આગામી દિવસો દરમિયાન અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-24 15:41:59

દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી ચાર દિવસ અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આસામમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વર્ષાને કારણે 20 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. અનેક લોકોના જીવન પર પૂરને કારણે સીધી અસર થઈ છે. 2 લોકોના મોત પણ થયા છે. મહત્વનું છે કે બિપોરજોયને કારણે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પહેલા જે વરસાદ આવ્યો હતો તે બિપોરજોયને કારણે આવ્યો હતો પરંતુ હવે જે વરસાદ આવ્યો છે તે ચોમાસાને કારણે આવ્યો છે.


આસામમાં પૂરને કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી

ઘણા સમય પહેલા કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું. દેશના બીજા રાજ્યોમાં ચોમાસુ બેસે તે પહેલા બિપોરજોય વાવાઝોડું આવી ગયું અને તે કારણે વરસાદી સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ હતી. ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. પરંતુ હવે ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. આસામમાં ભારે વરસાદને કારણે જનજીવન ઘણું પ્રભાવિત થયું છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવવાની અસર જન જીવન પર સૌથી વધારે પડી છે. લોકો પોતાના ઘર છોડવા મજબુર થઈ રહ્યા છે. 

આ રાજ્યો માટે કરવામાં આવી છે આગાહી

ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી દિવસોમાં મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન,ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદનું આગમન થઈ શકે છે. તે ઉપરાંત હરિયાણા, ગુજરાત, તેલંગાણા,મણિપુર, મિજોરમ, ગોવામાં પણ વરસાદની પધરામણી થશે. આગામી ચાર દિવસો દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 29 જૂન સુધી મોનસુન બધા રાજ્યો સુધી પહોંચી શકે છે. આજે ચોમાસું મુંબઈ પહોંચી શકે છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.         



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.