કોંગ્રેસના જગદીશ ઠાકોરે કહી દીધું, પક્ષપલટુંઓને ટિકિટ નહીં મળે


  • Published By :
  • Published Date : 2022-11-10 19:25:59

ગુજરાત વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રાજકીય પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ભાજપ કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. જેની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે ભાજપએ યાદી જાહેર કર્યા પહેલા દિલ્હીમાં બેઠક કરવી પડી હતી. ત્યારબાદ ભાજપની યાદી જાહેર થઈ છે. હવે અમારી યાદી પણ જાહેર કરવામાં આવશે. વધુમાં સિનિયર નેતાઑના ચુંટણી નહિ લડવાના નિવેદન મામલે જગદીશ ઠાકોરે આક્ષેપ સાથે જણાવ્યું કે યાદી જાહેર થયા બાદ નેતાઓ પાસેથી લખાણો લખાવવામાં આવ્યા છે.


પક્ષ પલટુંઓને ટિકિટ નહીં આપીએ: જગદીશ ઠાકોર 

જગદીશ ઠાકોરે કહ્યું હતું કે અમે પક્ષોમાં આવન - જાવન કરતાં લોકોને ટિકિટ નહીં આપીએ. ભાજપમાં ટિકિટ ના મળવાને કારણે નારાજ થયેલા લોકો જો કોંગ્રેસમાં આવશે તો તેમણે પણ નહીં મળે ટિકિટ. ઉલ્લેખનીય છે કે હજી તો ચુંટણી આવી નથી અને કોંગ્રેસના કેટલાય નેતાઓએ પાટલી બદલી નાખી છે. અને કેસરીયો ધારણ કરી લીધો છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરશે 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.