નવી બ્રોડગેજ લાઈન શરૂ થતા ઉદયપુર જવું બન્યું સરળ, અમદાવાદથી માત્ર 5 કલાકમાં પહોંચી શકાશે ઉદયપુર


  • Published By :
  • Published Date : 2022-10-30 11:24:39

ગુજરાતની ચૂંટણી પહેલા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરતા હોય છે. ત્યારે આ વખતે પણ ગુજરાતને અનેક ભેટ આપવાના છે. 1 નવેમ્બરથી અમદાવાદ- ઉદયપુરના નવા બ્રોડગેજ ટ્રેક પરથી ટ્રેન દોડશે. વડાપ્રધાન મોદી અસારવા રેલવે સ્ટેશનથી આ નવી રેલવે લાઈનનું ઉદ્ધાટન કરવાના છે. આ રેલ લાઈન શરૂ થવાથી મેવાડ અને વાગડ ઝોનની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સાથે જોડાણ થશે.


વડાપ્રધાન મોદી કરશે ઉદ્ધાટન

લોકો રજાઓ મનાવા ઉદેયપુર જવાનું વધારે પસંદ કરે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉદેયપુર જતા હોય છે. બ્રોડગેજ ટ્રેક શરૂ થતા માત્ર 5 કલાકમાં ઉદયપુર પહોંચી શકાશે. અમદાવાદ- ઉદયપુર ગેજ કેનેક્ટિવીટી મળતા ઓછા સમયમાં ઉદયપુર પહોંચી શકાશે. વડાપ્રધાન મોદી ગુજરાતના અસારવા રેલવે સ્ટેશનથી આ નવી લાઈનનું ઉદ્ધાટન કરવાના છે. નવા ટ્રેક પર ત્રણ ટ્રેનનો ચાલવાની છે. થોડા સમય બાદ જયપુરથી અસારવા વાયા ઉદયપુરને પણ જોડવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.