સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું છે. ત્યારે જામનગર શહેરના વોર્ડ નંબર ૩થી સમાચાર સામે આવ્યા છે કે , આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું છે. ગઈકાલે તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી: આજે ફરી છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતાં : જ્યાં મૃત્યુ નિપજતા શોકનો માહોલ છે. આ સમગ્ર મામલે , આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે , " આમ આદમી પાર્ટીમાંથી જામનગર મહાનગરપાલિકાના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું અકાળે દુઃખદ અવસાન થતા હું શોકની લાગણી અનુભવું છું અને સ્વર્ગસ્થ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સદગતના પરિવારજનોને આ દુઃખદાયી પરિસ્થિતિને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ."
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે કાળઝાળ ગરમી વચ્ચે યોજાઈ છે ત્યારે , સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં પેટલાદ તાલુકાના બુથ નંબર 1 પર ફરજ બજાવી રહેલા કર્મચારી અમિત સોલંકીએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. આજે મતદાન કરવામાં સૌથી આગળ મોરબી રહ્યું છે.






.jpg)








