IPL 2025ની પ્રથમ મેચમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ 22 મી માર્ચના ટકરાશે


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-19 16:09:38

ક્રિકેટ રસિયાઓ માટેનો મુખ્ય જમાવડો એટલે IPL. આ વખતની IPL 2025નો 22 માર્ચથી કલાકારો વિશેષની પ્રસ્તુતિથી ભવ્ય પ્રારંભ થશે.22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે   BCCI  IPLના 18 વર્ષ પૂર્ણ થવાના અવસરે IPLની મેચ 13 અલગ અલગ સ્થળોએ આયોજન કરવાના છે. IPLઆ સિઝનમાં જે પણ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે ત્યાં મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે.

દરેક મેચ પહેલા સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ સાથે ઉદ્દઘાટન સમારંભ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કલાકારો આ સમારોહમાં  પ્રસ્તુતિ રજૂ કરે તેવું પ્લાનિંગ કરાઇ રહ્યું છે 

આ IPL 2025માં 10 ટીમો રમી રહી છે.જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ચેન્નાઈ સુપર કિંગ્સ,ગુજરાત ટાઈટન્સ,કોલકત્તા નાઈટ રાઈડર્સ,દિલ્હી કેપિટલ્સ,લખનૌ સુપર જાયન્ટ્સ,પંજાબ કિંગ્સ,સંરાઇઝર્સ હૈદરાબાદ,રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો સમાવેશ થાય છે    

IPL 2025ની શરૂઆત કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે થશે. આ મેચ 22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે જેની પૃષ્ટિ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB ચેરમેન સ્નેહાશીષ ગાંગુલીએ કરી છે. આ મેચની ટિકિટોની ડિમાન્ડ વધારે છે અને લાંબા સમય બાદ કોલકાતામાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ IPLની 18મી સીઝનમાં પોતાની પહેલી મેચ તેના કેપ્ટન હાર્દિક પંડ્યા વિના રમશે. આવી સ્થિતિમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રથમ મેચ માટે કયાં ખેલાડીને કેપ્ટનશીપની જવાબદારી મળશે. હવે હાર્દિક પંડ્યાએ પોતે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ પછી સ્લોઓવર રેટને કારણે હાર્દિક પંડ્યા પર ગત આઈપીએલ સીઝનમાં એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે આ સીઝનની પહેલી મેચ રમી શકશે નહીં.



      IPLની મોટા ભાગની ટીમોની ભારતીય માલિકીની મોટી કંપનીઓ પાસે છે.ભારતના સૌથી ધનવાન વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુંબઈ ઈન્ડિયન ટીમની માલિક છે. જ્યારે ઈન્ડિયા સિમેન્ટના કે. શ્રીનિવાસન અને તેના પરિવાર પાસે ચેન્નઈ સુપર કિંગ્સની માલિકી છે. લખનૌ સુપર જાયન્ટ્સની માલિકી સંજીવ ગોયનકાના RPSG ગ્રુપ પાસે છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની માલિકી યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસે અને સનરાઈઝર્સ હૈદરાબાદનું સ્વામિત્વ સન ગ્રુપ પાસે છે.





ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.