કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ મુદ્દે જગદીશ ઠાકોરે કરી સ્પષ્ટી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 17:46:12

ગુજરાત વિધાનસભા ચુંટણી જેટલી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાય રહ્યો છે. જ્યારે આપ દ્વારા 29 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પણ પોતાની યાદી ટુંક સમયમાં જાહેર કરશે . થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારના સંભવિત નામ જાહેર થયા તેના પર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે હજુતો અમારી સ્કિનિંગ કમિટી પણ નથી બેઠી. હજુ અમારી પાસે ઉમેદવારીનું લિસ્ટ આવી રહ્યું છે. ક્યાંથી આ નામો ચાલી રહ્યા છે તે ખબર નથી. કોઈ ઓફિસિયલ ચર્ચા પણ નથી થઈ. નામ ડિકલેર કે ફાઇનલ થવાની વાત તો બાજુ પર રહી. ઉમેદવારો અને સંગઠનોને સાંભળવાનું શરૂ થયું છે. સ્કિનિંગ કમિટીની જે તારીખ હતી તે પદયાત્રાના કારણે રદ્દ થઈ છે અને હજુ બીજી તારીખ પણ નક્કી નથી થઈ. જે નામો સામે આવ્યા છે તેમાં કોઈ તથ્ય નથી અને તે મામલે કોઈ ચર્ચા નથી થઈ.


સ્કિનિંગ કમિટીની બેઠક મુલતવી

ગુજરાતમાં સત્તા મેળવવા કોંગ્રેસ અને આપ દમખમથી તૈયારીયો કરી રહ્યું છે. 2 દિવસ પેહલા કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જાહેર થવાના હતા પરંતુ જગદીશ ઠાકોરએ કહ્યું  હવે કોંગ્રેસના ઉમેદવારની યાદી મોડી જાહેર થશે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસની સ્કિનિંગ બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી માટે રાહ જોવી પડશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.