Gujaratમાં ફરી એક વખત જામશે વરસાદી માહોલ, સાંભળો વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-23 18:53:22

આપણે ત્યાં કહેવાય છે કે ભાદરવો ભરપૂર... ભાદરવા મહિનામાં વરસાદની સંભાવના જોરદાર રહેતી હોય છે. વરસાદી માહોલ ભરપૂર જામેલો હોય છે. ત્યારે આ વખતે પણ મેઘરાજા ફૂલ બેટિંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિના દરમિયાન અનેક જિલ્લાઓમાં એટલો ભયંકર વરસાદ થયો કે મહેર કહેરમાં પરિવર્તિત થઈ ગયો. ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે અનેક જગ્યાઓ પર ફરી એક વખત વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.

ગુજરાતમાં વરસ્યો છે 100 ટકા વરસાદ

બિપોરજોય વાવાઝોડા બાદ વરસાદની સિસ્ટમ એકદમ અલગ થઈ ગઈ છે. ચોમાસાની સિસ્ટમ જાણે વાવાઝોડાને કારણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ રહ્યો પરંતુ જેમ જેમ ઓગસ્ટ મહિનો આવ્યો તેમ તેમ વરસાદ ગુજરાતથી દૂર જતો રહ્યો તેવું લાગ્યું. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત મેઘ મહેર જોવા મળી. ગુજરાતમાં સાર્વત્રિક 100 ટકા વરસાદ નોંધાઈ ગયો છે.  ચોમાસું હવે સમાપ્તિના આરે હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વરસાદનો બીજો એક રાઉન્ડ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  


ચોમાસાના વિદાયની થઈ શરૂઆત - અંબાલાલ પટેલ 

અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીને સાચી માનવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જતા પહેલા વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે. આગામી 24 કલાક પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. કાકાની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર માટે આગાહી કરતા તેમણે કહ્યું કે પવન ફૂંકાશે, તે ઉપરાંત સામાન્ય વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 


ઓક્ટોબર મહિનામાં આવી શકે છે ચક્રવાત - હવામાન નિષ્ણાત 

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિ જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ શકે છે. આ ગતિવિધિ 24થી 25 સપ્ટેમ્બરમાં વધી જશે. જેના કારણે 26થી 29 સપ્ટેમ્બરમાં વરસાદ થશે. ક્યાંક વધારે વરસાદ રહેવાનું અનુમાન છે. આ તારીખો દરમિયાન વરસાદી માહોલ તો રહેશે પંરતુ ઓક્ટોબરમાં ચક્રવાત સક્રિય થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. આગાહી મુજબ 2થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને વરસાદ જ્યારે આવશે ત્યારે હવે ચક્રવાતનો વરસાદ હશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે