શું આ ટ્વિટને કારણે કિરણ પટેલ વિરુદ્ધ કરાઈ કાર્યવાહી? અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર સાધ્યું હતું નિશાન


  • Published By :
  • Published Date : 2023-03-17 16:59:07

પીએમઓ અધિકારી બની બેઠેલો ઠગ કિરણ પટેલ હાલ ચર્ચામાં છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે ટ્વિટર અકાઉન્ટ પર આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે અનેક ટ્વિટ એવી મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને લઈ કટાક્ષ કરવામાં આવ્યો હતો. એ પછી જામનગરમાં જીતુ વાઘાણીના પ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે કમાને લઈ કરવામાં આવેલો કટાક્ષ હોય કે પછી કોવિડ દરમિયાન દર્દીઓની સંખ્યાને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય કે પછી જય શાહને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય. દરેક ટ્વિટમાં કિરણે કટાક્ષ કર્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે પોતાને ભારતીય જનતા પાર્ટીના તેમજ નેતાઓના નજીકના ગણાતા કિરણ પટેલ પર આ પોસ્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? 




   





રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.