Jamawat News Bulletin : બિહારના પૂર્વ મુખ્યમંત્રીને કરાશે ભારત રત્નથી સન્માનિત, ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર...


  • Published By :
  • Published Date : 2024-01-24 09:13:48

બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે તેવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે આજે એટલે કે 24 જાન્યુઆરીના રોજ કર્પૂરી ઠાકુરની 100મી જયંતી છે. જ્યંતીના એક દિવસ પહેલા જ સરકાર દ્વારા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 


કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનર બિનીત કોટિયાની કરાઈ ધરપકડ 

થોડા દિવસો પહેલા વડોદરા હરણી લેકમાં એક મોટી દુર્ઘટના બની હતી. લેકમાં બોટ પલટી જવાને કારણે અનેક બાળકો કાળનો કોળિયો બન્યા હતા. ન માત્ર બાળકો પરંતુ શિક્ષકોના પણ મોત આ દુર્ઘટનામાં થયા હતા. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમજ પીએમઓ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી. મુખ્યમંત્રી તેમજ ગૃહરાજ્યમંત્રી વડોદરા પહોંચી ગયા હતા. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે 14 જેટલા લોકોનો ભોગ લેનારા કોટિયા મેનેજમેન્ટના પાર્ટનરોને શોધવામાં પોલીસને સફળતા મળી છે. કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનર બિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ સુધી મુખ્ય સુત્રધારો પરેશ શાહ અને નિલેશ જૈન પોલીસ પકડથી દુર છે. પરેશ શાહ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાતો ચર્ચાઇ રહી છે. 



પ્રથમ દિવસે ચારથી પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ કર્યા રામલલ્લાના દર્શન

22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવ નિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ પરમદિવસે આવ્યો હતો. ભક્તો માટે ગઈકાલથી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. પહેલા જ દિવસે પાંચ લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. રામ લલ્લાના દર્શન કરવા માટે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. પડાપડીના દ્રશ્યો સામે આવ્યા હતા. ભીડને કંટ્રોલ કરવા માટે આઠ હજારથી વધારે સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ ભીડ બેકાબુ બની હતી. 



હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી    

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે જેને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગોના શહેરોનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને લઈ 27 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.    



જેલમાંથી આજે બહાર આવી શકે છે ચૈતર વસાવા 

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળી ગયા છે. જે અનુસાર કેસ દરમિયાન તે ભરૂચની સીમામાં એન્ટર નહીં થઈ શકે. ચૈતર વસાવાને જામીન તો મળી ગયા પરંતુ તે હજી જેલમાં છે કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. પત્નીને જામીન નથી મળ્યા જેને કારણે ચૈતર વસાવા પણ જામીન મળ્યા છતાંય જેલમાં છે. મહત્વનું છે કે ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવા મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થતાં તે ફરાર થઈ ગયા હતા અને થોડા સમય બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન પણ ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી