દેશમાં 100થી વધુ જગ્યાઓ પર IT વિભાગના દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:55:52

જમાવટ UPDATE સ્ટોરી... 


ચૂંટણી નજીક આવતા આયકર વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે. આયકર વિભાગે દેશમાં 100થી વધુ જગ્યાઓ પર રેડ કરી હતી. ટેક્સ ચોરી તેમજ પોલિટીક્લ ફંડિંગને ધ્યાનમાં રાખી  તપાસનો પ્રવાહ ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો હતો. બોગસ પાર્ટી ફંડિંગ તેમજ કર ચોરીને ધ્યાનમાં રાખી બુધવારે આયકર વિભાગે દેશના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. 


IT વિભાગની ઉત્તર પ્રદેશમાં કાર્યવાહી

ઉત્તર પ્રદશમાં આઈ.ટી વિભાગની ટીમે ઘડિયાલની દુકાનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન સુલ્તાનપુરની એક ઘડિયાળનો દુકાનદાર પણ આવા બોગસ પાર્ટીનો અધ્યક્ષ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણકારી મળી કે 3 વર્ષમાં પ્રાપ્ત થયેલા 370 કરોડના ડોનેશનની પણ માહિતી નથી કે ડોનેશનના પ્રમાણ પત્ર પણ નથી. 


IT વિભાગની મુંબઈમાં કાર્યવાહી

તે ઉપરાંત મુંબઈમાં પણ તપાસ દરમિયાન ઝૂપડીમાં રેડ કરી હતી. આ ઝૂપડીમાં સ્થિત એવી પાર્ટી મળી જેણે છેલ્લા 2 વર્ષમાં 100 કરોડ જેટલું ડોનેશન લીધું છે. આવી જ એક અન્ય બોગસ પાર્ટી મુંબઈ મુંબઈના બોરીવલ્લીથી મળી આવી. આ બાગસ પાર્ટીના કનેક્શન અમદાવાદથી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


ઈન્કમ ટેક્ષમાંથી રાહત મળી રહે તે માટે આવી બોગસ રાજકીય પાર્ટીઓ ઉભી કરી પૈસાની લેવડ-દેવડ કરતા હોય છે. બોગસ પાર્ટીની રચના કરી ટેક્સ ચોરી કરવાની નવી પદ્ધતિ સામે આવી છે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.