પીએમ મોદીની રેલી પર ઈસુદાનનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:18:56

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં આવી છે. ભાજપનો પ્રચાર કરવા ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 2 દિવસના તેમના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. અનેક જગ્યાઓની મુલાકાત લીધી છે. ત્યારે તેમની મુલાકાત પર આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યો છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી નરેન્દ્ર મોદીની રેલી પર પ્રહાર કર્યા છે.  


  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું તેમણે લોકાર્પણ કર્યું હતું. અનેક જનસભાઓમાં તેમણે સંબોધન આપ્યું હતું. હજારોની સંખ્યમાં લોકો મોદીની રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લખ્યું કે જનતાનો પ્રેમ જૂઠ્ઠાણાંને કારણે તૂટી ગયો લાગે છે. પાછળની જમાતે ગુજરાતને લૂંટી લીધું.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .