કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ મુદ્દે જગદીશ ઠાકોરે કરી સ્પષ્ટી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 17:46:12

ગુજરાત વિધાનસભા ચુંટણી જેટલી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાય રહ્યો છે. જ્યારે આપ દ્વારા 29 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પણ પોતાની યાદી ટુંક સમયમાં જાહેર કરશે . થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારના સંભવિત નામ જાહેર થયા તેના પર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે હજુતો અમારી સ્કિનિંગ કમિટી પણ નથી બેઠી. હજુ અમારી પાસે ઉમેદવારીનું લિસ્ટ આવી રહ્યું છે. ક્યાંથી આ નામો ચાલી રહ્યા છે તે ખબર નથી. કોઈ ઓફિસિયલ ચર્ચા પણ નથી થઈ. નામ ડિકલેર કે ફાઇનલ થવાની વાત તો બાજુ પર રહી. ઉમેદવારો અને સંગઠનોને સાંભળવાનું શરૂ થયું છે. સ્કિનિંગ કમિટીની જે તારીખ હતી તે પદયાત્રાના કારણે રદ્દ થઈ છે અને હજુ બીજી તારીખ પણ નક્કી નથી થઈ. જે નામો સામે આવ્યા છે તેમાં કોઈ તથ્ય નથી અને તે મામલે કોઈ ચર્ચા નથી થઈ.


સ્કિનિંગ કમિટીની બેઠક મુલતવી

ગુજરાતમાં સત્તા મેળવવા કોંગ્રેસ અને આપ દમખમથી તૈયારીયો કરી રહ્યું છે. 2 દિવસ પેહલા કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જાહેર થવાના હતા પરંતુ જગદીશ ઠાકોરએ કહ્યું  હવે કોંગ્રેસના ઉમેદવારની યાદી મોડી જાહેર થશે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસની સ્કિનિંગ બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી માટે રાહ જોવી પડશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .