જગદીશ ઠાકોરે જણાવ્યું કે કેમ રાહુલ ગાંધી વિરૂદ્ધ સુરતમાં માનહાનિનો કેસ દાખલ થયો? ઉપરાંત હર્ષ સંઘવીને લઈ નિવેદન આપતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-04-18 08:41:25

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન એક નિવેદન આપ્યું હતું. જે બાદ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. સુરત કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા જે બાદ સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ થયેલા માનહાનિ કેસને લઈ નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ મામલે નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણ કે હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે. 



જગદીશ ઠાકોરે હર્ષ સંઘવીને લઈ આપ્યું નિવેદન 

રાહુલ ગાંધીને જ્યારથી માનહાનિ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી કોંગ્રેસ સક્રિય થઈ છે. કોંગ્રેસ દ્વારા અનેક અભિયાનો તેમજ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. અનેક નેતાઓ આ મામલે નિવેદન પણ આપી ચૂક્યા છે અથવા તો આપી રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ નિવેદન આપ્યું છે. 


હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે - જગદીશ ઠાકોર

મોડાસા ખાતે કોંગ્રેસે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા આયોજીત 'જય ભારત સત્યાગ્રહ સંમેલન'માં જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણ કે હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે. તથા આ કેસ ના તો કોઈ મોદી સમાજના સંગઠન દ્વારા થયો છે, ના તો કોઈ મંડળ દ્વારા થયો છે. આ કેસ ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો છે. 


અમિત ચાવડાએ પણ કર્યું હતું સંબોધન 

તે સિવાય આરક્ષણનો મુદ્દો પણ જગદીશ ઠાકોર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સરકાર આરક્ષણના આંકડા જાહેર કરતી નથી. જો જાહેર કરે તો સાચી હકીકત ખબર પડે કે ખરેખર ઓબીસી અનામત કેટલા ટકા છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોર સિવાય અમિત ચાવડાએ પણ સંબોધન કર્યું હતું.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે