અમદાવાદમાં આજથી શરૂ થયો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ


  • Published By :
  • Published Date : 2023-01-08 13:41:55

ગુજરાતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક તહેવારની ઉજવણી માટે પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે આજથી ઈન્ટરનેશન કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ પતંગોત્સવ 8 જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. એક અંદાજ પ્રમાણે આ કાઈટ ફેસ્ટિવલમાં 22 શહેરોના પતંગબાજો ભાગ લેવા આવી રહ્યા છે. ઉપરાંત 53 દેશોથી પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેવા આવવાના છે.




કોરોના સંક્રમણ ઘટતા કરાયું આયોજન

કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક વર્ષોથી કોઈ મોટા આયોજનો કરવામાં આવ્યા ન હતા. કોરોના ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે કોરોના સંક્રમણ કાબુમાં હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન આ વર્ષે કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પતંગ મહોત્સવમાં વિશ્વના 68 દેશોના 126 પતંગબાજોએ અને ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજોએ ભાગ લીધો છે. ઉપરાંત આ વખતે G-20ની થીમ રાખવામાં આવી હતી. 


14 જાન્યુઆરી સુધી ચાલશે પતંગોત્સવ

તે સિવાય આ વખતે ઈન્ટનેશનલ કાઈટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ દેશોથી પતંગબાજો પોતાની કળા બતાવવા આ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે ઉપરાંત રાજ્યના પણ વિવિધ શહેરોથી પતંગબાજો પેચ લડાવવા આવવાના છે. આ કાઈટ ફેસ્ટિવલ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.