અરવિંદ કેજરીવાલના લાગેલા પોસ્ટરને લઈ ઈસુદાને કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:27:24

વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તારીખો જાહેર થાય તે પહેલા ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો મોસમ ચાલી રહ્યો છે. આપ, ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી નજીક આવતા ધર્મ આધારિત રાજનીતિની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પોસ્ટર અંગે પ્રતિક્રિયા આપી છે. 


આપની લોકપ્રિયતાથી ડરી ગઈ ભાજપ- ઈસુદાન  

આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આપનો પ્રચાર કરવા જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે તે દરમિયાન આવા પોસ્ટર લાગતા આ વાતને આપના નેતાઓએ પોઝિટીવ વેમાં લીધી છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરતા કહ્યું કે આપની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલ ભાજપ પાસે આમ આદમીનો વિરોધ કરવા સિવાય કોઈ મુદ્દો નથી. 

ગોપાલ ઈટાલીયાએ પણ આપી પ્રતિક્રિયા

ગોપાલ ઈટાલીયાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી કે અને કહ્યું કે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલા ભાજપના લુખ્ખાઓ અને ભાજપના લફંગાઓ આજે અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવા એરપોર્ટની અંદર ઘુસ્યા છે.        



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે