નવી બ્રોડગેજ લાઈન શરૂ થતા ઉદયપુર જવું બન્યું સરળ, અમદાવાદથી માત્ર 5 કલાકમાં પહોંચી શકાશે ઉદયપુર


  • Published By :
  • Published Date : 2022-10-30 11:24:39

ગુજરાતની ચૂંટણી પહેલા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરતા હોય છે. ત્યારે આ વખતે પણ ગુજરાતને અનેક ભેટ આપવાના છે. 1 નવેમ્બરથી અમદાવાદ- ઉદયપુરના નવા બ્રોડગેજ ટ્રેક પરથી ટ્રેન દોડશે. વડાપ્રધાન મોદી અસારવા રેલવે સ્ટેશનથી આ નવી રેલવે લાઈનનું ઉદ્ધાટન કરવાના છે. આ રેલ લાઈન શરૂ થવાથી મેવાડ અને વાગડ ઝોનની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સાથે જોડાણ થશે.


વડાપ્રધાન મોદી કરશે ઉદ્ધાટન

લોકો રજાઓ મનાવા ઉદેયપુર જવાનું વધારે પસંદ કરે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉદેયપુર જતા હોય છે. બ્રોડગેજ ટ્રેક શરૂ થતા માત્ર 5 કલાકમાં ઉદયપુર પહોંચી શકાશે. અમદાવાદ- ઉદયપુર ગેજ કેનેક્ટિવીટી મળતા ઓછા સમયમાં ઉદયપુર પહોંચી શકાશે. વડાપ્રધાન મોદી ગુજરાતના અસારવા રેલવે સ્ટેશનથી આ નવી લાઈનનું ઉદ્ધાટન કરવાના છે. નવા ટ્રેક પર ત્રણ ટ્રેનનો ચાલવાની છે. થોડા સમય બાદ જયપુરથી અસારવા વાયા ઉદયપુરને પણ જોડવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.