Jamawat Election Yatra પહોંચી Bhavnagarના એવા વિસ્તારમાં જ્યાં ભાજપના નેતાઓની છે પ્રવેશ બંધી! સાંભળો ક્ષત્રિય સમાજના લોકોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-03 15:16:56

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ... ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો... પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી પરંતુ આ વિવાદ શાંત થવાના બદલે વધતો જઈ રહ્યો છે.. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગરના એ ગામમાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો મોટા પ્રમાણમાં વસે છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને તેમણે વખોડ્યું હતું...        

ભાવનગરના એ ગામ પહોંચી જમાવટની ટીમ જ્યાં... 

પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ક્ષત્રિય રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યો હતો.. ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે.. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક જગ્યાઓ એવી છે જ્યાં ભાજપના નેતાઓના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી છે.. અનેક જગ્યાઓ પર વિરોધના પોસ્ટર લાગ્યા છે.. ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા ભાવનગરનાએ ગામમાં પહોંચી હતી જ્યાં ભાજપના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી..



ક્ષત્રિય સમાજના લોકોમાં જોવા મળ્યો રોષ!

જામનગરના સોમનાથ નગરમાં જમાવટની ટીમ પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહે છે... મુખ્ય પ્રશ્નો અહીંયા પરષોત્તમ રૂપાલાને લઈ પૂછવામાં આવ્યો હતો કારણ કે ઘણા સમયથી આ મુદ્દો ચાલ્યો છે પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું...! જ્યારે મતદાતાને પૂછવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ કઈ બાજુ છે તો તેમણે કહ્યું કે પહેલા ભાજપ સાથે જ હતા  પણ હવે રૂપાલાભાઈ દ્વારા જે વિધાનો કર્યા તે આજ પછી ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં આવી ગયો છે... ભાજપના વિરૂદ્ધમાં જ મતદાન કરીશું તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. રૂપાલાને હટાવો તેવી અમારી માગ હતી પરંતુ...


સ્થાનિકોના જણાવ્યા અનુસાર ક્ષત્રિય સમાજનો શું છે ઉદ્દેશ? 

બીજા એક મતદારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અમારો એક જ  મત હતો કે રૂપાલાની ટિકીટ કાપવામાં આવે.. ક્ષત્રિય સમાજનો બીજો કોઈ ઉપદ્દેશ્ય ન હતો.. પણ આમનો અહંકાર સાતમે આસમાને હતો.. તે સિવાય પણ તેમણે આંદોલનની વાત કરી હતી..તેમણે કહ્યું કે પહેલા ઉપદ્દેશ્ય હતું કે રૂપાલાને હટાવો, પરંતુ ભાજપે તેમને ના હટાવ્યા જેને કારણે હવે મત થઈ ગયો છે કે ભાજપને હટાવો..! તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો એક જ ઉપદ્દેશ્ય છે 7 તારીખે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું.. તે સિવાય પણ અનેક મતદાતાઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.. મહિલાઓનો રોષ પણ છલકાઈ આવ્યો હતો.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે