શું આ ટ્વિટને કારણે કિરણ પટેલ વિરુદ્ધ કરાઈ કાર્યવાહી? અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર સાધ્યું હતું નિશાન


  • Published By :
  • Published Date : 2023-03-17 16:59:07

પીએમઓ અધિકારી બની બેઠેલો ઠગ કિરણ પટેલ હાલ ચર્ચામાં છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે ટ્વિટર અકાઉન્ટ પર આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે અનેક ટ્વિટ એવી મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને લઈ કટાક્ષ કરવામાં આવ્યો હતો. એ પછી જામનગરમાં જીતુ વાઘાણીના પ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે કમાને લઈ કરવામાં આવેલો કટાક્ષ હોય કે પછી કોવિડ દરમિયાન દર્દીઓની સંખ્યાને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય કે પછી જય શાહને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય. દરેક ટ્વિટમાં કિરણે કટાક્ષ કર્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે પોતાને ભારતીય જનતા પાર્ટીના તેમજ નેતાઓના નજીકના ગણાતા કિરણ પટેલ પર આ પોસ્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? 




   





રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.