉપરાંત રાજ્યના પણ વિવિધ શહેરોથી પતંગબાજો પેચ લડાવવા આવવાના છે. આ કાઈટ ફેસ્ટિવલ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.