શું આ ટ્વિટને કારણે કિરણ પટેલ વિરુદ્ધ કરાઈ કાર્યવાહી? અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર સાધ્યું હતું નિશાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 16:59:07

પીએમઓ અધિકારી બની બેઠેલો ઠગ કિરણ પટેલ હાલ ચર્ચામાં છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે ટ્વિટર અકાઉન્ટ પર આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે અનેક ટ્વિટ એવી મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને લઈ કટાક્ષ કરવામાં આવ્યો હતો. એ પછી જામનગરમાં જીતુ વાઘાણીના પ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે કમાને લઈ કરવામાં આવેલો કટાક્ષ હોય કે પછી કોવિડ દરમિયાન દર્દીઓની સંખ્યાને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય કે પછી જય શાહને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય. દરેક ટ્વિટમાં કિરણે કટાક્ષ કર્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે પોતાને ભારતીય જનતા પાર્ટીના તેમજ નેતાઓના નજીકના ગણાતા કિરણ પટેલ પર આ પોસ્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? 




   





ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.