ઇઝરાયેલનો ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-13 08:56:30

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા . 

The Logic of Israel's Actions to Contain Iran in Syria and Lebanon - JISS

ઈઝરાઈલે ઈરાન પર ખુબ મોટા પાયે હુમલો કર્યો છે. ઇઝરાયેલનો દાવો છે કે , તેણે ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ અને લશકરી ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યા છે .ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનમાં જોરદાર ધડાકાઓના અવાજ સંભળાયા હતા . બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ એટલે વધી ગયો કેમ કે , ઈરાને તેની ત્રીજી યુરેનિયમ ફેસિલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી . ઇઝરાયેલના આ હુમલામાં ઇરાની સેનાના ચીફ હુસેન સલામીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સાથે જ ઇરાનના બે પરમાણુ વૈજ્ઞાનિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલના આ હુમલા પછી ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.  સાથે જ હવે એ સંભાવના વધી ગઈ છે કે , ઈરાન પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ પર વળતો વાર કરશે. ઇઝરાયેલના રક્ષામંત્રી ઇઝરાયેલ કાત્ઝએ સંભાવના વ્યક્ત કરી છે કે , ઈરાન તેની પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી શકે છે . ઇઝરાયેલની આ સ્ટ્રાઇકના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં ૯ ટકાનો વધારો નોંધાયો છે. ઇઝરાયેલએ ઈરાનના શહેર , તબરીઝ , કરમાનશાહ , ઇસ્ફાહાન , નતાનઝ , તેહરાન , અરાક પર હુમલો કર્યો છે. 

Implications of the Israel-Iran Conflict

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવના ડરથી , હવે ઇરાકે પણ પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ બાબતે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓની પ્રતિક્રિયા સામે આવી છે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં એક પક્ષીય નિર્ણય લીધો છે. ઈઝરાઈલે અમેરિકાને સલાહ આપી છે કે , આ સ્ટ્રાઇક સ્વ-રક્ષણ માટે કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની વચ્ચે અમેરિકાએ ઇરાકની રાજધાની  બગદાદથી પોતાનો ઘણો ડિપ્લોમેટિક સ્ટાફ પાછો બોલાવી લીધો છે. સાથે જ માર્કો રુબીઓએ ઈરાનને ચેતવણી આપી છે કે , તેણે અમેરિકાના કોઈ પણ હિતોને નુકશાન ના કરવું . ઇઝરાયેલના આ હુમલા પેહલા ઈરાને અમેરિકાને ધમકી આપી હતી કે , તે પશ્ચિમ એશિયામાં અમેરિકાના મિલિટરી બેઝીસ પર હુમલો કરશે . હવે લાગી રહ્યું છે કે , ઈરાન અને અમેરિકા વચ્ચે નુક્લીયર વાર્તાલાપ પડી ભાંગ્યો છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.