કોંગ્રેસના જગદીશ ઠાકોરે કહી દીધું, પક્ષપલટુંઓને ટિકિટ નહીં મળે


  • Published By :
  • Published Date : 2022-11-10 19:25:59

ગુજરાત વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રાજકીય પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ભાજપ કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યું છે. જેની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે ભાજપએ યાદી જાહેર કર્યા પહેલા દિલ્હીમાં બેઠક કરવી પડી હતી. ત્યારબાદ ભાજપની યાદી જાહેર થઈ છે. હવે અમારી યાદી પણ જાહેર કરવામાં આવશે. વધુમાં સિનિયર નેતાઑના ચુંટણી નહિ લડવાના નિવેદન મામલે જગદીશ ઠાકોરે આક્ષેપ સાથે જણાવ્યું કે યાદી જાહેર થયા બાદ નેતાઓ પાસેથી લખાણો લખાવવામાં આવ્યા છે.


પક્ષ પલટુંઓને ટિકિટ નહીં આપીએ: જગદીશ ઠાકોર 

જગદીશ ઠાકોરે કહ્યું હતું કે અમે પક્ષોમાં આવન - જાવન કરતાં લોકોને ટિકિટ નહીં આપીએ. ભાજપમાં ટિકિટ ના મળવાને કારણે નારાજ થયેલા લોકો જો કોંગ્રેસમાં આવશે તો તેમણે પણ નહીં મળે ટિકિટ. ઉલ્લેખનીય છે કે હજી તો ચુંટણી આવી નથી અને કોંગ્રેસના કેટલાય નેતાઓએ પાટલી બદલી નાખી છે. અને કેસરીયો ધારણ કરી લીધો છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરશે 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"