Jamawat Impact : બાલાસિનોર MGVCLના વીજકર્મચારી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, નશાની હાલતમાં કર્મીએ ફોન પર બોલી હતી ગાળો


  • Published By :
  • Published Date : 2023-10-17 17:13:18

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો માત્ર કાગળ પર છે તેવી વાતો, તેવા કિસ્સાઓ, તેવી ઘટનાઓ આપણી સામે આવે છે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવી વાતો જમાવટ દ્વારા અનેક વખત કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી કાયદાનો કડક અમલ ક્યારે કરવામાં આવશે તે એક સવાલ છે. ત્યારે એક ઓડિયો મહીસાગરથી સામે આવ્યો જેમાં વીજ કર્મચારી દારૂના નશામાં ગ્રાહક સાથે ગેરવર્તન કરતો હતો. વાતચીત દરમિયાન ગાળો બોલતો હતો. જમાવટે આ ઓડિયોને લઈ સમાચાર બનાવ્યા હતા જેની ઈમ્પેક્ટ થઈ છે. બાલાસિનોર MGVCLમાં ગ્રાહક સાથે કન્ટ્રોલ રૂમ નંબરથી ગેરવર્તણૂક કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાઈ છે. કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.  

ફોન પર વાતચીત દરમિયાન વિજ અધિકારીએ કર્યું હતું ગેરવર્તન 

જમાવટના ન્યુઝની ધારદાર અસર અનેક વખત જોવા મળતી હોય છે. સમસ્યા જ્યારે બતાવવામાં આવે છે ત્યારે તેની પર કાર્યવાહી કરવામાં આવે છે અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે. ત્યારે દારૂબંધી ગુજરાતમાં નથી એ વાત તો અનેક વખત જમાવટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે મહીસાગરથી આવેલા ઓડિયોને લઈ જમાવટે એક ન્યુઝ ચલાવ્યા હતા. થોડા દિવસો પહેલા વીજ લાઈનની કમ્પ્લેન કરવા માટે એક ગ્રાહકે કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. ત્યાં હાજર રહેલા કર્મચારીએ નશાની હાલતમાં તે ગ્રાહક સાથે વાતચીત કરી હતી. અને આખી વાતચીત દરમિયાન તે ગાળો બોલતો રહ્યો. 


ગાળો બોલનાર વીજ અધિકારીને કરાયો સસ્પેન્ડ

જમાવટ દ્વારા આ ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યા અને તેની ધારદાર અસર, તેની ઈમ્પેક્ટ જોવા મળી છે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એમ.એન.ઝાલાને MGVCL વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઓડિયોમાં તે કર્મચારી બોલી રહ્યો હતો કે હું દારૂ પીવા બેઠો છું પછી ફોન કર તેમ કહી  ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું. આ ઓડિયો બાદ એ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ, એવા વીડિયો આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદા પર તમાચા સમાન હોય છે. ગુજરાતમાં અનેક વખત દારૂના જથ્થા મોટા પ્રમાણમાં પકડવામાં આવે છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.