Gujaratમાં આ તારીખો દરમિયાન પડશે ઠંડી! જાણો ઠંડીને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-05 14:46:28

માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર આસમાની આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. લોકો શિયાળાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનાર સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે.ઉપરાંત આવનાર સમયમાં હિમવર્ષા થઈ શકે છે તેવું અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. 

હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ કોણ છે? ખેડૂતોની ચિંતા થઈ અને બન્યા  હવામાન નિષ્ણાત – News18 ગુજરાતી

કાતિલ ઠંડીનો થશે અહેસાસ 

ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. એ વાવાઝોડું  તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે. રાજ્યના અનેક ભાગોમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા છે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7 ડિસેમ્બર બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. ડિસેમ્બરના એન્ડ સુધીમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે. 

અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ 

મહત્વનું છે કે ચક્રવાતને કારણે ભારતના અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. તમિલનાડુ,ચૈન્નઈ સહિતના રાજ્યો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચૈન્નઈમાં વરસાદ એટલો બધો વધારે છે કે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અનેક ફ્લાઈટ તેમજ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આજે બપોરે ચક્રવાત ટકરાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને લઈ તંત્ર પણ એલર્ટ દેખાઈ રહ્યું છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.