Gujaratમાં આ તારીખો દરમિયાન પડશે ઠંડી! જાણો ઠંડીને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-05 14:46:28

માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર આસમાની આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. લોકો શિયાળાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનાર સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે.ઉપરાંત આવનાર સમયમાં હિમવર્ષા થઈ શકે છે તેવું અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. 

હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ કોણ છે? ખેડૂતોની ચિંતા થઈ અને બન્યા  હવામાન નિષ્ણાત – News18 ગુજરાતી

કાતિલ ઠંડીનો થશે અહેસાસ 

ગુજરાતના વાતાવરણને લઈ આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. એ વાવાઝોડું  તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે. રાજ્યના અનેક ભાગોમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા છે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7 ડિસેમ્બર બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થશે. ડિસેમ્બરના એન્ડ સુધીમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે. 

અનેક જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ 

મહત્વનું છે કે ચક્રવાતને કારણે ભારતના અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. તમિલનાડુ,ચૈન્નઈ સહિતના રાજ્યો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચૈન્નઈમાં વરસાદ એટલો બધો વધારે છે કે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અનેક ફ્લાઈટ તેમજ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આજે બપોરે ચક્રવાત ટકરાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને લઈ તંત્ર પણ એલર્ટ દેખાઈ રહ્યું છે.  



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.