IPL Match: 28મીની ટિકિટ આવી કન્ડિશનમાં હશે તો જ સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી! ટિકિટને લઈ બહાર પાડવામાં આવી ગાઈડલાઈન્સ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-05-29 13:45:22

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની હતી. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કાંટાની ટક્કર થવાની હતી પરંતુ અચાનક આવેલા વરસાદને કારણે મેચ યોજાઈ ન હતી. મેચ કેન્સલ થતાં ક્રિકેટ ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. ફાઈનલ મેચને જોવા હજારો રુપિયાની ટિકિટ દર્શકોએ લીધી હતી. પરંતુ મેચ કેન્સલ થતાં લાગતું હતું કે ટિકિટના પૈસા વેડફાઈ ગયા. પરંતુ નવી ટિકિટ લીધા વગર પણ દર્શકો આજે મેચ જોવા જઈ શકે છે. ટિકિટ સાથે સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે પરંતુ અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. મહત્વનું છે કે આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  


ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી જાણકારી! 

ટિકિટને લઈ દર્શકોમાં અસમંજસની સ્થિતિનું નિર્માણ થયું હતું. કઈ ટિકિટ એન્ટ્રી માટે ચાલશે તે અંગે આઈપીએલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે પોસ્ટ કરવામાં આવી છે. કઈ ટિકિટ માન્ય રહેશે અને જે દર્શકોએ ટિકિટ સાચવીને રાખી છે અને તેની સ્થિતિ કેવી છે તે અંગે માહિતી આપવામાં આવી છે. ટિકિટને લઈ કેટલાક નિયમો સ્પષ્ટ રજૂ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે દર્શકોએ ટિકિટ નથી સાચવી તે મેચ જોવા જઈ શકશે નહીં. 


ફોટો શેર કરી આપી માહિતી! 

જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં દર્શાવામાં આવ્યું છે કે કઈ ટિકિટ માન્ય રાખવામાં આવશે. જે ટિકિટ દર્શકોએ ખરીદી હોય અને તેમની ફિઝિકલ ટિકિટની નીચે આપેલો કોડ તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે સંપૂર્ણ દેખાતો હોય પરંતુ ટિકિટ ફોટેલી હોય તો પણ તેમને એન્ટ્રી મળી શકશે. એટલે કે કોડ સંપૂર્ણ દેખાતો હોય તો ટિકિટની વિગતોના આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી શકશે. આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મેચ રમાશે છે કે નહીં તે પ્રશ્ન છે?   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.