Jamawat Election Yatra પહોંચી Bhavnagarના એવા વિસ્તારમાં જ્યાં ભાજપના નેતાઓની છે પ્રવેશ બંધી! સાંભળો ક્ષત્રિય સમાજના લોકોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-03 15:16:56

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ... ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો... પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી પરંતુ આ વિવાદ શાંત થવાના બદલે વધતો જઈ રહ્યો છે.. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગરના એ ગામમાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો મોટા પ્રમાણમાં વસે છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને તેમણે વખોડ્યું હતું...        

ભાવનગરના એ ગામ પહોંચી જમાવટની ટીમ જ્યાં... 

પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ક્ષત્રિય રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યો હતો.. ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે.. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક જગ્યાઓ એવી છે જ્યાં ભાજપના નેતાઓના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી છે.. અનેક જગ્યાઓ પર વિરોધના પોસ્ટર લાગ્યા છે.. ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા ભાવનગરનાએ ગામમાં પહોંચી હતી જ્યાં ભાજપના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી..



ક્ષત્રિય સમાજના લોકોમાં જોવા મળ્યો રોષ!

જામનગરના સોમનાથ નગરમાં જમાવટની ટીમ પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહે છે... મુખ્ય પ્રશ્નો અહીંયા પરષોત્તમ રૂપાલાને લઈ પૂછવામાં આવ્યો હતો કારણ કે ઘણા સમયથી આ મુદ્દો ચાલ્યો છે પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું...! જ્યારે મતદાતાને પૂછવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ કઈ બાજુ છે તો તેમણે કહ્યું કે પહેલા ભાજપ સાથે જ હતા  પણ હવે રૂપાલાભાઈ દ્વારા જે વિધાનો કર્યા તે આજ પછી ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં આવી ગયો છે... ભાજપના વિરૂદ્ધમાં જ મતદાન કરીશું તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. રૂપાલાને હટાવો તેવી અમારી માગ હતી પરંતુ...


સ્થાનિકોના જણાવ્યા અનુસાર ક્ષત્રિય સમાજનો શું છે ઉદ્દેશ? 

બીજા એક મતદારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અમારો એક જ  મત હતો કે રૂપાલાની ટિકીટ કાપવામાં આવે.. ક્ષત્રિય સમાજનો બીજો કોઈ ઉપદ્દેશ્ય ન હતો.. પણ આમનો અહંકાર સાતમે આસમાને હતો.. તે સિવાય પણ તેમણે આંદોલનની વાત કરી હતી..તેમણે કહ્યું કે પહેલા ઉપદ્દેશ્ય હતું કે રૂપાલાને હટાવો, પરંતુ ભાજપે તેમને ના હટાવ્યા જેને કારણે હવે મત થઈ ગયો છે કે ભાજપને હટાવો..! તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો એક જ ઉપદ્દેશ્ય છે 7 તારીખે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું.. તે સિવાય પણ અનેક મતદાતાઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.. મહિલાઓનો રોષ પણ છલકાઈ આવ્યો હતો.. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.