જયસુખ પટેલને જામીન મળશે કે જેલ? મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ આજે કરશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2023-03-07 13:08:12

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના માટે દોષિત મનાતા ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલ છેલ્લા 27 દિવસથી જેલમાં બંધ છે. જયસુખ પટેલે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે અંગે આજે કોર્ટ ફેંસલો સંભળાવશે.અત્રે ઉલ્લેખનિય છે કે જયસુખ પટેલની જામીન અરજી પર ત્રણ દિવસ અગાઉ સુનાવણી યોજાઈ હતી જેમાં કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળી હતી. 


કોર્ટમાં શું દલીલો થઈ?


જયસુખ પટેલની જામીન અરજી પર  મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ગત 4 માર્ચે કોર્ટમાંસુનાવણી યોજાઈ હતી. જામીન મુદ્દે બંને પક્ષના વકીલોએ જોરદાર દલીલો રજૂ કરી હતી. જયસુખ પટેલના વકીલે હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને દલીલ રજૂ કરી હતી કે, બેંકનું કામ અને પીડિતોને વળતર ચૂકવવા માટે જયસુખ પટેલને વચગાળાના જામીન મંજૂર કરવા જોઈએ. જો કે સરકારી વકીલે સામે દલીલો રજૂ કરતા કહ્યું કે,  જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા. વળી તે એક મહિનાથી જેલમાં બંધ છે,  છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી. જે બાદ નામદાર મોરબી કોર્ટે  જામીન અંગે ચુકાદો આપવાની તારીખ આગામી 7મી માર્ચ નિર્ધારીત કરી હતી.


 HC એ વળતરનો કર્યો હતો આદેશ


મોરબી બ્રીજ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને મૃતકના પરિવારજનોને રૂ.10-10 લાખ અને ઘાયલોને રૂ. 2-2 લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. તે સમયે હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી.


મામલો શું છે?


મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે આ પુલ 5 દિવસમાં જ તૂટી પડ્યો હતો અને 135 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો. આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. આ બ્રિજનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.