ઇસુદાન ગઢવીએ ફરી ભાજપ પર નિશાન સાધ્યું !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:00:52

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપ વધુ આક્રમક રીતે આક્ષેપ પ્રતિઆક્ષેપો કરતાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે ભાજપ મિશન 182 માટે મોટાભાગના જિલ્લાઓમાં કેન્દ્રિય મંત્રીને દેખરેખમાં રાખવાનો નિર્ણય લઈ શકે છે. જેમા કેજરીવાલના ટ્વીટ પછી ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર સણસણતા પ્રહારો કર્યા છે . તેમણે કહ્યું ગુજરાતની જનતા હવે આપ ને મોકો આપશે હવે ગુજરાતની જનતા આપની સરકાર બનાવશે.  ભાજપના શાસનમાં ઘણા એવા કૌભાંડો છતા થયા છે કે એને જોઈને જનતાને આઘાત લાગ્યો છે. જેની સીધી અસર ચૂંટણીમાં જોવા મળી શકે છે.

 

શું કહ્યું ઇસુદાન ગઢવીએ ???

ઇસુદાન ગઢવીએ ભાજપના 182 બેઠક પર પ્રચાર યાત્રા પર કટાક્ષ કહ્યું કે ભાજપ ભલે ગમે એટલા પ્રયાસ કરે. પરંતુ ગુજરાતની જનતા હવે ખોટા વાયદાઓથી હેરાન થઈ ગઈ છે. જનતાને પણ ભાજપની નીતિની જાણ થઈ ગઈ છે, તેથી ખોટા વાયદા આપતી સરકારનો સફાયો કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 

 


ઇસુદાન ગઢવીના એક બાદ એક ભાજપ પર નિશાના !!!

વધુમાં ઇસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હવે ગુજરાતને બચાવવું પડશે. અત્યારે ભાજપના શાસનમાં હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ રેકેટ, નકલી નોટોનો વેપાર, ઝેરી દારૂનો વેપાર, રોજ થતી હત્યાઓ તથા ભાજપના નેતાના પુત્ર દ્વારા દિવસના અજવાળે આચરાતી હત્યાને રોકવી પડશે. અત્યારે પરિવર્તન લાવવું જરૂરી છે. 

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.