Jamawat Impact : બાલાસિનોર MGVCLના વીજકર્મચારી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, નશાની હાલતમાં કર્મીએ ફોન પર બોલી હતી ગાળો


  • Published By :
  • Published Date : 2023-10-17 17:13:18

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો માત્ર કાગળ પર છે તેવી વાતો, તેવા કિસ્સાઓ, તેવી ઘટનાઓ આપણી સામે આવે છે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવી વાતો જમાવટ દ્વારા અનેક વખત કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી કાયદાનો કડક અમલ ક્યારે કરવામાં આવશે તે એક સવાલ છે. ત્યારે એક ઓડિયો મહીસાગરથી સામે આવ્યો જેમાં વીજ કર્મચારી દારૂના નશામાં ગ્રાહક સાથે ગેરવર્તન કરતો હતો. વાતચીત દરમિયાન ગાળો બોલતો હતો. જમાવટે આ ઓડિયોને લઈ સમાચાર બનાવ્યા હતા જેની ઈમ્પેક્ટ થઈ છે. બાલાસિનોર MGVCLમાં ગ્રાહક સાથે કન્ટ્રોલ રૂમ નંબરથી ગેરવર્તણૂક કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાઈ છે. કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.  

ફોન પર વાતચીત દરમિયાન વિજ અધિકારીએ કર્યું હતું ગેરવર્તન 

જમાવટના ન્યુઝની ધારદાર અસર અનેક વખત જોવા મળતી હોય છે. સમસ્યા જ્યારે બતાવવામાં આવે છે ત્યારે તેની પર કાર્યવાહી કરવામાં આવે છે અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે. ત્યારે દારૂબંધી ગુજરાતમાં નથી એ વાત તો અનેક વખત જમાવટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે મહીસાગરથી આવેલા ઓડિયોને લઈ જમાવટે એક ન્યુઝ ચલાવ્યા હતા. થોડા દિવસો પહેલા વીજ લાઈનની કમ્પ્લેન કરવા માટે એક ગ્રાહકે કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. ત્યાં હાજર રહેલા કર્મચારીએ નશાની હાલતમાં તે ગ્રાહક સાથે વાતચીત કરી હતી. અને આખી વાતચીત દરમિયાન તે ગાળો બોલતો રહ્યો. 


ગાળો બોલનાર વીજ અધિકારીને કરાયો સસ્પેન્ડ

જમાવટ દ્વારા આ ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યા અને તેની ધારદાર અસર, તેની ઈમ્પેક્ટ જોવા મળી છે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એમ.એન.ઝાલાને MGVCL વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઓડિયોમાં તે કર્મચારી બોલી રહ્યો હતો કે હું દારૂ પીવા બેઠો છું પછી ફોન કર તેમ કહી  ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું. આ ઓડિયો બાદ એ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ, એવા વીડિયો આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદા પર તમાચા સમાન હોય છે. ગુજરાતમાં અનેક વખત દારૂના જથ્થા મોટા પ્રમાણમાં પકડવામાં આવે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.