જુનિયર ક્લાર્કની પરીક્ષાની વાઈરલ થયેલી તારીખ અંગે હસમુખ પટેલે કર્યો આ ખુલાસો, જાણો શું ટ્વીટ કર્યું?


  • Published By :
  • Published Date : 2023-02-15 19:04:10

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ગત જાન્યુઆરી મહિનામાં ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકારે સરકારે સમગ્ર મામલે 100 દિવસમાં ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની ખોટી તારીખ વાઈરલ થઈ હતી. જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9 એપ્રિલ 2023ના રોજ યોજાશે તેવી ખોટી માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. જો કે હવે આ અંગે IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે.


હસમુખ પટેલે શું ટ્વિટ કર્યું?


જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સંભાળી રહેલા IPS અધિકારી હસમુખ પટેલે પરીક્ષાની તારીખને લઈ ટ્વિટ કર્યું છે. તે ઉપરાંત ગુજરાત પંચાયત સેવા મંડળે પણ ખુલાસો કરીને જણાવ્યું છે કે અમે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેર કરી નથી. વધુમાં જણાવ્યું કે, આ વાયરલ તારીખમાં કોઈ તથ્ય નથી અને અમે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરી નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.