જામનગરમાં આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-26 18:30:06

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 

એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું છે. ત્યારે જામનગર શહેરના વોર્ડ નંબર ૩થી સમાચાર સામે આવ્યા છે કે , આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું છે. ગઈકાલે તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી: આજે ફરી છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતાં : જ્યાં મૃત્યુ નિપજતા શોકનો માહોલ છે. આ સમગ્ર મામલે , આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે , " આમ આદમી પાર્ટીમાંથી જામનગર મહાનગરપાલિકાના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું અકાળે દુઃખદ અવસાન થતા હું શોકની લાગણી અનુભવું છું અને સ્વર્ગસ્થ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સદગતના પરિવારજનોને આ દુઃખદાયી પરિસ્થિતિને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ." 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે કાળઝાળ ગરમી વચ્ચે યોજાઈ છે ત્યારે , સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં પેટલાદ તાલુકાના બુથ નંબર 1 પર ફરજ બજાવી રહેલા કર્મચારી અમિત સોલંકીએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે.  આજે મતદાન કરવામાં સૌથી આગળ મોરબી રહ્યું છે.




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.