જુનિયર ક્લાર્કની પરીક્ષાની વાઈરલ થયેલી તારીખ અંગે હસમુખ પટેલે કર્યો આ ખુલાસો, જાણો શું ટ્વીટ કર્યું?


  • Published By :
  • Published Date : 2023-02-15 19:04:10

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ગત જાન્યુઆરી મહિનામાં ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકારે સરકારે સમગ્ર મામલે 100 દિવસમાં ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની ખોટી તારીખ વાઈરલ થઈ હતી. જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9 એપ્રિલ 2023ના રોજ યોજાશે તેવી ખોટી માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. જો કે હવે આ અંગે IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે.


હસમુખ પટેલે શું ટ્વિટ કર્યું?


જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સંભાળી રહેલા IPS અધિકારી હસમુખ પટેલે પરીક્ષાની તારીખને લઈ ટ્વિટ કર્યું છે. તે ઉપરાંત ગુજરાત પંચાયત સેવા મંડળે પણ ખુલાસો કરીને જણાવ્યું છે કે અમે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેર કરી નથી. વધુમાં જણાવ્યું કે, આ વાયરલ તારીખમાં કોઈ તથ્ય નથી અને અમે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરી નથી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.