IPL Match: 28મીની ટિકિટ આવી કન્ડિશનમાં હશે તો જ સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી! ટિકિટને લઈ બહાર પાડવામાં આવી ગાઈડલાઈન્સ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-05-29 13:45:22

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની હતી. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કાંટાની ટક્કર થવાની હતી પરંતુ અચાનક આવેલા વરસાદને કારણે મેચ યોજાઈ ન હતી. મેચ કેન્સલ થતાં ક્રિકેટ ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. ફાઈનલ મેચને જોવા હજારો રુપિયાની ટિકિટ દર્શકોએ લીધી હતી. પરંતુ મેચ કેન્સલ થતાં લાગતું હતું કે ટિકિટના પૈસા વેડફાઈ ગયા. પરંતુ નવી ટિકિટ લીધા વગર પણ દર્શકો આજે મેચ જોવા જઈ શકે છે. ટિકિટ સાથે સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે પરંતુ અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. મહત્વનું છે કે આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  


ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી જાણકારી! 

ટિકિટને લઈ દર્શકોમાં અસમંજસની સ્થિતિનું નિર્માણ થયું હતું. કઈ ટિકિટ એન્ટ્રી માટે ચાલશે તે અંગે આઈપીએલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે પોસ્ટ કરવામાં આવી છે. કઈ ટિકિટ માન્ય રહેશે અને જે દર્શકોએ ટિકિટ સાચવીને રાખી છે અને તેની સ્થિતિ કેવી છે તે અંગે માહિતી આપવામાં આવી છે. ટિકિટને લઈ કેટલાક નિયમો સ્પષ્ટ રજૂ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે દર્શકોએ ટિકિટ નથી સાચવી તે મેચ જોવા જઈ શકશે નહીં. 


ફોટો શેર કરી આપી માહિતી! 

જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં દર્શાવામાં આવ્યું છે કે કઈ ટિકિટ માન્ય રાખવામાં આવશે. જે ટિકિટ દર્શકોએ ખરીદી હોય અને તેમની ફિઝિકલ ટિકિટની નીચે આપેલો કોડ તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે સંપૂર્ણ દેખાતો હોય પરંતુ ટિકિટ ફોટેલી હોય તો પણ તેમને એન્ટ્રી મળી શકશે. એટલે કે કોડ સંપૂર્ણ દેખાતો હોય તો ટિકિટની વિગતોના આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી શકશે. આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મેચ રમાશે છે કે નહીં તે પ્રશ્ન છે?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.