સરકારી ભરતીને લઈ જગદીશ ઠાકોરે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-07 16:22:29

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ જતા દરેક પાર્ટી પોતાનો પ્રચારમાં વ્યસ્ત બની છે. કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. એક તરફ દેશમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો ગુજરાતમાં કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે અનામત પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર જગદીશ ઠાકોરે ટિપ્પણી કરી હતી. પ્રહાર કરતા તેમણે કહ્યું કે અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી થતી જ નથી. એટલે અનામતનો કોઈ અર્થ નથી. 

jagdish Thakor

જગદીશ ઠાકોરે આપી પ્રતિક્રિયા

ભાજપ ઘણા સમયથી પોતાનો પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી પ્રચારની શરૂઆત કરી છે. અનેક દિવસોથી આ યાત્રા નીકળી રહી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત ભાજપ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. EWSના નિર્ણયને કોંગ્રેસે આવકાર્યો પરંતુ જગદીશ ઠાકોરે એની સાથે અનેક પ્રશ્નો પણ પૂછ્યા છે. 

અનામતનો આજે કોઈ અર્થ નથી - જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોરે સવાલ ઉઠાવતા કહ્યું કે આર્થિક રીતે નબળા લોકો હોય તો તે અનામતનો લાભ  ક્યારે તમે આપી શકો. સરકારના તમામ વિભાગોની મહેકમ મુજબ અને વસ્તીના આધારે મહેકમ વધતું હોય છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકારે એરપોર્ટ વહેંચી નાખ્યા. વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું રેલવે વેંચી નાખ્યા. બેન્કોને મર્જ કરી નાખી.દેશની નવરત્ન કંપનીઓ કોંગ્રેસની સરકારે બનાવી હતી તે વેચાઈ ગઈ. અનામતની વાત થાય છે પણ સરકારી ભરતી નથી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી. અમે જૂનું મહેકમ ફરી લાવીશું.                            




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.