દેશમાં 100થી વધુ જગ્યાઓ પર IT વિભાગના દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:55:52

જમાવટ UPDATE સ્ટોરી... 


ચૂંટણી નજીક આવતા આયકર વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે. આયકર વિભાગે દેશમાં 100થી વધુ જગ્યાઓ પર રેડ કરી હતી. ટેક્સ ચોરી તેમજ પોલિટીક્લ ફંડિંગને ધ્યાનમાં રાખી  તપાસનો પ્રવાહ ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો હતો. બોગસ પાર્ટી ફંડિંગ તેમજ કર ચોરીને ધ્યાનમાં રાખી બુધવારે આયકર વિભાગે દેશના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. 


IT વિભાગની ઉત્તર પ્રદેશમાં કાર્યવાહી

ઉત્તર પ્રદશમાં આઈ.ટી વિભાગની ટીમે ઘડિયાલની દુકાનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન સુલ્તાનપુરની એક ઘડિયાળનો દુકાનદાર પણ આવા બોગસ પાર્ટીનો અધ્યક્ષ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણકારી મળી કે 3 વર્ષમાં પ્રાપ્ત થયેલા 370 કરોડના ડોનેશનની પણ માહિતી નથી કે ડોનેશનના પ્રમાણ પત્ર પણ નથી. 


IT વિભાગની મુંબઈમાં કાર્યવાહી

તે ઉપરાંત મુંબઈમાં પણ તપાસ દરમિયાન ઝૂપડીમાં રેડ કરી હતી. આ ઝૂપડીમાં સ્થિત એવી પાર્ટી મળી જેણે છેલ્લા 2 વર્ષમાં 100 કરોડ જેટલું ડોનેશન લીધું છે. આવી જ એક અન્ય બોગસ પાર્ટી મુંબઈ મુંબઈના બોરીવલ્લીથી મળી આવી. આ બાગસ પાર્ટીના કનેક્શન અમદાવાદથી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


ઈન્કમ ટેક્ષમાંથી રાહત મળી રહે તે માટે આવી બોગસ રાજકીય પાર્ટીઓ ઉભી કરી પૈસાની લેવડ-દેવડ કરતા હોય છે. બોગસ પાર્ટીની રચના કરી ટેક્સ ચોરી કરવાની નવી પદ્ધતિ સામે આવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.