ઈરફાન પઠાણના પુત્રએ પઠાણના ઝુમે જો પઠાણ ગીત પર કર્યો ડાન્સ, શાહરૂખ ખાને ડાન્સના કર્યા વખાણ


  • Published By :
  • Published Date : 2023-03-23 15:38:56

થોડા સમય પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવી હતી. બોક્સઓફિસ પર આ ફિલ્મે ધમાલ મચાવી હતી. ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા હતા. ફિલ્મના ગીતોને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા  ત્યારે પઠાણ ફિલ્મનું ગીત ઝુમે જો પઠાણ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આમ તો આ સોન્ગ પર અનેક રિલ્સ તેમજ વીડિયો બન્યા છે ત્યારે ક્રિકેટર ઈરફાન પઠાણે પોતોના દીકરાનો એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ જોવાનો પસંદ આવી રહ્યો છે. વીડિયોને જોઈ અનેક લોકોએ રિએક્શન આપ્યા છે પરંતુ એસઆરકેએ પણ આ ડાન્સ પર રિએક્શન આપ્યું છે.


ઝુમે જો પઠાણ સોન્ગ પર ઝૂમ્યો ઈરફાન પઠાણનો દીકરો  

પઠાણ ફિલ્મનો ક્રેઝ દર્શકોના મનમાં ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું. ફિલ્મને રિલિઝ થયે થોડા મહિનાઓ વીતી ગયા છે પરંતુ આજે પણ ફિલ્મના ગીતો પર રિલ્સ તેમજ વીડિયો બની રહ્યા છે. અનેક ગીતો પર લોકોએ રિલ્સ બનાવી છે. ત્યારે એ લિસ્ટમાં ઈરફાન પઠાણના દીકરાનો પણ સમાવેશ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ઈરફાન પઠાણે ઝુમે જો પઠાણ ગીત પર તેમનો પુત્ર ઝૂમતો હોય તેવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. અનેક લોકો વીડિયો જોઈ રિએક્શન આપી રહ્યા છે ત્યારે આ વીડિયો પર શાહરૂખ ખાને પણ પ્રતિક્રિયા આપી છે.


SRKએ પોસ્ટ કર્યો વીડિયો  

આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. અનેક લોકોએ રિએક્ટ પણ કર્યું છે. ત્યારે આ વીડિયો પર શાહરૂખ ખાને પણ પ્રતિક્રિયા આપી હતી. પોસ્ટ પર રિએક્શન આપતા શાહરૂખ ખાને લખ્યું કે આ તારા કરતા વધારે ટેલેન્ટેડ નિકળ્યો. રિએક્શન ઉપરાંત વીડિયો ક્લીપને પોસ્ટ પણ કર્યો હતો. 


પઠાણ ફિલ્મને લઈ થયો હતો વિરોધ 

પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દિપીકા પાદુકોણ સહિત અનેક કલાકારો જોવા મળ્યા હતા. ફિલ્મને લઈ દેશભરમાં અનેક જગ્યાઓ પર વિરોધ થયો હતો. પરંતુ ભર વિરોધ વચ્ચે 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ફિલ્મે અનેક રેકોર્ડ પણ તોડ્યા હતા. ત્યારે 22 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ પર પણ આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે.         




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.