જામનગરમાં આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-26 18:30:06

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 

એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું છે. ત્યારે જામનગર શહેરના વોર્ડ નંબર ૩થી સમાચાર સામે આવ્યા છે કે , આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું છે. ગઈકાલે તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી: આજે ફરી છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતાં : જ્યાં મૃત્યુ નિપજતા શોકનો માહોલ છે. આ સમગ્ર મામલે , આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે , " આમ આદમી પાર્ટીમાંથી જામનગર મહાનગરપાલિકાના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું અકાળે દુઃખદ અવસાન થતા હું શોકની લાગણી અનુભવું છું અને સ્વર્ગસ્થ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સદગતના પરિવારજનોને આ દુઃખદાયી પરિસ્થિતિને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ." 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે કાળઝાળ ગરમી વચ્ચે યોજાઈ છે ત્યારે , સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં પેટલાદ તાલુકાના બુથ નંબર 1 પર ફરજ બજાવી રહેલા કર્મચારી અમિત સોલંકીએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે.  આજે મતદાન કરવામાં સૌથી આગળ મોરબી રહ્યું છે.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.