મતદાતાનો મિજાજ જાણવા Porbandar પહોંચી Jamawat Election Yatra,Loksabha ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાશે, અર્જુન મોઢવાડિયા માટે લોકો વિચારે છે કે..


  • Published By :
  • Published Date : 2024-04-25 18:38:56

લોકસભા ચૂંટણીના મતદાનની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે.. ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવાની કોશિશ કરી હતી... આ બેઠક પર પેટા ચૂંટણી એટલા માટે થવાની છે કારણ કે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ બેઠકના લોકો લોકસભા ચૂંટણીને લઈ અને પેટાચૂંટણીને લઈ શું વિચારે છે તે સમજીએ....   

ધારાસભ્ય જ્યારે પક્ષ પલટો કરી લે છે ત્યારે... 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર મતદાતાઓને બે વાર મતદાન કરવું પડશે... એક લોકસભા માટે જ્યારે બીજું પેટા ચૂંટણી માટે.. આ વિધાનસભા બેઠક પર મતદાતાઓએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા હતા. પોતાનો કિંમતી મત આપી તેમણે ધારાસભ્ય બનાવ્યા હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે જમાવટની ટીમે કોશિશ કરી હતી એ જાણવાની કે ત્યાંના મતદાતાઓ ધારાસભ્યના પક્ષ પલટાને લઈ શું વિચારે છે અને લોકસભા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા કયા મુદ્દાઓને ધ્યાનમાં લે છે...

પોરબંદર લોકસભા બેઠકના આ છે ઉમેદવાર 

જમાવટની ટીમ પહોંચી હતી પોરબંદરના દરિયા કિનારા, ત્યાં ઉપસ્થિત લોકો લોકસભા બેઠકના ઉમેદવારો વિશે શું માને છે તે જાણવા.. લોકસભા ચૂંટણીના ઉમેદવારની વાત કરીએ તો પોરબંદર બેઠક માટે ભાજપે મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન તરફથી લલિત વસોયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે... જ્યારે  મતદાતાઓનો કોણ જીતશે તેનો પ્રશ્ન પૂછવામાં  આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આવશે તો ભાજપ જ.... ભાજપને કારણે પોરબંદરમાં શાંતિ છે તેવી વાતો મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..

અર્જુન મોઢવાડિયાને લઈ મતદાતાઓએ કહી આ વાત 

જ્યારે અર્જુન મોઢવાડિયા અંગે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે ભાજપમાં જોડાઈ એટલા માટે ગયા કારણ કે ભાજપમાં રહીને વિકાસ થઈ શકે.. ભાજપમાં જોડાયા બાદ તેઓ કામો કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ભાજપનો સપોર્ટ લેવા માટે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા તેવી વાત મતદાતા દ્વારા કરવામાં આવી. 


વડાપ્રધાન મોદીને લઈ લોકો શું વિચારે છે? 

રોજગારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જો પોરબંદરમાં ઉદ્યોગ નહીં આવે તો પોરબંદરનો વિકાસ અટકી જશે.. પોરબંદરની દયાજનક પરિસ્થિતિ છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે પ્રધાનમંત્રી તરીકે કોને જોવે છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદીને.... વિકાસને કારણે બીજેપી આવશે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..  પોરબંદરના લોકો પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાને પસંદ કરશે તો જવાબમાં મતદાતાઓએ કહ્યું કે કોંગ્રેસમાં રહીને તેઓ કામ ના કરી શકતા હતા તેને કારણે તેઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે જોવાનું રહ્યું કે પોરબંદરની જનતા કોને પસંદ કરે છે....  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"