અરવિંદ કેજરીવાલના લાગેલા પોસ્ટરને લઈ ઈસુદાને કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:27:24

વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તારીખો જાહેર થાય તે પહેલા ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો મોસમ ચાલી રહ્યો છે. આપ, ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી નજીક આવતા ધર્મ આધારિત રાજનીતિની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પોસ્ટર અંગે પ્રતિક્રિયા આપી છે. 


આપની લોકપ્રિયતાથી ડરી ગઈ ભાજપ- ઈસુદાન  

આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આપનો પ્રચાર કરવા જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે તે દરમિયાન આવા પોસ્ટર લાગતા આ વાતને આપના નેતાઓએ પોઝિટીવ વેમાં લીધી છે. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરતા કહ્યું કે આપની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલ ભાજપ પાસે આમ આદમીનો વિરોધ કરવા સિવાય કોઈ મુદ્દો નથી. 

ગોપાલ ઈટાલીયાએ પણ આપી પ્રતિક્રિયા

ગોપાલ ઈટાલીયાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી કે અને કહ્યું કે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયેલા ભાજપના લુખ્ખાઓ અને ભાજપના લફંગાઓ આજે અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવા એરપોર્ટની અંદર ઘુસ્યા છે.        



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.