ચૂંટણી નજીક આવતા જગદીશ ઠાકોરે આપ્યું નિવેદન, કહ્યું ગુજરાતમાં ભાજપની સરકારને બદલીએ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:48:50

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીના પ્રચારમાં લાગી ગઈ છે. રાજકીય પાર્ટીઓ એક બીજા પર પ્રહાર કરવાના એક પણ મોકા છોડતા નથી. ત્યારે નવા વર્ષના દિવસે પણ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તે બાદ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.

ગુજરાતની સરકાર લોકશાહીને ધ્વસ્ત કરનારી સરકાર છે - જગદીશ ઠાકોર

નવા વર્ષની શુભકામના પાઠવતા જગદીશ ઠાકેરે કહ્યું કે નવું વર્ષ આપના જીવનમાં ઉજાસ, પ્રકાશ લઈને આવે. સૌ દેશવાસીઓ અને ગુજરાતીઓ ખુશહાલ રહે એવી શુભેચ્છા. વધુમાં તેમણે ઉમેર્યું કે દેશમાં અને ગુજરાતમાં જે સરકારો ચાલી રહી છે તે લોકશાહીને ધ્વસ્ત કરનારી સરકાર છે. ભાજપ પર પણ તેમને આકરા પ્રહાર કર્યા હતા. 


પરિવર્તન એ જ સંકલ્પ - જગદીશ ઠાકોર

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સંકલ્પ કરો, પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો પરિવર્તન એ જ સંકલ્પ. ગુજરાતમાં ભાજપની સરકાર બદલીએ, ભારત જોડો યાત્રામાં નવસર્જનમાં દેશને જોડવાની વાત કરીએ અને લોકશાહીને બચાવવાની વાત કરીએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.