આગામી દિવસો દરમિયાન અનેક રાજ્યોમાં વરસી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-24 15:41:59

દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી ચાર દિવસ અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આસામમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વર્ષાને કારણે 20 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. અનેક લોકોના જીવન પર પૂરને કારણે સીધી અસર થઈ છે. 2 લોકોના મોત પણ થયા છે. મહત્વનું છે કે બિપોરજોયને કારણે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પહેલા જે વરસાદ આવ્યો હતો તે બિપોરજોયને કારણે આવ્યો હતો પરંતુ હવે જે વરસાદ આવ્યો છે તે ચોમાસાને કારણે આવ્યો છે.


આસામમાં પૂરને કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી

ઘણા સમય પહેલા કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું. દેશના બીજા રાજ્યોમાં ચોમાસુ બેસે તે પહેલા બિપોરજોય વાવાઝોડું આવી ગયું અને તે કારણે વરસાદી સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ હતી. ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. પરંતુ હવે ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. આસામમાં ભારે વરસાદને કારણે જનજીવન ઘણું પ્રભાવિત થયું છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવવાની અસર જન જીવન પર સૌથી વધારે પડી છે. લોકો પોતાના ઘર છોડવા મજબુર થઈ રહ્યા છે. 

આ રાજ્યો માટે કરવામાં આવી છે આગાહી

ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી દિવસોમાં મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન,ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદનું આગમન થઈ શકે છે. તે ઉપરાંત હરિયાણા, ગુજરાત, તેલંગાણા,મણિપુર, મિજોરમ, ગોવામાં પણ વરસાદની પધરામણી થશે. આગામી ચાર દિવસો દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 29 જૂન સુધી મોનસુન બધા રાજ્યો સુધી પહોંચી શકે છે. આજે ચોમાસું મુંબઈ પહોંચી શકે છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.         



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.