ગેરરીતિ મામલે યુફ્લેક્સ ફૂડ પેકેજીંગ કંપનીમાં આઈટી વિભાગના દરોડા, અનેક રાજ્યોમાં ચાલી રહી છે તપાસની કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-21 13:28:58

દેશના અનેક રાજ્યોમાં આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ઈન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા યુફ્લેક્સ ફૂડ પેકેજીંગ કંપનીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સાણંદ ખાતે આવેલા તેમના પેકેજિંગ યુનિટમાં દરોડા પાડવામાં આવ્યા છે. તે સિવાય ચાર જગ્યાઓ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. નાણાકીય ગેરરીતિ બદલ કંપની પર તવાઈ લાવવામાં આવી છે.


ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આવકવેરા વિભાગે કરી કાર્યવાહી  

બિનહિસાબી વ્યવહારોની માહિતીને લઈ દેશાના અલગ અલગ રાજ્યોમાં તેમજ અલગ અલગ કંપનીઓ પર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દેશભરમાં યુફ્લેક્સ ગ્રુપના સ્થળો પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કંપની પાસેથી કરચોરી અને બિનહિસાબી વ્યવહારોની માહિતી મળી આવતા કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત સિવાય મધ્યપ્રદેશ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


નાણાકીય હિસાબમાં ગડબડી હોવાને કારણે પડાયા દરોડા   

આવક વેરા વિભાગે વહેલી સવારે નોઈડાના સેક્ટર 4 માં આવેલી યુફ્લેક્સની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પાંચ ટીમો તપાસ કરવા માટે પહોંચી હતી. દરોડાની કાર્યવાહી શરૂ થતા ઓફિસમાં ઉપસ્થિત લોકોને બહાર જવાની અનુમતી આપવામાં આવી ન હતી. તે ઉપરાંત મોબાઈલ અને લેપટોપમાંથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. કંપની પર હવાલા અને ક્રિપ્ટો દ્વારા ચીનને પૈસા મોકલવાનો આરોપ પણ છે. તે ઉપરાંત કંપનીના ટ્રાન્ઝેક્શનમાં ગડબડી થઈ હોવાના આક્ષેપો લગાવામાં આવી રહ્યા છે. 64 જેટલા સ્થળો પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.