ઇઝરાયેલનો ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-13 08:56:30

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા . 

The Logic of Israel's Actions to Contain Iran in Syria and Lebanon - JISS

ઈઝરાઈલે ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો કર્યો છે. ઇઝરાયેલનો દાવો છે કે , તેણે ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ અને લશકરી ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યા છે .ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનમાં જોરદાર ધડાકાઓના અવાજ સંભળાયા હતા . બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ એટલે વધી ગયો કેમ કે , ઈરાને તેની ત્રીજી યુરેનિયમ ફેસિલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી . ઇઝરાયેલના આ હુમલામાં ઇરાની સેનાના ચીફ હુસેન સલામીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સાથે જ ઇરાનના બે પરમાણુ વૈજ્ઞાનિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલના આ હુમલા પછી ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.  સાથે જ હવે એ સંભાવના વધી ગઈ છે કે , ઈરાન પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ પર વળતો વાર કરશે. ઇઝરાયેલના રક્ષામંત્રી ઇઝરાયેલ કાત્ઝએ સંભાવના વ્યક્ત કરી છે કે , ઈરાન તેની પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી શકે છે . ઇઝરાયેલની આ સ્ટ્રાઇકના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં ૯ ટકાનો વધારો નોંધાયો છે. ઇઝરાયેલએ ઈરાનના શહેર , તબરીઝ , કરમાનશાહ , ઇસ્ફાહાન , નતાનઝ , તેહરાન , અરાક પર હુમલો કર્યો છે. 

Implications of the Israel-Iran Conflict

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવના ડરથી , હવે ઇરાકે પણ પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ બાબતે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓની પ્રતિક્રિયા સામે આવી છે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં એક પક્ષીય નિર્ણય લીધો છે. ઈઝરાઈલે અમેરિકાને સલાહ આપી છે કે , આ સ્ટ્રાઇક સ્વ-રક્ષણ માટે કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની વચ્ચે અમેરિકાએ ઇરાકની રાજધાની  બગદાદથી પોતાનો ઘણો ડિપ્લોમેટિક સ્ટાફ પાછો બોલાવી લીધો છે. સાથે જ માર્કો રુબીઓએ ઈરાનને ચેતવણી આપી છે કે , તેણે અમેરિકાના કોઈ પણ હિતોને નુકશાન ના કરવું . ઇઝરાયેલના આ હુમલા પેહલા ઈરાને અમેરિકાને ધમકી આપી હતી કે , તે પશ્ચિમ એશિયામાં અમેરિકાના મિલિટરી બેઝીસ પર હુમલો કરશે . હવે લાગી રહ્યું છે કે , ઈરાન અને અમેરિકા વચ્ચે નુક્લીયર વાર્તાલાપ પડી ભાંગ્યો છે. 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.