ઇઝરાયેલનો ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-13 08:56:30

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા . 

The Logic of Israel's Actions to Contain Iran in Syria and Lebanon - JISS

ઈઝરાઈલે ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો કર્યો છે. ઇઝરાયેલનો દાવો છે કે , તેણે ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ અને લશકરી ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યા છે .ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનમાં જોરદાર ધડાકાઓના અવાજ સંભળાયા હતા . બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ એટલે વધી ગયો કેમ કે , ઈરાને તેની ત્રીજી યુરેનિયમ ફેસિલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી . ઇઝરાયેલના આ હુમલામાં ઇરાની સેનાના ચીફ હુસેન સલામીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સાથે જ ઇરાનના બે પરમાણુ વૈજ્ઞાનિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલના આ હુમલા પછી ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.  સાથે જ હવે એ સંભાવના વધી ગઈ છે કે , ઈરાન પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ પર વળતો વાર કરશે. ઇઝરાયેલના રક્ષામંત્રી ઇઝરાયેલ કાત્ઝએ સંભાવના વ્યક્ત કરી છે કે , ઈરાન તેની પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી શકે છે . ઇઝરાયેલની આ સ્ટ્રાઇકના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં ૯ ટકાનો વધારો નોંધાયો છે. ઇઝરાયેલએ ઈરાનના શહેર , તબરીઝ , કરમાનશાહ , ઇસ્ફાહાન , નતાનઝ , તેહરાન , અરાક પર હુમલો કર્યો છે. 

Implications of the Israel-Iran Conflict

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવના ડરથી , હવે ઇરાકે પણ પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ બાબતે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓની પ્રતિક્રિયા સામે આવી છે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં એક પક્ષીય નિર્ણય લીધો છે. ઈઝરાઈલે અમેરિકાને સલાહ આપી છે કે , આ સ્ટ્રાઇક સ્વ-રક્ષણ માટે કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની વચ્ચે અમેરિકાએ ઇરાકની રાજધાની  બગદાદથી પોતાનો ઘણો ડિપ્લોમેટિક સ્ટાફ પાછો બોલાવી લીધો છે. સાથે જ માર્કો રુબીઓએ ઈરાનને ચેતવણી આપી છે કે , તેણે અમેરિકાના કોઈ પણ હિતોને નુકશાન ના કરવું . ઇઝરાયેલના આ હુમલા પેહલા ઈરાને અમેરિકાને ધમકી આપી હતી કે , તે પશ્ચિમ એશિયામાં અમેરિકાના મિલિટરી બેઝીસ પર હુમલો કરશે . હવે લાગી રહ્યું છે કે , ઈરાન અને અમેરિકા વચ્ચે નુક્લીયર વાર્તાલાપ પડી ભાંગ્યો છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી