Gujaratમાં ફરી એક વખત જામશે વરસાદી માહોલ, સાંભળો વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-23 18:53:22

આપણે ત્યાં કહેવાય છે કે ભાદરવો ભરપૂર... ભાદરવા મહિનામાં વરસાદની સંભાવના જોરદાર રહેતી હોય છે. વરસાદી માહોલ ભરપૂર જામેલો હોય છે. ત્યારે આ વખતે પણ મેઘરાજા ફૂલ બેટિંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિના દરમિયાન અનેક જિલ્લાઓમાં એટલો ભયંકર વરસાદ થયો કે મહેર કહેરમાં પરિવર્તિત થઈ ગયો. ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે અનેક જગ્યાઓ પર ફરી એક વખત વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે.

ગુજરાતમાં વરસ્યો છે 100 ટકા વરસાદ

બિપોરજોય વાવાઝોડા બાદ વરસાદની સિસ્ટમ એકદમ અલગ થઈ ગઈ છે. ચોમાસાની સિસ્ટમ જાણે વાવાઝોડાને કારણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ રહ્યો પરંતુ જેમ જેમ ઓગસ્ટ મહિનો આવ્યો તેમ તેમ વરસાદ ગુજરાતથી દૂર જતો રહ્યો તેવું લાગ્યું. ઓગસ્ટ મહિનો કોરો કટ સાબિત થયો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત મેઘ મહેર જોવા મળી. ગુજરાતમાં સાર્વત્રિક 100 ટકા વરસાદ નોંધાઈ ગયો છે.  ચોમાસું હવે સમાપ્તિના આરે હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વરસાદનો બીજો એક રાઉન્ડ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  


ચોમાસાના વિદાયની થઈ શરૂઆત - અંબાલાલ પટેલ 

અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીને સાચી માનવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જતા પહેલા વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે. આગામી 24 કલાક પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. કાકાની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર માટે આગાહી કરતા તેમણે કહ્યું કે પવન ફૂંકાશે, તે ઉપરાંત સામાન્ય વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 


ઓક્ટોબર મહિનામાં આવી શકે છે ચક્રવાત - હવામાન નિષ્ણાત 

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિ જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ શકે છે. આ ગતિવિધિ 24થી 25 સપ્ટેમ્બરમાં વધી જશે. જેના કારણે 26થી 29 સપ્ટેમ્બરમાં વરસાદ થશે. ક્યાંક વધારે વરસાદ રહેવાનું અનુમાન છે. આ તારીખો દરમિયાન વરસાદી માહોલ તો રહેશે પંરતુ ઓક્ટોબરમાં ચક્રવાત સક્રિય થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. આગાહી મુજબ 2થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને વરસાદ જ્યારે આવશે ત્યારે હવે ચક્રવાતનો વરસાદ હશે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.