ગેરરીતિ મામલે યુફ્લેક્સ ફૂડ પેકેજીંગ કંપનીમાં આઈટી વિભાગના દરોડા, અનેક રાજ્યોમાં ચાલી રહી છે તપાસની કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-21 13:28:58

દેશના અનેક રાજ્યોમાં આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ઈન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા યુફ્લેક્સ ફૂડ પેકેજીંગ કંપનીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સાણંદ ખાતે આવેલા તેમના પેકેજિંગ યુનિટમાં દરોડા પાડવામાં આવ્યા છે. તે સિવાય ચાર જગ્યાઓ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. નાણાકીય ગેરરીતિ બદલ કંપની પર તવાઈ લાવવામાં આવી છે.


ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આવકવેરા વિભાગે કરી કાર્યવાહી  

બિનહિસાબી વ્યવહારોની માહિતીને લઈ દેશાના અલગ અલગ રાજ્યોમાં તેમજ અલગ અલગ કંપનીઓ પર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દેશભરમાં યુફ્લેક્સ ગ્રુપના સ્થળો પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કંપની પાસેથી કરચોરી અને બિનહિસાબી વ્યવહારોની માહિતી મળી આવતા કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત સિવાય મધ્યપ્રદેશ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


નાણાકીય હિસાબમાં ગડબડી હોવાને કારણે પડાયા દરોડા   

આવક વેરા વિભાગે વહેલી સવારે નોઈડાના સેક્ટર 4 માં આવેલી યુફ્લેક્સની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પાંચ ટીમો તપાસ કરવા માટે પહોંચી હતી. દરોડાની કાર્યવાહી શરૂ થતા ઓફિસમાં ઉપસ્થિત લોકોને બહાર જવાની અનુમતી આપવામાં આવી ન હતી. તે ઉપરાંત મોબાઈલ અને લેપટોપમાંથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. કંપની પર હવાલા અને ક્રિપ્ટો દ્વારા ચીનને પૈસા મોકલવાનો આરોપ પણ છે. તે ઉપરાંત કંપનીના ટ્રાન્ઝેક્શનમાં ગડબડી થઈ હોવાના આક્ષેપો લગાવામાં આવી રહ્યા છે. 64 જેટલા સ્થળો પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.