અમદાવાદમાં આજથી શરૂ થયો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ


  • Published By :
  • Published Date : 2023-01-08 13:41:55

ગુજરાતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક તહેવારની ઉજવણી માટે પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે આજથી ઈન્ટરનેશન કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ પતંગોત્સવ 8 જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. એક અંદાજ પ્રમાણે આ કાઈટ ફેસ્ટિવલમાં 22 શહેરોના પતંગબાજો ભાગ લેવા આવી રહ્યા છે. ઉપરાંત 53 દેશોથી પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેવા આવવાના છે.




કોરોના સંક્રમણ ઘટતા કરાયું આયોજન

કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક વર્ષોથી કોઈ મોટા આયોજનો કરવામાં આવ્યા ન હતા. કોરોના ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે કોરોના સંક્રમણ કાબુમાં હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન આ વર્ષે કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પતંગ મહોત્સવમાં વિશ્વના 68 દેશોના 126 પતંગબાજોએ અને ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજોએ ભાગ લીધો છે. ઉપરાંત આ વખતે G-20ની થીમ રાખવામાં આવી હતી. 


14 જાન્યુઆરી સુધી ચાલશે પતંગોત્સવ

તે સિવાય આ વખતે ઈન્ટનેશનલ કાઈટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ દેશોથી પતંગબાજો પોતાની કળા બતાવવા આ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે ઉપરાંત રાજ્યના પણ વિવિધ શહેરોથી પતંગબાજો પેચ લડાવવા આવવાના છે. આ કાઈટ ફેસ્ટિવલ 14 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.