પાંચ દિવસ વરસાદ પડી શકેઃ ગુજરાત હવામાન વિભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:44:44

ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી કીધું હતું કે આગલા પાંચ દિવસ વરસાદ પડી શકે છે. આજના દિવસે પણ ગુજરાતના ઘણા  જિલ્લામાં વરસાદ પડી શકે છે. કારણ આપતા તેમણે કહ્યું હતું કે હિંદ મહાસાગરની બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે.


દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરના દિવસે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં વરસાદ પડવાની સંભાવના છે. ગાજવીજ સાથે આખા ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં હાલ ગરમીનું પ્રમાણ વધીને 38 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે અને લોકો પરસેવાથી રેબજેબ થઈ રહ્યા છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે વરસાદ પહેલા ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 


હવામાન વિભાગના આ ફોટોમાં જિલ્લાવાર માહિતી દેખાય છે. આ ફોટોમાં દેખાય છે કે 13 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત, નર્મદા, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.  


આવતીકાલે વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે આટલા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. 



  






સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"