શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજ લડી લેવાના મૂડમાં, સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-01-01 17:37:05

શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, લાખો જૈનોની આસ્થાના પ્રતિક એવા શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજે અમદાવાદમાં રેલી યોજી હતી. શહેરના પાલડી ચાર રસ્તાથી RTO સુધી યોજાયેલી આ 3 કિમી કરતાં લાંબી વિશાળ રેલીમાં જૈન ધર્માચાર્યો સાથે  15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. આ રેલી દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર કરી  તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતા. 


ઉગ્ર આંદોલનની સરકારને ચિમકી


જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા આયોજીત કરવામાં આવેલી આ મહારેલી 11 વાગે રેલી સુભાશ બ્રિજ કલેકટર કચેરી પાસેના બત્રીસી હોલ પાસે પહોંચી હતી, જૈન સમાજની લાગણી અંગે સરકાર ધ્યાન નહીં આપે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


જૈન સમાજમાં રોષ શા માટે?


જૈન સમાજમાં ભયાનક આક્રોશનું કારણ પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ, શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ, શત્રુંજય પર્વત ગેરકાયદે બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ, મના રાઠોડ સહિતના માથાભારે તત્ત્વોનો આતંક, તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેનાં દબાણો, જંબુદ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ અને ડોલી એસોશિયેશનની જોહુકમી વગેરે મુદ્દાઓના કારણે જૈન સમાજની ધીરજ ખુટી ગઈ છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.