મતદાતાનો મિજાજ જાણવા Porbandar પહોંચી Jamawat Election Yatra,Loksabha ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાશે, અર્જુન મોઢવાડિયા માટે લોકો વિચારે છે કે..


  • Published By :
  • Published Date : 2024-04-25 18:38:56

લોકસભા ચૂંટણીના મતદાનની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે.. ત્યારે જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી અને ત્યાંના મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવાની કોશિશ કરી હતી... આ બેઠક પર પેટા ચૂંટણી એટલા માટે થવાની છે કારણ કે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ બેઠકના લોકો લોકસભા ચૂંટણીને લઈ અને પેટાચૂંટણીને લઈ શું વિચારે છે તે સમજીએ....   

ધારાસભ્ય જ્યારે પક્ષ પલટો કરી લે છે ત્યારે... 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર મતદાતાઓને બે વાર મતદાન કરવું પડશે... એક લોકસભા માટે જ્યારે બીજું પેટા ચૂંટણી માટે.. આ વિધાનસભા બેઠક પર મતદાતાઓએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા હતા. પોતાનો કિંમતી મત આપી તેમણે ધારાસભ્ય બનાવ્યા હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે જમાવટની ટીમે કોશિશ કરી હતી એ જાણવાની કે ત્યાંના મતદાતાઓ ધારાસભ્યના પક્ષ પલટાને લઈ શું વિચારે છે અને લોકસભા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા કયા મુદ્દાઓને ધ્યાનમાં લે છે...

પોરબંદર લોકસભા બેઠકના આ છે ઉમેદવાર 

જમાવટની ટીમ પહોંચી હતી પોરબંદરના દરિયા કિનારા, ત્યાં ઉપસ્થિત લોકો લોકસભા બેઠકના ઉમેદવારો વિશે શું માને છે તે જાણવા.. લોકસભા ચૂંટણીના ઉમેદવારની વાત કરીએ તો પોરબંદર બેઠક માટે ભાજપે મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન તરફથી લલિત વસોયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે... જ્યારે  મતદાતાઓનો કોણ જીતશે તેનો પ્રશ્ન પૂછવામાં  આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આવશે તો ભાજપ જ.... ભાજપને કારણે પોરબંદરમાં શાંતિ છે તેવી વાતો મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..

અર્જુન મોઢવાડિયાને લઈ મતદાતાઓએ કહી આ વાત 

જ્યારે અર્જુન મોઢવાડિયા અંગે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે ભાજપમાં જોડાઈ એટલા માટે ગયા કારણ કે ભાજપમાં રહીને વિકાસ થઈ શકે.. ભાજપમાં જોડાયા બાદ તેઓ કામો કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ભાજપનો સપોર્ટ લેવા માટે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા તેવી વાત મતદાતા દ્વારા કરવામાં આવી. 


વડાપ્રધાન મોદીને લઈ લોકો શું વિચારે છે? 

રોજગારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જો પોરબંદરમાં ઉદ્યોગ નહીં આવે તો પોરબંદરનો વિકાસ અટકી જશે.. પોરબંદરની દયાજનક પરિસ્થિતિ છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે પ્રધાનમંત્રી તરીકે કોને જોવે છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદીને.... વિકાસને કારણે બીજેપી આવશે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી હતી..  પોરબંદરના લોકો પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાને પસંદ કરશે તો જવાબમાં મતદાતાઓએ કહ્યું કે કોંગ્રેસમાં રહીને તેઓ કામ ના કરી શકતા હતા તેને કારણે તેઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે જોવાનું રહ્યું કે પોરબંદરની જનતા કોને પસંદ કરે છે....  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.