Gujaratમાં આ તારીખો દરમિયાન પડશે ઠંડી! જાણો ઠંડીને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-05 14:46:28

માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર આસમાની આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. લોકો શિયાળાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનાર સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે.ઉપરાંત આવનાર સમયમાં હિમવર્ષા થઈ શકે છે તેવું અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. 

હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ કોણ છે? ખેડૂતોની ચિંતા થઈ અને બન્યા  હવામાન નિષ્ણાત – News18 ગુજરાતી

કાતિલ ઠંડીનો થશે અહેસાસ 

ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. એ વાવાઝોડું  તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે. રાજ્યના અનેક ભાગોમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા છે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7 ડિસેમ્બર બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. ડિસેમ્બરના એન્ડ સુધીમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે. 

અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ 

મહત્વનું છે કે ચક્રવાતને કારણે ભારતના અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. તમિલનાડુ,ચૈન્નઈ સહિતના રાજ્યો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચૈન્નઈમાં વરસાદ એટલો બધો વધારે છે કે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અનેક ફ્લાઈટ તેમજ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આજે બપોરે ચક્રવાત ટકરાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને લઈ તંત્ર પણ એલર્ટ દેખાઈ રહ્યું છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.