શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજ લડી લેવાના મૂડમાં, સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-01-01 17:37:05

શત્રુંજય મહાતીર્થ મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, લાખો જૈનોની આસ્થાના પ્રતિક એવા શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજે અમદાવાદમાં રેલી યોજી હતી. શહેરના પાલડી ચાર રસ્તાથી RTO સુધી યોજાયેલી આ 3 કિમી કરતાં લાંબી વિશાળ રેલીમાં જૈન ધર્માચાર્યો સાથે  15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. આ રેલી દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર કરી  તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતા. 


ઉગ્ર આંદોલનની સરકારને ચિમકી


જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા આયોજીત કરવામાં આવેલી આ મહારેલી 11 વાગે રેલી સુભાશ બ્રિજ કલેકટર કચેરી પાસેના બત્રીસી હોલ પાસે પહોંચી હતી, જૈન સમાજની લાગણી અંગે સરકાર ધ્યાન નહીં આપે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


જૈન સમાજમાં રોષ શા માટે?


જૈન સમાજમાં ભયાનક આક્રોશનું કારણ પાલિતાણામાં રોહિશાળા ખાતે આદિનાથ પ્રભુનાં પગલાંની તોડફોડ, શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરા અને બોર્ડની તોડફોડ, શત્રુંજય પર્વત ગેરકાયદે બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ, મના રાઠોડ સહિતના માથાભારે તત્ત્વોનો આતંક, તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેનાં દબાણો, જંબુદ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ અને ડોલી એસોશિયેશનની જોહુકમી વગેરે મુદ્દાઓના કારણે જૈન સમાજની ધીરજ ખુટી ગઈ છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.