ભાવનગર તોડકાંડના યુવરાજસિંહ જાડેજા સહિત તમામ 6 આરોપીઓેની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-05-05 14:12:47

ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર નામંજુર કરવામાં આવી છે. ભાવનગર પોલીસે આરોપીઓ સાથે કોઈ અઘટિત બનાવ ન બને તે માટે તેમની સુરક્ષા માટે જેલ ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી હતી. જો કે ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ ન્યાયમૂર્તિએ તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર કરવાની માગ નામંજુર કરી છે.


આરોપીઓની જેલ ટ્રાન્સફર માગ રિજેક્ટ


પોલીસ પ્રશાસન દ્વારા તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર માંગવામાં આવી હતી. આ અંગે પોલીસે આરોપીઓની સુરક્ષાનું કારણ ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ ધર્યું હતું. જેલમાં બંધ 6 આરોપીઓ સાથે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસે આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગ કરી હતી. જો કે ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયમૂર્તિએ તોડકાંડના 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની પોલીસની માગ રિજેક્ટ કરી હતી. 


પોલીસે વ્યક્ત કરી આ આશંકા


તોડકાંડમાં મામલે પોલીસે યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા સહિત 6 આરોપી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતાં તોડકાંડના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા હતા. તોડકાંડને લઈને કોઈ અણબનાવ સામે ન આવે તે માટે પ્રશાસન દ્વારા 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તોડકાંડનો ભાંડો ફોડનાર બિપિન ત્રિવેદી પણ હાલ યુવરાજસિંહ સાથે જ જેલમાં બંધ છે. જો કે હવે કોર્ટ દ્વારા અરજી નામંજુર કરવામાં આવતા હવે તમામ આરોપીઓ એક જ જેલમાં બંધ રહેશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.