ચૂંટણી નજીક આવતા જગદીશ ઠાકોરે આપ્યું નિવેદન, કહ્યું ગુજરાતમાં ભાજપની સરકારને બદલીએ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:48:50

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીના પ્રચારમાં લાગી ગઈ છે. રાજકીય પાર્ટીઓ એક બીજા પર પ્રહાર કરવાના એક પણ મોકા છોડતા નથી. ત્યારે નવા વર્ષના દિવસે પણ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તે બાદ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.

ગુજરાતની સરકાર લોકશાહીને ધ્વસ્ત કરનારી સરકાર છે - જગદીશ ઠાકોર

નવા વર્ષની શુભકામના પાઠવતા જગદીશ ઠાકેરે કહ્યું કે નવું વર્ષ આપના જીવનમાં ઉજાસ, પ્રકાશ લઈને આવે. સૌ દેશવાસીઓ અને ગુજરાતીઓ ખુશહાલ રહે એવી શુભેચ્છા. વધુમાં તેમણે ઉમેર્યું કે દેશમાં અને ગુજરાતમાં જે સરકારો ચાલી રહી છે તે લોકશાહીને ધ્વસ્ત કરનારી સરકાર છે. ભાજપ પર પણ તેમને આકરા પ્રહાર કર્યા હતા. 


પરિવર્તન એ જ સંકલ્પ - જગદીશ ઠાકોર

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સંકલ્પ કરો, પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો પરિવર્તન એ જ સંકલ્પ. ગુજરાતમાં ભાજપની સરકાર બદલીએ, ભારત જોડો યાત્રામાં નવસર્જનમાં દેશને જોડવાની વાત કરીએ અને લોકશાહીને બચાવવાની વાત કરીએ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.