ઇસુદાન ગઢવીએ ફરી ભાજપ પર નિશાન સાધ્યું !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:00:52

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપ વધુ આક્રમક રીતે આક્ષેપ પ્રતિઆક્ષેપો કરતાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે ભાજપ મિશન 182 માટે મોટાભાગના જિલ્લાઓમાં કેન્દ્રિય મંત્રીને દેખરેખમાં રાખવાનો નિર્ણય લઈ શકે છે. જેમા કેજરીવાલના ટ્વીટ પછી ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર સણસણતા પ્રહારો કર્યા છે . તેમણે કહ્યું ગુજરાતની જનતા હવે આપ ને મોકો આપશે હવે ગુજરાતની જનતા આપની સરકાર બનાવશે.  ભાજપના શાસનમાં ઘણા એવા કૌભાંડો છતા થયા છે કે એને જોઈને જનતાને આઘાત લાગ્યો છે. જેની સીધી અસર ચૂંટણીમાં જોવા મળી શકે છે.

 

શું કહ્યું ઇસુદાન ગઢવીએ ???

ઇસુદાન ગઢવીએ ભાજપના 182 બેઠક પર પ્રચાર યાત્રા પર કટાક્ષ કહ્યું કે ભાજપ ભલે ગમે એટલા પ્રયાસ કરે. પરંતુ ગુજરાતની જનતા હવે ખોટા વાયદાઓથી હેરાન થઈ ગઈ છે. જનતાને પણ ભાજપની નીતિની જાણ થઈ ગઈ છે, તેથી ખોટા વાયદા આપતી સરકારનો સફાયો કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 

 


ઇસુદાન ગઢવીના એક બાદ એક ભાજપ પર નિશાના !!!

વધુમાં ઇસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હવે ગુજરાતને બચાવવું પડશે. અત્યારે ભાજપના શાસનમાં હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ રેકેટ, નકલી નોટોનો વેપાર, ઝેરી દારૂનો વેપાર, રોજ થતી હત્યાઓ તથા ભાજપના નેતાના પુત્ર દ્વારા દિવસના અજવાળે આચરાતી હત્યાને રોકવી પડશે. અત્યારે પરિવર્તન લાવવું જરૂરી છે. 

 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .