IPL 2025ની પ્રથમ મેચમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ 22 મી માર્ચના ટકરાશે


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-19 16:09:38

ક્રિકેટ રસિયાઓ માટેનો મુખ્ય જમાવડો એટલે IPL. આ વખતની IPL 2025નો 22 માર્ચથી કલાકારો વિશેષની પ્રસ્તુતિથી ભવ્ય પ્રારંભ થશે.22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે   BCCI  IPLના 18 વર્ષ પૂર્ણ થવાના અવસરે IPLની મેચ 13 અલગ અલગ સ્થળોએ આયોજન કરવાના છે. IPLઆ સિઝનમાં જે પણ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે ત્યાં મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે.

દરેક મેચ પહેલા સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ સાથે ઉદ્દઘાટન સમારંભ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કલાકારો આ સમારોહમાં  પ્રસ્તુતિ રજૂ કરે તેવું પ્લાનિંગ કરાઇ રહ્યું છે 

આ IPL 2025માં 10 ટીમો રમી રહી છે.જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ચેન્નાઈ સુપર કિંગ્સ,ગુજરાત ટાઈટન્સ,કોલકત્તા નાઈટ રાઈડર્સ,દિલ્હી કેપિટલ્સ,લખનૌ સુપર જાયન્ટ્સ,પંજાબ કિંગ્સ,સંરાઇઝર્સ હૈદરાબાદ,રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો સમાવેશ થાય છે    

IPL 2025ની શરૂઆત કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે થશે. આ મેચ 22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે જેની પૃષ્ટિ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB ચેરમેન સ્નેહાશીષ ગાંગુલીએ કરી છે. આ મેચની ટિકિટોની ડિમાન્ડ વધારે છે અને લાંબા સમય બાદ કોલકાતામાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ IPLની 18મી સીઝનમાં પોતાની પહેલી મેચ તેના કેપ્ટન હાર્દિક પંડ્યા વિના રમશે. આવી સ્થિતિમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રથમ મેચ માટે કયાં ખેલાડીને કેપ્ટનશીપની જવાબદારી મળશે. હવે હાર્દિક પંડ્યાએ પોતે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ પછી સ્લોઓવર રેટને કારણે હાર્દિક પંડ્યા પર ગત આઈપીએલ સીઝનમાં એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે આ સીઝનની પહેલી મેચ રમી શકશે નહીં.



      IPLની મોટા ભાગની ટીમોની ભારતીય માલિકીની મોટી કંપનીઓ પાસે છે.ભારતના સૌથી ધનવાન વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુંબઈ ઈન્ડિયન ટીમની માલિક છે. જ્યારે ઈન્ડિયા સિમેન્ટના કે. શ્રીનિવાસન અને તેના પરિવાર પાસે ચેન્નઈ સુપર કિંગ્સની માલિકી છે. લખનૌ સુપર જાયન્ટ્સની માલિકી સંજીવ ગોયનકાના RPSG ગ્રુપ પાસે છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની માલિકી યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસે અને સનરાઈઝર્સ હૈદરાબાદનું સ્વામિત્વ સન ગ્રુપ પાસે છે.





રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.