જુનિયર ક્લાર્કની પરીક્ષાની વાઈરલ થયેલી તારીખ અંગે હસમુખ પટેલે કર્યો આ ખુલાસો, જાણો શું ટ્વીટ કર્યું?


  • Published By :
  • Published Date : 2023-02-15 19:04:10

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ગત જાન્યુઆરી મહિનામાં ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકારે સરકારે સમગ્ર મામલે 100 દિવસમાં ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની ખોટી તારીખ વાઈરલ થઈ હતી. જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9 એપ્રિલ 2023ના રોજ યોજાશે તેવી ખોટી માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. જો કે હવે આ અંગે IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે.


હસમુખ પટેલે શું ટ્વિટ કર્યું?


જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સંભાળી રહેલા IPS અધિકારી હસમુખ પટેલે પરીક્ષાની તારીખને લઈ ટ્વિટ કર્યું છે. તે ઉપરાંત ગુજરાત પંચાયત સેવા મંડળે પણ ખુલાસો કરીને જણાવ્યું છે કે અમે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેર કરી નથી. વધુમાં જણાવ્યું કે, આ વાયરલ તારીખમાં કોઈ તથ્ય નથી અને અમે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરી નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.