દેશમાં 100થી વધુ જગ્યાઓ પર IT વિભાગના દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:55:52

જમાવટ UPDATE સ્ટોરી... 


ચૂંટણી નજીક આવતા આયકર વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે. આયકર વિભાગે દેશમાં 100થી વધુ જગ્યાઓ પર રેડ કરી હતી. ટેક્સ ચોરી તેમજ પોલિટીક્લ ફંડિંગને ધ્યાનમાં રાખી  તપાસનો પ્રવાહ ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો હતો. બોગસ પાર્ટી ફંડિંગ તેમજ કર ચોરીને ધ્યાનમાં રાખી બુધવારે આયકર વિભાગે દેશના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. 


IT વિભાગની ઉત્તર પ્રદેશમાં કાર્યવાહી

ઉત્તર પ્રદશમાં આઈ.ટી વિભાગની ટીમે ઘડિયાલની દુકાનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન સુલ્તાનપુરની એક ઘડિયાળનો દુકાનદાર પણ આવા બોગસ પાર્ટીનો અધ્યક્ષ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણકારી મળી કે 3 વર્ષમાં પ્રાપ્ત થયેલા 370 કરોડના ડોનેશનની પણ માહિતી નથી કે ડોનેશનના પ્રમાણ પત્ર પણ નથી. 


IT વિભાગની મુંબઈમાં કાર્યવાહી

તે ઉપરાંત મુંબઈમાં પણ તપાસ દરમિયાન ઝૂપડીમાં રેડ કરી હતી. આ ઝૂપડીમાં સ્થિત એવી પાર્ટી મળી જેણે છેલ્લા 2 વર્ષમાં 100 કરોડ જેટલું ડોનેશન લીધું છે. આવી જ એક અન્ય બોગસ પાર્ટી મુંબઈ મુંબઈના બોરીવલ્લીથી મળી આવી. આ બાગસ પાર્ટીના કનેક્શન અમદાવાદથી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


ઈન્કમ ટેક્ષમાંથી રાહત મળી રહે તે માટે આવી બોગસ રાજકીય પાર્ટીઓ ઉભી કરી પૈસાની લેવડ-દેવડ કરતા હોય છે. બોગસ પાર્ટીની રચના કરી ટેક્સ ચોરી કરવાની નવી પદ્ધતિ સામે આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.