કોંગ્રેસના જગદીશ ઠાકોરે કહી દીધું, પક્ષપલટુંઓને ટિકિટ નહીં મળે


  • Published By :
  • Published Date : 2022-11-10 19:25:59

ગુજરાત વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રાજકીય પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ભાજપ કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. જેની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે ભાજપએ યાદી જાહેર કર્યા પહેલા દિલ્હીમાં બેઠક કરવી પડી હતી. ત્યારબાદ ભાજપની યાદી જાહેર થઈ છે. હવે અમારી યાદી પણ જાહેર કરવામાં આવશે. વધુમાં સિનિયર નેતાઑના ચુંટણી નહિ લડવાના નિવેદન મામલે જગદીશ ઠાકોરે આક્ષેપ સાથે જણાવ્યું કે યાદી જાહેર થયા બાદ નેતાઓ પાસેથી લખાણો લખાવવામાં આવ્યા છે.


પક્ષ પલટુંઓને ટિકિટ નહીં આપીએ: જગદીશ ઠાકોર 

જગદીશ ઠાકોરે કહ્યું હતું કે અમે પક્ષોમાં આવન - જાવન કરતાં લોકોને ટિકિટ નહીં આપીએ. ભાજપમાં ટિકિટ ના મળવાને કારણે નારાજ થયેલા લોકો જો કોંગ્રેસમાં આવશે તો તેમણે પણ નહીં મળે ટિકિટ. ઉલ્લેખનીય છે કે હજી તો ચુંટણી આવી નથી અને કોંગ્રેસના કેટલાય નેતાઓએ પાટલી બદલી નાખી છે. અને કેસરીયો ધારણ કરી લીધો છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરશે 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે