પાંચ દિવસ વરસાદ પડી શકેઃ ગુજરાત હવામાન વિભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:44:44

ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી કીધું હતું કે આગલા પાંચ દિવસ વરસાદ પડી શકે છે. આજના દિવસે પણ ગુજરાતના ઘણા  જિલ્લામાં વરસાદ પડી શકે છે. કારણ આપતા તેમણે કહ્યું હતું કે હિંદ મહાસાગરની બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે.


દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરના દિવસે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં વરસાદ પડવાની સંભાવના છે. ગાજવીજ સાથે આખા ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં હાલ ગરમીનું પ્રમાણ વધીને 38 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે અને લોકો પરસેવાથી રેબજેબ થઈ રહ્યા છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે વરસાદ પહેલા ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 


હવામાન વિભાગના આ ફોટોમાં જિલ્લાવાર માહિતી દેખાય છે. આ ફોટોમાં દેખાય છે કે 13 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત, નર્મદા, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.  


આવતીકાલે વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે આટલા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. 



  






થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .