Gujaratમાં ફરી એક વખત જામશે વરસાદી માહોલ, સાંભળો વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-23 18:53:22

આપણે ત્યાં કહેવાય છે કે ભાદરવો ભરપૂર... ભાદરવા મહિનામાં વરસાદની સંભાવના જોરદાર રહેતી હોય છે. વરસાદી માહોલ ભરપૂર જામેલો હોય છે. ત્યારે આ વખતે પણ મેઘરાજા ફૂલ બેટિંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિના દરમિયાન અનેક જિલ્લાઓમાં એટલો ભયંકર વરસાદ થયો કે મહેર કહેરમાં પરિવર્તિત થઈ ગયો. ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે અનેક જગ્યાઓ પર ફરી એક વખત વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.

ગુજરાતમાં વરસ્યો છે 100 ટકા વરસાદ

બિપોરજોય વાવાઝોડા બાદ વરસાદની સિસ્ટમ એકદમ અલગ થઈ ગઈ છે. ચોમાસાની સિસ્ટમ જાણે વાવાઝોડાને કારણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ રહ્યો પરંતુ જેમ જેમ ઓગસ્ટ મહિનો આવ્યો તેમ તેમ વરસાદ ગુજરાતથી દૂર જતો રહ્યો તેવું લાગ્યું. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત મેઘ મહેર જોવા મળી. ગુજરાતમાં સાર્વત્રિક 100 ટકા વરસાદ નોંધાઈ ગયો છે.  ચોમાસું હવે સમાપ્તિના આરે હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વરસાદનો બીજો એક રાઉન્ડ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  


ચોમાસાના વિદાયની થઈ શરૂઆત - અંબાલાલ પટેલ 

અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીને સાચી માનવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જતા પહેલા વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે. આગામી 24 કલાક પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. કાકાની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર માટે આગાહી કરતા તેમણે કહ્યું કે પવન ફૂંકાશે, તે ઉપરાંત સામાન્ય વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 


ઓક્ટોબર મહિનામાં આવી શકે છે ચક્રવાત - હવામાન નિષ્ણાત 

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિ જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ શકે છે. આ ગતિવિધિ 24થી 25 સપ્ટેમ્બરમાં વધી જશે. જેના કારણે 26થી 29 સપ્ટેમ્બરમાં વરસાદ થશે. ક્યાંક વધારે વરસાદ રહેવાનું અનુમાન છે. આ તારીખો દરમિયાન વરસાદી માહોલ તો રહેશે પંરતુ ઓક્ટોબરમાં ચક્રવાત સક્રિય થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. આગાહી મુજબ 2થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને વરસાદ જ્યારે આવશે ત્યારે હવે ચક્રવાતનો વરસાદ હશે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.