ત્રિપુરામાં જગન્નાથ રથયાત્રામાં મોટી દુર્ઘટના, 7 લોકોના મોત, 18 દાઝી ગયા, રથ હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવતા સર્જાઈ કરૂણાંતિકા


  • Published By :
  • Published Date : 2023-06-28 21:56:22

ત્રિપુરામાં રથયાત્રા દરમિયાન બુધવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 7 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બની છે. રથયાત્રાનો રથના હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ઈસ્કોન મંદિરે કાઢી હતી 'ઉલ્ટી રથયાત્રા' 


પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવી રહેલી 'ઉલ્ટી રથયાત્રા' ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે લગભગ 4:30 વાગ્યે આ ઘટના બની હતી. જગન્નાથ રથયાત્રામાં સામેલ ભક્તો લોખંડના બનેલા રથને ખેંચી રહ્યા હતા. આ દરમિયાન, રથ 133 KV ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો હતો. માન્યતાઓ અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રાના એક સપ્તાહ બાદ ત્રિપુરામાં ઉલ્ટી રથયાત્રા નીકળે છે. આમાં ભગવાનનો રથ પાછળથી ખેંચાય છે. ભગવાન જગન્નાથની સાથે ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રા પણ રથ પર સવાર હોય છે.


CM માણિક સાહાએ દુ:ખ વ્યક્ત કર્યું


આ દર્દનાક દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું કે, "આજે કુમારઘાટ ખાતે ઉલ્ટી રથયાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે, વીજ કરંટ લાગવાથી કેટલાય શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયા." આ દુર્ઘટનામાં નજીકના અને પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે છે.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?