જગદીશ ઠાકોરે જણાવ્યું કે કેમ રાહુલ ગાંધી વિરૂદ્ધ સુરતમાં માનહાનિનો કેસ દાખલ થયો? ઉપરાંત હર્ષ સંઘવીને લઈ નિવેદન આપતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-04-18 08:41:25

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન એક નિવેદન આપ્યું હતું. જે બાદ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. સુરત કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા જે બાદ સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ થયેલા માનહાનિ કેસને લઈ નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ મામલે નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણ કે હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે. 



જગદીશ ઠાકોરે હર્ષ સંઘવીને લઈ આપ્યું નિવેદન 

રાહુલ ગાંધીને જ્યારથી માનહાનિ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી કોંગ્રેસ સક્રિય થઈ છે. કોંગ્રેસ દ્વારા અનેક અભિયાનો તેમજ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. અનેક નેતાઓ આ મામલે નિવેદન પણ આપી ચૂક્યા છે અથવા તો આપી રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ નિવેદન આપ્યું છે. 


હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે - જગદીશ ઠાકોર

મોડાસા ખાતે કોંગ્રેસે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા આયોજીત 'જય ભારત સત્યાગ્રહ સંમેલન'માં જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણ કે હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે. તથા આ કેસ ના તો કોઈ મોદી સમાજના સંગઠન દ્વારા થયો છે, ના તો કોઈ મંડળ દ્વારા થયો છે. આ કેસ ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો છે. 


અમિત ચાવડાએ પણ કર્યું હતું સંબોધન 

તે સિવાય આરક્ષણનો મુદ્દો પણ જગદીશ ઠાકોર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સરકાર આરક્ષણના આંકડા જાહેર કરતી નથી. જો જાહેર કરે તો સાચી હકીકત ખબર પડે કે ખરેખર ઓબીસી અનામત કેટલા ટકા છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોર સિવાય અમિત ચાવડાએ પણ સંબોધન કર્યું હતું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.