ઈસુદાન ગઢવીએ TET-TAT મુદ્દે સરકારને ઘેરી, કરાર આધારીત ભરતીને આ યોજના સાથે સરખાવી, સાંભળો શું કહ્યું તેમણે


  • Published By :
  • Published Date : 2023-07-13 12:04:30

છેલ્લા ઘણા સમયથી TET-TAT ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી કરવાના સરકારના નિર્ણયનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક ઉમેદવારો સરકારી નોકરીની આશા લઈને બેઠા છે. પહેલા તો અનેક વર્ષો સુધી TET-TATની પરીક્ષા લેવામાં આવી ન હતી. આ વખતે લેવાઈ પરંતુ અલગ ફોર્મેટમાં. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જ્ઞાન સહાયક તરીકે ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારીત નોકરી આપવામાં આવશે. આ વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે, ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આવી ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષાને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ 

કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે વાતનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારી નોકરી મેળવવા માટે તેમણે મહેનત કરી હોય છે, કોન્ટ્રાક્ટ આધારિત નોકરી મેળવવા માટે મહેનત નથી કરી તેવી વાત ઉમેદવારોએ જણાવી જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી. ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈસુદાન ગઢવીએ પણ TET-TAT મુદ્દે સરકારને ઘેરી છે. અનેક મુદ્દા પર આપના પ્રદેશ અધ્યક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. 


નોકરી માટે યુવાનોને જોવી પડે છે રાહ - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ TET-TAT પરીક્ષા અંગે નિવેદન આપતા કહ્યું કે વર્ષોથી TET-TATની પરીક્ષા આપીને લાખો વિદ્યાર્થીઓ એક સપનું જોઈને બેઠા હતા કે તેમને સરકારી નોકરી મળશે. પરંતુ ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે. આ વાત ગુજરાતના યુવાનો જ કહી રહ્યા છે. બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપે જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી છે. મહત્વનું છે કે અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.