સરકારી ભરતીને લઈ જગદીશ ઠાકોરે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-07 16:22:29

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ જતા દરેક પાર્ટી પોતાનો પ્રચારમાં વ્યસ્ત બની છે. કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. એક તરફ દેશમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો ગુજરાતમાં કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે અનામત પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર જગદીશ ઠાકોરે ટિપ્પણી કરી હતી. પ્રહાર કરતા તેમણે કહ્યું કે અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી થતી જ નથી. એટલે અનામતનો કોઈ અર્થ નથી. 

jagdish Thakor

જગદીશ ઠાકોરે આપી પ્રતિક્રિયા

ભાજપ ઘણા સમયથી પોતાનો પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી પ્રચારની શરૂઆત કરી છે. અનેક દિવસોથી આ યાત્રા નીકળી રહી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. EWSના નિર્ણયને કોંગ્રેસે આવકાર્યો પરંતુ જગદીશ ઠાકોરે એની સાથે અનેક પ્રશ્નો પણ પૂછ્યા છે. 

અનામતનો આજે કોઈ અર્થ નથી - જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોરે સવાલ ઉઠાવતા કહ્યું કે આર્થિક રીતે નબળા લોકો હોય તો તે અનામતનો લાભ  ક્યારે તમે આપી શકો. સરકારના તમામ વિભાગોની મહેકમ મુજબ અને વસ્તીના આધારે મહેકમ વધતું હોય છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકારે એરપોર્ટ વહેંચી નાખ્યા. વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું રેલવે વેંચી નાખ્યા. બેન્કોને મર્જ કરી નાખી.દેશની નવરત્ન કંપનીઓ કોંગ્રેસની સરકારે બનાવી હતી તે વેચાઈ ગઈ. અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી નથી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી. અમે જૂનું મહેકમ ફરી લાવીશું.                            




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.