પાંચ દિવસ વરસાદ પડી શકેઃ ગુજરાત હવામાન વિભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:44:44

ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી કીધું હતું કે આગલા પાંચ દિવસ વરસાદ પડી શકે છે. આજના દિવસે પણ ગુજરાતના ઘણા  જિલ્લામાં વરસાદ પડી શકે છે. કારણ આપતા તેમણે કહ્યું હતું કે હિંદ મહાસાગરની બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે.


દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરના દિવસે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં વરસાદ પડવાની સંભાવના છે. ગાજવીજ સાથે આખા ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં હાલ ગરમીનું પ્રમાણ વધીને 38 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે અને લોકો પરસેવાથી રેબજેબ થઈ રહ્યા છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે વરસાદ પહેલા ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 


હવામાન વિભાગના આ ફોટોમાં જિલ્લાવાર માહિતી દેખાય છે. આ ફોટોમાં દેખાય છે કે 13 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત, નર્મદા, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.  


આવતીકાલે વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે આટલા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. 



  






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.