ઇસુદાન ગઢવીએ ફરી ભાજપ પર નિશાન સાધ્યું !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:00:52

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપ વધુ આક્રમક રીતે આક્ષેપ પ્રતિઆક્ષેપો કરતાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે ભાજપ મિશન 182 માટે મોટાભાગના જિલ્લાઓમાં કેન્દ્રિય મંત્રીને દેખરેખમાં રાખવાનો નિર્ણય લઈ શકે છે. જેમા કેજરીવાલના ટ્વીટ પછી ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર સણસણતા પ્રહારો કર્યા છે . તેમણે કહ્યું ગુજરાતની જનતા હવે આપ ને મોકો આપશે હવે ગુજરાતની જનતા આપની સરકાર બનાવશે.  ભાજપના શાસનમાં ઘણા એવા કૌભાંડો છતા થયા છે કે એને જોઈને જનતાને આઘાત લાગ્યો છે. જેની સીધી અસર ચૂંટણીમાં જોવા મળી શકે છે.

 

શું કહ્યું ઇસુદાન ગઢવીએ ???

ઇસુદાન ગઢવીએ ભાજપના 182 બેઠક પર પ્રચાર યાત્રા પર કટાક્ષ કહ્યું કે ભાજપ ભલે ગમે એટલા પ્રયાસ કરે. પરંતુ ગુજરાતની જનતા હવે ખોટા વાયદાઓથી હેરાન થઈ ગઈ છે. જનતાને પણ ભાજપની નીતિની જાણ થઈ ગઈ છે, તેથી ખોટા વાયદા આપતી સરકારનો સફાયો કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 

 


ઇસુદાન ગઢવીના એક બાદ એક ભાજપ પર નિશાના !!!

વધુમાં ઇસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હવે ગુજરાતને બચાવવું પડશે. અત્યારે ભાજપના શાસનમાં હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ રેકેટ, નકલી નોટોનો વેપાર, ઝેરી દારૂનો વેપાર, રોજ થતી હત્યાઓ તથા ભાજપના નેતાના પુત્ર દ્વારા દિવસના અજવાળે આચરાતી હત્યાને રોકવી પડશે. અત્યારે પરિવર્તન લાવવું જરૂરી છે. 

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે