Jamawat Election Yatra પહોંચી Bhavnagarના એવા વિસ્તારમાં જ્યાં ભાજપના નેતાઓની છે પ્રવેશ બંધી! સાંભળો ક્ષત્રિય સમાજના લોકોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-03 15:16:56

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ... ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો... પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી પરંતુ આ વિવાદ શાંત થવાના બદલે વધતો જઈ રહ્યો છે.. અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગરના એ ગામમાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો મોટા પ્રમાણમાં વસે છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને તેમણે વખોડ્યું હતું...        

ભાવનગરના એ ગામ પહોંચી જમાવટની ટીમ જ્યાં... 

પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ક્ષત્રિય રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યો હતો.. ઠેર ઠેર વિરોધ કરાઈ રહ્યો છે.. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક જગ્યાઓ એવી છે જ્યાં ભાજપના નેતાઓના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી છે.. અનેક જગ્યાઓ પર વિરોધના પોસ્ટર લાગ્યા છે.. ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા ભાવનગરનાએ ગામમાં પહોંચી હતી જ્યાં ભાજપના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી..



ક્ષત્રિય સમાજના લોકોમાં જોવા મળ્યો રોષ!

જામનગરના સોમનાથ નગરમાં જમાવટની ટીમ પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહે છે... મુખ્ય પ્રશ્નો અહીંયા પરષોત્તમ રૂપાલાને લઈ પૂછવામાં આવ્યો હતો કારણ કે ઘણા સમયથી આ મુદ્દો ચાલ્યો છે પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું...! જ્યારે મતદાતાને પૂછવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ કઈ બાજુ છે તો તેમણે કહ્યું કે પહેલા ભાજપ સાથે જ હતા  પણ હવે રૂપાલાભાઈ દ્વારા જે વિધાનો કર્યા તે આજ પછી ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં આવી ગયો છે... ભાજપના વિરૂદ્ધમાં જ મતદાન કરીશું તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. રૂપાલાને હટાવો તેવી અમારી માગ હતી પરંતુ...


સ્થાનિકોના જણાવ્યા અનુસાર ક્ષત્રિય સમાજનો શું છે ઉદ્દેશ? 

બીજા એક મતદારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અમારો એક જ  મત હતો કે રૂપાલાની ટિકીટ કાપવામાં આવે.. ક્ષત્રિય સમાજનો બીજો કોઈ ઉપદ્દેશ્ય ન હતો.. પણ આમનો અહંકાર સાતમે આસમાને હતો.. તે સિવાય પણ તેમણે આંદોલનની વાત કરી હતી..તેમણે કહ્યું કે પહેલા ઉપદ્દેશ્ય હતું કે રૂપાલાને હટાવો, પરંતુ ભાજપે તેમને ના હટાવ્યા જેને કારણે હવે મત થઈ ગયો છે કે ભાજપને હટાવો..! તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો એક જ ઉપદ્દેશ્ય છે 7 તારીખે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનું.. તે સિવાય પણ અનેક મતદાતાઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.. મહિલાઓનો રોષ પણ છલકાઈ આવ્યો હતો.. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.