ભાવનગર તોડકાંડના યુવરાજસિંહ જાડેજા સહિત તમામ 6 આરોપીઓેની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-05-05 14:12:47

ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર નામંજુર કરવામાં આવી છે. ભાવનગર પોલીસે આરોપીઓ સાથે કોઈ અઘટિત બનાવ ન બને તે માટે તેમની સુરક્ષા માટે જેલ ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી હતી. જો કે ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ ન્યાયમૂર્તિએ તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર કરવાની માગ નામંજુર કરી છે.


આરોપીઓની જેલ ટ્રાન્સફર માગ રિજેક્ટ


પોલીસ પ્રશાસન દ્વારા તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર માંગવામાં આવી હતી. આ અંગે પોલીસે આરોપીઓની સુરક્ષાનું કારણ ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ ધર્યું હતું. જેલમાં બંધ 6 આરોપીઓ સાથે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસે આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગ કરી હતી. જો કે ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયમૂર્તિએ તોડકાંડના 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની પોલીસની માગ રિજેક્ટ કરી હતી. 


પોલીસે વ્યક્ત કરી આ આશંકા


તોડકાંડમાં મામલે પોલીસે યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા સહિત 6 આરોપી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતાં તોડકાંડના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા હતા. તોડકાંડને લઈને કોઈ અણબનાવ સામે ન આવે તે માટે પ્રશાસન દ્વારા 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તોડકાંડનો ભાંડો ફોડનાર બિપિન ત્રિવેદી પણ હાલ યુવરાજસિંહ સાથે જ જેલમાં બંધ છે. જો કે હવે કોર્ટ દ્વારા અરજી નામંજુર કરવામાં આવતા હવે તમામ આરોપીઓ એક જ જેલમાં બંધ રહેશે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.