ગેરરીતિ મામલે યુફ્લેક્સ ફૂડ પેકેજીંગ કંપનીમાં આઈટી વિભાગના દરોડા, અનેક રાજ્યોમાં ચાલી રહી છે તપાસની કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-21 13:28:58

દેશના અનેક રાજ્યોમાં આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ઈન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા યુફ્લેક્સ ફૂડ પેકેજીંગ કંપનીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સાણંદ ખાતે આવેલા તેમના પેકેજિંગ યુનિટમાં દરોડા પાડવામાં આવ્યા છે. તે સિવાય ચાર જગ્યાઓ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. નાણાકીય ગેરરીતિ બદલ કંપની પર તવાઈ લાવવામાં આવી છે.


ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આવકવેરા વિભાગે કરી કાર્યવાહી  

બિનહિસાબી વ્યવહારોની માહિતીને લઈ દેશાના અલગ અલગ રાજ્યોમાં તેમજ અલગ અલગ કંપનીઓ પર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દેશભરમાં યુફ્લેક્સ ગ્રુપના સ્થળો પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કંપની પાસેથી કરચોરી અને બિનહિસાબી વ્યવહારોની માહિતી મળી આવતા કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત સિવાય મધ્યપ્રદેશ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


નાણાકીય હિસાબમાં ગડબડી હોવાને કારણે પડાયા દરોડા   

આવક વેરા વિભાગે વહેલી સવારે નોઈડાના સેક્ટર 4 માં આવેલી યુફ્લેક્સની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પાંચ ટીમો તપાસ કરવા માટે પહોંચી હતી. દરોડાની કાર્યવાહી શરૂ થતા ઓફિસમાં ઉપસ્થિત લોકોને બહાર જવાની અનુમતી આપવામાં આવી ન હતી. તે ઉપરાંત મોબાઈલ અને લેપટોપમાંથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. કંપની પર હવાલા અને ક્રિપ્ટો દ્વારા ચીનને પૈસા મોકલવાનો આરોપ પણ છે. તે ઉપરાંત કંપનીના ટ્રાન્ઝેક્શનમાં ગડબડી થઈ હોવાના આક્ષેપો લગાવામાં આવી રહ્યા છે. 64 જેટલા સ્થળો પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.