અરવિંદ કેજરીવાલના લાગેલા પોસ્ટરને લઈ ઈસુદાને કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:27:24

વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તારીખો જાહેર થાય તે પહેલા ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો મોસમ ચાલી રહ્યો છે. આપ, ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી નજીક આવતા ધર્મ આધારિત રાજનીતિની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પોસ્ટર અંગે પ્રતિક્રિયા આપી છે. 


આપની લોકપ્રિયતાથી ડરી ગઈ ભાજપ- ઈસુદાન  

આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આપનો પ્રચાર કરવા જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે તે દરમિયાન આવા પોસ્ટર લાગતા આ વાતને આપના નેતાઓએ પોઝિટીવ વેમાં લીધી છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરતા કહ્યું કે આપની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલ ભાજપ પાસે આમ આદમીનો વિરોધ કરવા સિવાય કોઈ મુદ્દો નથી. 

ગોપાલ ઈટાલીયાએ પણ આપી પ્રતિક્રિયા

ગોપાલ ઈટાલીયાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી કે અને કહ્યું કે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલા ભાજપના લુખ્ખાઓ અને ભાજપના લફંગાઓ આજે અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવા એરપોર્ટની અંદર ઘુસ્યા છે.        



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .