ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીને વોટ આપવાના ગણાવ્યા ફાયદા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 17:13:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી જતી હોય છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાને ગુજરાતમાં સ્થાપવા પ્રયત્ન કરી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તેવો દાવો કરી રહ્યા છે ત્યારે ઈસુદાન ગઢવી પણ આ વાતને સમર્થન આપી રહ્યા છે.

આમ આદમી પાર્ટીને વોટ આપવાથી મળશે સારી સુવિધા 

આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને અનેક વાયદાઓ કર્યા છે. જેમાં શિક્ષણ, સારૂ સ્વાસ્થય, વીજળી જેવા અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. ત્યારે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસને વોટ આપવાથી કઈ નહીં મળે. પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપવાથી સારી શાળા, હોસ્પિટલ, વીજળી જેવી સુવિધાઓ મળશે.

કેજરીવાલના પ્રવાસનો આજે અંતિમ દિવસ          

અરવિંદ કેજરીવાલ આપનો પ્રચાર કરવા 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવ્યા છે.  પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી ગણાવવામાં આવ્યા હતા. જે બાદ અનેક વાદ-વિવાદ સર્જાયા હતા. ત્યારે આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વાયદાઓ કર્યા અને આપ પ્રત્યે લોકોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો.  


થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .