જગદીશ ઠાકોરે જણાવ્યું કે કેમ રાહુલ ગાંધી વિરૂદ્ધ સુરતમાં માનહાનિનો કેસ દાખલ થયો? ઉપરાંત હર્ષ સંઘવીને લઈ નિવેદન આપતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-04-18 08:41:25

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન એક નિવેદન આપ્યું હતું. જે બાદ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. સુરત કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા જે બાદ સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ થયેલા માનહાનિ કેસને લઈ નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ મામલે નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણ કે હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે. 



જગદીશ ઠાકોરે હર્ષ સંઘવીને લઈ આપ્યું નિવેદન 

રાહુલ ગાંધીને જ્યારથી માનહાનિ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી કોંગ્રેસ સક્રિય થઈ છે. કોંગ્રેસ દ્વારા અનેક અભિયાનો તેમજ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. અનેક નેતાઓ આ મામલે નિવેદન પણ આપી ચૂક્યા છે અથવા તો આપી રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ નિવેદન આપ્યું છે. 


હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે - જગદીશ ઠાકોર

મોડાસા ખાતે કોંગ્રેસે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા આયોજીત 'જય ભારત સત્યાગ્રહ સંમેલન'માં જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણ કે હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે. તથા આ કેસ ના તો કોઈ મોદી સમાજના સંગઠન દ્વારા થયો છે, ના તો કોઈ મંડળ દ્વારા થયો છે. આ કેસ ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો છે. 


અમિત ચાવડાએ પણ કર્યું હતું સંબોધન 

તે સિવાય આરક્ષણનો મુદ્દો પણ જગદીશ ઠાકોર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સરકાર આરક્ષણના આંકડા જાહેર કરતી નથી. જો જાહેર કરે તો સાચી હકીકત ખબર પડે કે ખરેખર ઓબીસી અનામત કેટલા ટકા છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોર સિવાય અમિત ચાવડાએ પણ સંબોધન કર્યું હતું.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.