આગામી દિવસો દરમિયાન અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-24 15:41:59

દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી ચાર દિવસ અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આસામમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વર્ષાને કારણે 20 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. અનેક લોકોના જીવન પર પૂરને કારણે સીધી અસર થઈ છે. 2 લોકોના મોત પણ થયા છે. મહત્વનું છે કે બિપોરજોયને કારણે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પહેલા જે વરસાદ આવ્યો હતો તે બિપોરજોયને કારણે આવ્યો હતો પરંતુ હવે જે વરસાદ આવ્યો છે તે ચોમાસાને કારણે આવ્યો છે.


આસામમાં પૂરને કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી

ઘણા સમય પહેલા કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું. દેશના બીજા રાજ્યોમાં ચોમાસુ બેસે તે પહેલા બિપોરજોય વાવાઝોડું આવી ગયું અને તે કારણે વરસાદી સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ હતી. ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. પરંતુ હવે ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. આસામમાં ભારે વરસાદને કારણે જનજીવન ઘણું પ્રભાવિત થયું છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવવાની અસર જન જીવન પર સૌથી વધારે પડી છે. લોકો પોતાના ઘર છોડવા મજબુર થઈ રહ્યા છે. 

આ રાજ્યો માટે કરવામાં આવી છે આગાહી

ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી દિવસોમાં મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન,ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદનું આગમન થઈ શકે છે. તે ઉપરાંત હરિયાણા, ગુજરાત, તેલંગાણા,મણિપુર, મિજોરમ, ગોવામાં પણ વરસાદની પધરામણી થશે. આગામી ચાર દિવસો દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 29 જૂન સુધી મોનસુન બધા રાજ્યો સુધી પહોંચી શકે છે. આજે ચોમાસું મુંબઈ પહોંચી શકે છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.         



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.