ત્રિપુરામાં જગન્નાથ રથયાત્રામાં મોટી દુર્ઘટના, 7 લોકોના મોત, 18 દાઝી ગયા, રથ હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવતા સર્જાઈ કરૂણાંતિકા


  • Published By :
  • Published Date : 2023-06-28 21:56:22

ત્રિપુરામાં રથયાત્રા દરમિયાન બુધવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 7 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બની છે. રથયાત્રાનો રથના હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ઈસ્કોન મંદિરે કાઢી હતી 'ઉલ્ટી રથયાત્રા' 


પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવી રહેલી 'ઉલ્ટી રથયાત્રા' ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે લગભગ 4:30 વાગ્યે આ ઘટના બની હતી. જગન્નાથ રથયાત્રામાં સામેલ ભક્તો લોખંડના બનેલા રથને ખેંચી રહ્યા હતા. આ દરમિયાન, રથ 133 KV ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો હતો. માન્યતાઓ અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રાના એક સપ્તાહ બાદ ત્રિપુરામાં ઉલ્ટી રથયાત્રા નીકળે છે. આમાં ભગવાનનો રથ પાછળથી ખેંચાય છે. ભગવાન જગન્નાથની સાથે ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રા પણ રથ પર સવાર હોય છે.


CM માણિક સાહાએ દુ:ખ વ્યક્ત કર્યું


આ દર્દનાક દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું કે, "આજે કુમારઘાટ ખાતે ઉલ્ટી રથયાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે, વીજ કરંટ લાગવાથી કેટલાય શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયા." આ દુર્ઘટનામાં નજીકના અને પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.