ગૌ માતાને લઈ ઈસુદાનનો ભાજપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 14:13:25

ગુજરાતમાં હાલ ગાયને લઈ રાજકારણ ગરમાયું છે. વિધાનસભા સત્રમાં પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકો માટે 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સહાયની જાહેરાત બાદ પણ રૂપિયા ના મળતા પશુપાલકો રોષે ભરાયા છે. સરકારને 23 સપ્ટેમ્બર સુધીની ટાઈમ લીમીટ આપી હતી પરંતુ તે બાદ પણ સહાય ન મળતા ગાયોને રસ્તા પર છુટ્ટી મૂકી દઈ વિરોધ નોંધાવ્યો હતો.


ઈસુદાન ગઢવીએ ભાજપ પર ઉઠાવ્યા સવાલ

પશુપાલકોને સહાય આપવા માટે સરકારે 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી સહાય ન મળતા પાંજરાપોળ અને ગૌ-રક્ષકોએ પોતાની ગાયોને છોડી વિરોધ નોંધાવ્યો હતો. હજારોની સંખ્યામાં ગાયો આવતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ ઘટના પર ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ ગૌ માતાના નામે વોટ માંગનાર ભાજપ હકીકતમાં હિન્દુ વિરોધી છે. ગૌ માતા માટે અવાજ ઉઠાવનાર સાધુ સંતો અને પશુપાલકોની ભાજપએ ધરપકડ કરી છે.

 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .