નવી બ્રોડગેજ લાઈન શરૂ થતા ઉદયપુર જવું બન્યું સરળ, અમદાવાદથી માત્ર 5 કલાકમાં પહોંચી શકાશે ઉદયપુર


  • Published By :
  • Published Date : 2022-10-30 11:24:39

ગુજરાતની ચૂંટણી પહેલા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરતા હોય છે. ત્યારે આ વખતે પણ ગુજરાતને અનેક ભેટ આપવાના છે. 1 નવેમ્બરથી અમદાવાદ- ઉદયપુરના નવા બ્રોડગેજ ટ્રેક પરથી ટ્રેન દોડશે. વડાપ્રધાન મોદી અસારવા રેલવે સ્ટેશનથી આ નવી રેલવે લાઈનનું ઉદ્ધાટન કરવાના છે. આ રેલ લાઈન શરૂ થવાથી મેવાડ અને વાગડ ઝોનની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સાથે જોડાણ થશે.


વડાપ્રધાન મોદી કરશે ઉદ્ધાટન

લોકો રજાઓ મનાવા ઉદેયપુર જવાનું વધારે પસંદ કરે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉદેયપુર જતા હોય છે. બ્રોડગેજ ટ્રેક શરૂ થતા માત્ર 5 કલાકમાં ઉદયપુર પહોંચી શકાશે. અમદાવાદ- ઉદયપુર ગેજ કેનેક્ટિવીટી મળતા ઓછા સમયમાં ઉદયપુર પહોંચી શકાશે. વડાપ્રધાન મોદી ગુજરાતના અસારવા રેલવે સ્ટેશનથી આ નવી લાઈનનું ઉદ્ધાટન કરવાના છે. નવા ટ્રેક પર ત્રણ ટ્રેનનો ચાલવાની છે. થોડા સમય બાદ જયપુરથી અસારવા વાયા ઉદયપુરને પણ જોડવામાં આવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.