ઈસુદાન ગઢવીએ TET-TAT મુદ્દે સરકારને ઘેરી, કરાર આધારીત ભરતીને આ યોજના સાથે સરખાવી, સાંભળો શું કહ્યું તેમણે


  • Published By :
  • Published Date : 2023-07-13 12:04:30

છેલ્લા ઘણા સમયથી TET-TAT ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી કરવાના સરકારના નિર્ણયનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક ઉમેદવારો સરકારી નોકરીની આશા લઈને બેઠા છે. પહેલા તો અનેક વર્ષો સુધી TET-TATની પરીક્ષા લેવામાં આવી ન હતી. આ વખતે લેવાઈ પરંતુ અલગ ફોર્મેટમાં. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જ્ઞાન સહાયક તરીકે ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારીત નોકરી આપવામાં આવશે. આ વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે, ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આવી ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષાને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ 

કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારી નોકરી મેળવવા માટે તેમણે મહેનત કરી હોય છે, કોન્ટ્રાક્ટ આધારિત નોકરી મેળવવા માટે મહેનત નથી કરી તેવી વાત ઉમેદવારોએ જણાવી જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી. ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈસુદાન ગઢવીએ પણ TET-TAT મુદ્દે સરકારને ઘેરી છે. અનેક મુદ્દા પર આપના પ્રદેશ અધ્યક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. 


નોકરી માટે યુવાનોને જોવી પડે છે રાહ - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષા અંગે નિવેદન આપતા કહ્યું કે વર્ષોથી TET-TATની પરીક્ષા આપીને લાખો વિદ્યાર્થીઓ એક સપનું જોઈને બેઠા હતા કે તેમને સરકારી નોકરી મળશે. પરંતુ ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે. આ વાત ગુજરાતના યુવાનો જ કહી રહ્યા છે. બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપે જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી છે. મહત્વનું છે કે અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.