IPL Match: 28મીની ટિકિટ આવી કન્ડિશનમાં હશે તો જ સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી! ટિકિટને લઈ બહાર પાડવામાં આવી ગાઈડલાઈન્સ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-05-29 13:45:22

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની હતી. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કાંટાની ટક્કર થવાની હતી પરંતુ અચાનક આવેલા વરસાદને કારણે મેચ યોજાઈ ન હતી. મેચ કેન્સલ થતાં ક્રિકેટ ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. ફાઈનલ મેચને જોવા હજારો રુપિયાની ટિકિટ દર્શકોએ લીધી હતી. પરંતુ મેચ કેન્સલ થતાં લાગતું હતું કે ટિકિટના પૈસા વેડફાઈ ગયા. પરંતુ નવી ટિકિટ લીધા વગર પણ દર્શકો આજે મેચ જોવા જઈ શકે છે. ટિકિટ સાથે સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે પરંતુ અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. મહત્વનું છે કે આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  


ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી જાણકારી! 

ટિકિટને લઈ દર્શકોમાં અસમંજસની સ્થિતિનું નિર્માણ થયું હતું. કઈ ટિકિટ એન્ટ્રી માટે ચાલશે તે અંગે આઈપીએલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે પોસ્ટ કરવામાં આવી છે. કઈ ટિકિટ માન્ય રહેશે અને જે દર્શકોએ ટિકિટ સાચવીને રાખી છે અને તેની સ્થિતિ કેવી છે તે અંગે માહિતી આપવામાં આવી છે. ટિકિટને લઈ કેટલાક નિયમો સ્પષ્ટ રજૂ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે દર્શકોએ ટિકિટ નથી સાચવી તે મેચ જોવા જઈ શકશે નહીં. 


ફોટો શેર કરી આપી માહિતી! 

જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં દર્શાવામાં આવ્યું છે કે કઈ ટિકિટ માન્ય રાખવામાં આવશે. જે ટિકિટ દર્શકોએ ખરીદી હોય અને તેમની ફિઝિકલ ટિકિટની નીચે આપેલો કોડ તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે સંપૂર્ણ દેખાતો હોય પરંતુ ટિકિટ ફોટેલી હોય તો પણ તેમને એન્ટ્રી મળી શકશે. એટલે કે કોડ સંપૂર્ણ દેખાતો હોય તો ટિકિટની વિગતોના આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી શકશે. આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મેચ રમાશે છે કે નહીં તે પ્રશ્ન છે?   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.