IPL 2025ની પ્રથમ મેચમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ 22 મી માર્ચના ટકરાશે


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-19 16:09:38

ક્રિકેટ રસિયાઓ માટેનો મુખ્ય જમાવડો એટલે IPL. આ વખતની IPL 2025નો 22 માર્ચથી કલાકારો વિશેષની પ્રસ્તુતિથી ભવ્ય પ્રારંભ થશે.22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે   BCCI  IPLના 18 વર્ષ પૂર્ણ થવાના અવસરે IPLની મેચ 13 અલગ અલગ સ્થળોએ આયોજન કરવાના છે. IPLઆ સિઝનમાં જે પણ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે ત્યાં મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે.

દરેક મેચ પહેલા સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ સાથે ઉદ્દઘાટન સમારંભ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કલાકારો આ સમારોહમાં  પ્રસ્તુતિ રજૂ કરે તેવું પ્લાનિંગ કરાઇ રહ્યું છે 

આ IPL 2025માં 10 ટીમો રમી રહી છે.જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ચેન્નાઈ સુપર કિંગ્સ,ગુજરાત ટાઈટન્સ,કોલકત્તા નાઈટ રાઈડર્સ,દિલ્હી કેપિટલ્સ,લખનૌ સુપર જાયન્ટ્સ,પંજાબ કિંગ્સ,સંરાઇઝર્સ હૈદરાબાદ,રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો સમાવેશ થાય છે    

IPL 2025ની શરૂઆત કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે થશે. આ મેચ 22 માર્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે જેની પૃષ્ટિ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CAB ચેરમેન સ્નેહાશીષ ગાંગુલીએ કરી છે. આ મેચની ટિકિટોની ડિમાન્ડ વધારે છે અને લાંબા સમય બાદ કોલકાતામાં IPLની ઓપનિંગ સેરેમની યોજાશે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ IPLની 18મી સીઝનમાં પોતાની પહેલી મેચ તેના કેપ્ટન હાર્દિક પંડ્યા વિના રમશે. આવી સ્થિતિમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રથમ મેચ માટે કયાં ખેલાડીને કેપ્ટનશીપની જવાબદારી મળશે. હવે હાર્દિક પંડ્યાએ પોતે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ પછી સ્લોઓવર રેટને કારણે હાર્દિક પંડ્યા પર ગત આઈપીએલ સીઝનમાં એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે આ સીઝનની પહેલી મેચ રમી શકશે નહીં.



      IPLની મોટા ભાગની ટીમોની ભારતીય માલિકીની મોટી કંપનીઓ પાસે છે.ભારતના સૌથી ધનવાન વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુંબઈ ઈન્ડિયન ટીમની માલિક છે. જ્યારે ઈન્ડિયા સિમેન્ટના કે. શ્રીનિવાસન અને તેના પરિવાર પાસે ચેન્નઈ સુપર કિંગ્સની માલિકી છે. લખનૌ સુપર જાયન્ટ્સની માલિકી સંજીવ ગોયનકાના RPSG ગ્રુપ પાસે છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની માલિકી યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસે અને સનરાઈઝર્સ હૈદરાબાદનું સ્વામિત્વ સન ગ્રુપ પાસે છે.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.