શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજ લડી લેવાના મૂડમાં, સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-01-01 17:37:05

શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, લાખો જૈનોની આસ્થાના પ્રતિક એવા શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજે અમદાવાદમાં રેલી યોજી હતી. શહેરના પાલડી ચાર રસ્તાથી RTO સુધી યોજાયેલી આ 3 કિમી કરતાં લાંબી વિશાળ રેલીમાં જૈન ધર્માચાર્યો સાથે  15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. આ રેલી દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર કરી  તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતા. 


ઉગ્ર આંદોલનની સરકારને ચિમકી


જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા આયોજીત કરવામાં આવેલી આ મહારેલી 11 વાગે રેલી સુભાશ બ્રિજ કલેકટર કચેરી પાસેના બત્રીસી હોલ પાસે પહોંચી હતી, જૈન સમાજની લાગણી અંગે સરકાર ધ્યાન નહીં આપે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


જૈન સમાજમાં રોષ શા માટે?


જૈન સમાજમાં ભયાનક આક્રોશનું કારણ પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ, શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ, શત્રુંજય પર્વત ગેરકાયદે બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ, મના રાઠોડ સહિતના માથાભારે તત્ત્વોનો આતંક, તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેનાં દબાણો, જંબુદ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ અને ડોલી એસોશિયેશનની જોહુકમી વગેરે મુદ્દાઓના કારણે જૈન સમાજની ધીરજ ખુટી ગઈ છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.