ઇઝરાયેલનો ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-13 08:56:30

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા . 

The Logic of Israel's Actions to Contain Iran in Syria and Lebanon - JISS

ઈઝરાઈલે ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો કર્યો છે. ઇઝરાયેલનો દાવો છે કે , તેણે ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ અને લશકરી ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યા છે .ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનમાં જોરદાર ધડાકાઓના અવાજ સંભળાયા હતા . બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ એટલે વધી ગયો કેમ કે , ઈરાને તેની ત્રીજી યુરેનિયમ ફેસિલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી . ઇઝરાયેલના આ હુમલામાં ઇરાની સેનાના ચીફ હુસેન સલામીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સાથે જ ઇરાનના બે પરમાણુ વૈજ્ઞાનિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલના આ હુમલા પછી ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.  સાથે જ હવે એ સંભાવના વધી ગઈ છે કે , ઈરાન પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ પર વળતો વાર કરશે. ઇઝરાયેલના રક્ષામંત્રી ઇઝરાયેલ કાત્ઝએ સંભાવના વ્યક્ત કરી છે કે , ઈરાન તેની પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી શકે છે . ઇઝરાયેલની આ સ્ટ્રાઇકના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં ૯ ટકાનો વધારો નોંધાયો છે. ઇઝરાયેલએ ઈરાનના શહેર , તબરીઝ , કરમાનશાહ , ઇસ્ફાહાન , નતાનઝ , તેહરાન , અરાક પર હુમલો કર્યો છે. 

Implications of the Israel-Iran Conflict

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવના ડરથી , હવે ઇરાકે પણ પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ બાબતે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓની પ્રતિક્રિયા સામે આવી છે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં એક પક્ષીય નિર્ણય લીધો છે. ઈઝરાઈલે અમેરિકાને સલાહ આપી છે કે , આ સ્ટ્રાઇક સ્વ-રક્ષણ માટે કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની વચ્ચે અમેરિકાએ ઇરાકની રાજધાની  બગદાદથી પોતાનો ઘણો ડિપ્લોમેટિક સ્ટાફ પાછો બોલાવી લીધો છે. સાથે જ માર્કો રુબીઓએ ઈરાનને ચેતવણી આપી છે કે , તેણે અમેરિકાના કોઈ પણ હિતોને નુકશાન ના કરવું . ઇઝરાયેલના આ હુમલા પેહલા ઈરાને અમેરિકાને ધમકી આપી હતી કે , તે પશ્ચિમ એશિયામાં અમેરિકાના મિલિટરી બેઝીસ પર હુમલો કરશે . હવે લાગી રહ્યું છે કે , ઈરાન અને અમેરિકા વચ્ચે નુક્લીયર વાર્તાલાપ પડી ભાંગ્યો છે. 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .