ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીને વોટ આપવાના ગણાવ્યા ફાયદા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 17:13:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી જતી હોય છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાને ગુજરાતમાં સ્થાપવા પ્રયત્ન કરી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તેવો દાવો કરી રહ્યા છે ત્યારે ઈસુદાન ગઢવી પણ આ વાતને સમર્થન આપી રહ્યા છે.

આમ આદમી પાર્ટીને વોટ આપવાથી મળશે સારી સુવિધા 

આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને અનેક વાયદાઓ કર્યા છે. જેમાં શિક્ષણ, સારૂ સ્વાસ્થય, વીજળી જેવા અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. ત્યારે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસને વોટ આપવાથી કઈ નહીં મળે. પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપવાથી સારી શાળા, હોસ્પિટલ, વીજળી જેવી સુવિધાઓ મળશે.

કેજરીવાલના પ્રવાસનો આજે અંતિમ દિવસ          

અરવિંદ કેજરીવાલ આપનો પ્રચાર કરવા 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવ્યા છે.  પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી ગણાવવામાં આવ્યા હતા. જે બાદ અનેક વાદ-વિવાદ સર્જાયા હતા. ત્યારે આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વાયદાઓ કર્યા અને આપ પ્રત્યે લોકોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો.  


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.