સરકારી ભરતીને લઈ જગદીશ ઠાકોરે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-07 16:22:29

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ જતા દરેક પાર્ટી પોતાનો પ્રચારમાં વ્યસ્ત બની છે. કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. એક તરફ દેશમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો ગુજરાતમાં કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે અનામત પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર જગદીશ ઠાકોરે ટિપ્પણી કરી હતી. પ્રહાર કરતા તેમણે કહ્યું કે અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી થતી જ નથી. એટલે અનામતનો કોઈ અર્થ નથી. 

jagdish Thakor

જગદીશ ઠાકોરે આપી પ્રતિક્રિયા

ભાજપ ઘણા સમયથી પોતાનો પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી પ્રચારની શરૂઆત કરી છે. અનેક દિવસોથી આ યાત્રા નીકળી રહી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. EWSના નિર્ણયને કોંગ્રેસે આવકાર્યો પરંતુ જગદીશ ઠાકોરે એની સાથે અનેક પ્રશ્નો પણ પૂછ્યા છે. 

અનામતનો આજે કોઈ અર્થ નથી - જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોરે સવાલ ઉઠાવતા કહ્યું કે આર્થિક રીતે નબળા લોકો હોય તો તે અનામતનો લાભ  ક્યારે તમે આપી શકો. સરકારના તમામ વિભાગોની મહેકમ મુજબ અને વસ્તીના આધારે મહેકમ વધતું હોય છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકારે એરપોર્ટ વહેંચી નાખ્યા. વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું રેલવે વેંચી નાખ્યા. બેન્કોને મર્જ કરી નાખી.દેશની નવરત્ન કંપનીઓ કોંગ્રેસની સરકારે બનાવી હતી તે વેચાઈ ગઈ. અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી નથી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી. અમે જૂનું મહેકમ ફરી લાવીશું.                            




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.