ચૂંટણી નજીક આવતા જગદીશ ઠાકોરે આપ્યું નિવેદન, કહ્યું ગુજરાતમાં ભાજપની સરકારને બદલીએ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:48:50

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીના પ્રચારમાં લાગી ગઈ છે. રાજકીય પાર્ટીઓ એક બીજા પર પ્રહાર કરવાના એક પણ મોકા છોડતા નથી. ત્યારે નવા વર્ષના દિવસે પણ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તે બાદ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.

ગુજરાતની સરકાર લોકશાહીને ધ્વસ્ત કરનારી સરકાર છે - જગદીશ ઠાકોર

નવા વર્ષની શુભકામના પાઠવતા જગદીશ ઠાકેરે કહ્યું કે નવું વર્ષ આપના જીવનમાં ઉજાસ, પ્રકાશ લઈને આવે. સૌ દેશવાસીઓ અને ગુજરાતીઓ ખુશહાલ રહે એવી શુભેચ્છા. વધુમાં તેમણે ઉમેર્યું કે દેશમાં અને ગુજરાતમાં જે સરકારો ચાલી રહી છે તે લોકશાહીને ધ્વસ્ત કરનારી સરકાર છે. ભાજપ પર પણ તેમને આકરા પ્રહાર કર્યા હતા. 


પરિવર્તન એ જ સંકલ્પ - જગદીશ ઠાકોર

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સંકલ્પ કરો, પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો પરિવર્તન એ જ સંકલ્પ. ગુજરાતમાં ભાજપની સરકાર બદલીએ, ભારત જોડો યાત્રામાં નવસર્જનમાં દેશને જોડવાની વાત કરીએ અને લોકશાહીને બચાવવાની વાત કરીએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે