Gujaratમાં આ તારીખો દરમિયાન પડશે ઠંડી! જાણો ઠંડીને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-05 14:46:28

માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર આસમાની આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. લોકો શિયાળાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનાર સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે.ઉપરાંત આવનાર સમયમાં હિમવર્ષા થઈ શકે છે તેવું અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. 

હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ કોણ છે? ખેડૂતોની ચિંતા થઈ અને બન્યા  હવામાન નિષ્ણાત – News18 ગુજરાતી

કાતિલ ઠંડીનો થશે અહેસાસ 

ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. એ વાવાઝોડું  તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે. રાજ્યના અનેક ભાગોમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા છે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7 ડિસેમ્બર બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. ડિસેમ્બરના એન્ડ સુધીમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે. 

અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ 

મહત્વનું છે કે ચક્રવાતને કારણે ભારતના અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. તમિલનાડુ,ચૈન્નઈ સહિતના રાજ્યો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચૈન્નઈમાં વરસાદ એટલો બધો વધારે છે કે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અનેક ફ્લાઈટ તેમજ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આજે બપોરે ચક્રવાત ટકરાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને લઈ તંત્ર પણ એલર્ટ દેખાઈ રહ્યું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.